SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] કરતા હતા. આ વખતે એક દેવે પ્રકટ થઈને કહ્યું “હે દેવાનુપ્રિય, અહીં મહામાહણ કેવલજ્ઞાન કેવલદર્શનના ધારક શ્રીઅરિહંત પ્રભુ પધારશે. તમારે તેમની વંદનાદિ વિધિ સાચવી ખરી લાગણીથી સેવન કરવી.” આ પ્રમાણે બે ત્રણવાર કહીને તે દેવ સ્વર્ગમાં ગયે. દેવનાં આ વેણ સાંભળીને સદ્દાલપુત્રે વિચાર્યું કે–તેણે કહ્યા પ્રમાણે ગુણેને ધારણ કરનાર મારે ધર્માચાર્ય ગોશાલે છે તે અહીં સવારે પધારશે, ત્યારે હું તેમને વંદન કરવા જઈશ. સવારમાં પ્રભુ પધાર્યાની ખબર પડતાં પરિવાર સાથે સદાલપુત્રે ત્યાં આવી વંદના કરી ગ્ય સ્થાને બેસી પ્રભુદેવની દેશના સાંભળી. ત્યારબાદ પ્રભુદેવે તેને રાતે બનેલી બીનાની બાબતમાં પૂછતાં સદાલપુત્રે તે સાચી હોવાનું કહ્યું. પછી પ્રભુદેવે કહ્યું. “હે સદ્દાલપુત્ર! તે દેવે જે કહ્યું હતું તે તારે ગોશાલાને આશ્રીને ન સમજવું.” પ્રભુએ કરેલા આ ખુલાસાથી તેને ખાત્રી થઈ કે દેવે કહેલા ગુણે મહાવીર પ્રભુમાં ઘટે છે. આથી હું તેમને વંદના કરીને પીઠ ફલકાદિ વાપરવા માટે નિમંત્રણ કરું, આમ વિચારી તેણે વંદન કરી પ્રભુને કહ્યું કે-હે ભગવન્! આ નગરની બહારના ભાગમાં કુંભકારની ૫૦૦ દુકાને છે, તેને વિષે તમે પીઠ વગેરે ગ્રહણ કરીને વિચરે. આ પ્રમાણે સદ્દાલપુત્રને વેણુ સાંભળીને પ્રભુએ તેમ કર્યું. એક વખત સદ્દાલપુત્ર શાલામાંથી માટીના વાસણેને તડકે મૂકતા હતા, ત્યારે અવસર જોઈને પ્રભુએ તેને પૂછયું “આ વાસણે ઉદ્યમથી બન્યા કે વિના મહેનતે બન્યા?” ત્યારે તેણે કહ્યું “વગર મહેનતે બન્યા, માટે હું ઉદ્યમને માનતા નથી. પ્રભુએ કહ્યું “આ વાસણો કેઈ માણસ ચેરી જાય તે તું તેને શું કરે? સાલપુત્રે કહ્યું “હું તેની તાડના તર્જન, હનનાદિ કદર્થના કરું એટલે પ્રભુએ કહ્યું હે સદ્દાલપુત્ર! તારાં જ વચનથી તું ઉદ્યમને કબૂલ કરે છે, તે પછી તારાથી તેને નિષેધ કરાય જ નહિ.” પ્રભુદેવે કહેલા યુક્તિગર્ભિત વચનેથી તે પ્રતિબંધ પાયે, અને તેણે વંદનાદિ કરી પ્રભુની પાસે બારે વ્રત અંગીકાર કર્યો. તેની સ્ત્રીએ પણ તેની માફક શ્રાવક ધર્મ સ્વીકાર્યો. આ બીના જાણીને ગોશાલો સદ્દાલપુત્રને પિતાના ધર્મમાં ખેંચવા માટે પિતાના પરિવાર સાથે ત્યાં આવ્યું. આજીવિકની સભામાં પોતાનાં ઉપકરણો મૂકીને કેટલાએક નિયતવાદીઓને સાથે લઈને સદ્દાલપુત્રની પાસે જવા નીકળ્યો. સદાલપુત્રે ગોશાલાને આવતો જો, પણ તેણે તેને તલભાર પણ આદરસત્કાર કર્યો નહિ. અને તે મૌનપણે બેસી રહ્યો. આ પરિસ્થિતિ ઉપરથી ગોશાલાને ખાત્રી થઈ કે આ સાલપુત્ર પ્રભુ મહાવીરના ધર્મનો દઢ રાગી છે. તેણે વિચાર્યું કે શ્રી મહાવીરના ગુત્કીર્તન કરવાથી મને પીઠ ફલકાદિ મલી શકશે. આ ઈરાદાથી ગોશાલાએ કહ્યું: “હે સદ્દાલપુત્ર, અહીં મહામાહણ, મહાગપ, મહાસાર્થવાહ, મહાધર્મકથક અને મહાનિર્યામક આવ્યા હતા ? ” સદ્દાલપુત્રે પૂછયું. “હે દેવાનુપ્રિય! એવા કોણ છે?” ત્યારે ગોશાલાએ કહ્યું કે “તેવા પ્રભુ શ્રીમહાવીર દેવ છે.” શ્રાવક સદ્દાલપુત્રે કહ્યું-“ક્યા કારણથી તે તેવી ઉપમાને લાયક છે?” ગોશાલાએ કહ્યું “(૧) પ્રભુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy