SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ઉહ સ્ત્રી હતી. આ સુરદેવને કામદેવના જેટલી દ્રવ્ય સંપત્તિ અને ગોકુલે હતાં. એક દિવસ પ્રભુ શ્રી મહાવીરની દેશના સાંભળીને આનંદાદિ મહાશ્રાવકની માફક પ્રભુની પાસે તેમણે બાર વ્રત અંગીકાર કર્યા. આ વ્રતનું ઉલ્લાસથી આરાધન કરતાં, ઉપસર્ગના પ્રસંગે પણ તેમણે ધર્મને રંગ છોડે નહીં. એમને ત્રણ પુત્રો હતા. જેમ કામદેવ શ્રાવકના પ્રસંગે બન્યું હતું, તેમ અહીં પણ એક વખત એમ બન્યું કે-કોઈ મિથ્યાદષ્ટિ દેવે તેમના ત્રણ પુત્રોને મારી નાંખવાની ધમકી આપતાં કહ્યું કે “હે સુરાદેવ! તું આ ધર્મને છોડી દે.” છતાં પણ શ્રી સુરાદેવ લગાર પણ ચલાયમાન થયા નહિ. ત્યારે દેવે કહ્યું કે “હે સુરદેવ ! હજુ પણ તારે જીવવાની ઈચ્છા હોય તે જલદી આ ધર્મને છોડી દે, નહિ તો હું તારા શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન કરીશ, જેથી તારે ઘણી વેદના ભોગવવી પડશે, અને તેથી તારે બહુ રીબાઈ રીબાઈને મરવું પડશે.” દેવનાં આ વચનો સાંભળીને શ્રીસુરાદેવે કેલાહલ કર્યો જે સાંભળીને તેમની સ્ત્રી ધન્યા આવી પહોંચી. તેણીએ તમામ ખુલાસો કર્યો, જેથી સુરાદેવ સ્વસ્થ બન્યા. અહીંથી આગળની બીના શ્રીકામદેવની માફક જાણવી. શ્રીસુરાદેવે શ્રાવકની અગિયારે પ્રતિમા વહન કરીને અંતિમ સમયે શ્રીઆનંદાદિની માફક સંલેખનાદિ કરવા પૂર્વક સમાધિમરણે મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણકાંત નામના વિમાનમાં દેવતાઈ ઋદ્ધિ મેળવી. ત્યાંના દેવતાઈ સુખો ચાર પલ્યોપમ સુધી જોગવીને ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી પરમાનન્દમય મોક્ષ સુખને પામશે. ૫ મહાશ્રાવક ચુલ્લશતક - શ્રીઆલંભિકા નગરીમાં યુદ્ધશતક નામના એક સગ્ગહસ્થ રહેતા હતા. તેમને બહુલા નામે સ્ત્રી હતી. શ્રાવક કામદેવની માફક તેમને ધનસંપત્તિ ગોકુલ વગેરે હતાં. પ્રભુશ્રી મહાવીર દેવની પાસે તેમણે વ્રતો અંગીકાર કર્યા હતાં અને શ્રાવકની અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી ચુદ્ધની પિતાને જેમ ઉપસર્ગ થયે હતો તેમ અહીં પણ તેમ થયું હતું. તેમાં તફાવત એટલે કે આને ધર્મથી ચલિત કરવાને માટે પરીક્ષક દેવે તેના પુત્રને ઉપસર્ગ કર્યો હતો એટલે દેવે પુત્રને મારવાની ધમકી આપી હતી. પણ તે ચલાયમાન થયા નહિ. છેવટે દેવે કહ્યું: “હે શુદ્ધશતક, જે તું આ ધર્મને નહિ છોડે તે તારી અઢાર કોડ સેનૈયા પ્રમાણે તમામ લક્ષ્મીને આ નગરીના ચૌટા આદિ સ્થલે વિખેરી નાંખીશ. જે જોઈને તને ઘણું આર્ત રૌદ્રધ્યાન થશે, અને અસમાધિ મરણ થશે.” આ પ્રસંગે યુદ્ધશતકે કેલાહલ કર્યો, જે સાંભળી તેમની સ્ત્રી બહલાએ આવીને સત્ય બીને જણાવી જેથી તે શાંત થયા. બાકીની બીના શ્રીઆનંદાદિની માફક જાણવી. અંતિમ સમયે શ્રાવક ચુદ્ધશતક સમાધિ મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણસિદ્ધ વિમાનમાં દેવપણે ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૬ મહાશ્રાવક ફડકેલિકો , કાંપિલ્યપુરની અંદર કુંડલિક નામના એક સગ્રહસ્થ રહેતા હતા. તેમને પુષ્પમિત્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy