SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ દશના ચિંતામણિ શેઠ ચલાયમાન થયા નહિ. ત્યારે તે સેપે તેમના શરીરને ત્રણ ભરડા દઈને ગળે આકરા ડંખ માર્યા. આ વેદના પણ શેઠે આનંદ પૂર્વક સહન કરી અને લગાર પણ ડગ્યા નહિ, તેથી તે દેવ થાક્યો અને છેવટે નમસ્કાર કરીને બોલ્યા: “હે ધર્મવીર ! તમને ધન્ય છે. તમારી અડગ શ્રદ્ધાને મેં બરોબર તપાસી છે. આથી હું પણ પ્રભુ મહાવીરના ધર્મમાં અડગ શ્રદ્ધાળુ બન્યો છું. મારા ધર્મગુરૂ તમે જ છે. સુખડના ઝાડની જેમ પરીષહે સહન કરીને તમે મને સમ્યગ્દર્શન રૂપી અપૂર્વ સુગંધ આપી તેથી હું તમારે ઉપકાર માનું છું. મારા કરેલા ગુના માફ કરજો.” એમ કહીને ત્રણ પ્રદક્ષિણા દઈને તેના ઉપકારને યાદ કરતાં તે દેવ સ્વસ્થાને ગયે. ત્યાર બાદ કામદેવ કાઉસ્સગ પારીને પ્રભુ મહાવીરને વંદન કરવા ગયા, તે વખતે પ્રભુદેવે બારે પર્ષદાની સમક્ષ કામદેવને પૂછયું : “હે મહાનુભાવ! તેં આજ રાતે મહા ભયંકર ત્રણ પરીષહો ધૈર્ય રાખીને સહન કર્યા, અને ધર્મધ્યાનમાં સ્થિરતા રાખી મેરૂ પર્વતની જેમ અડગપણે વ્રત જાળવ્યાં, એ વાત સાચી છે?” કામદેવે કહ્યું. “ પ્રત્યે ! આપે કહ્યું તેમજ છે” પછી પ્રભુએ આ બીના શ્રીગૌતમાદિક મુનીશ્વરેને જણાવીને સંયમમાં સ્થીર કર્યો. ત્યાં રહેલા સર્વ લોકેએ પણ કામદેવની ઘણી પ્રશંસા કરી. પ્રભુની ભવ્ય દેશના સાંભળીને કામદેવ શ્રાવક પિતાને ઘેર ગયા. તેમણે આનંદ શ્રાવકની માફક અગિયાર પ્રતિમાઓ વહન કરીને, વીશ વર્ષ સુધી શ્રાવક ધર્મની આરાધના કરી. અને અંતે એક મહિનાની સંલેખના આદરીને સમાધિમરણ પામી સૌધર્મ દેવકના અરૂણુભ નામના વિમાનને વિષે તે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ચાર પાપમના આયુષ્યમાં દેવતાઈ સુખ ભેગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવક કુલમાં જન્મ પામી ચારિત્રની આરાધના કરી સિદ્ધિપદ પામશે. ૩ શ્રીચુલ્હનીપિતા. વારાણસી નગરીમાં ચુલની પિતા નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેમને શ્યામ (સમા) નામની સ્ત્રી હતી. તે ચોવીસ કરોડ દ્રવ્ય (સેના મહેર) ના સ્વામી હતા. તેમાંનું ૮ કરોડ નિધાનમાં, તેટલું જ વ્યાજમાં અને તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં ફરતું હતું. તે આઠ ગોકુલના સ્વામી હતા. તેમણે પ્રભુ શ્રી મહાવીર દેવની આ ભવમાં અને પર ભવમાં પરમ કલ્યાણકારિણું દેશના સાંભળીને શ્રીઆનંદ અને કામદેવની માફક બારે વ્રત સ્વીકાર્યા હતાં. એક વખત પિતાના કુટુંબને ભાર મોટા દીકરાને મેંપીને તે પૌષધશાલામાં પૌષધ અંગીકાર કરી આત્મિક ભાવના ભાવી રહ્યા હતા. તેવામાં મધ્યરાતે એક દેવે હાથમાં તરવાર લઈ તેમને એમ ધમકી આપી કે-“હે શ્રાવક ! તું આ ધર્મને ત્યાગ કર. જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy