________________
[ શ્રી વિજયપત્રસૂરિકૃતપ્રમાણે આનંદ શ્રાવક ૨૦ વર્ષ સુધી બહુ પ્રકારના શીલવતાદિ ધર્મકૃત્યની આરાધના કરી, છેવટે એક માસની સંલેખનામાં કાલધર્મ પામી સૌધર્મ નામના પહેલા દેવલોકના અરૂણ નામના વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવક કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી સિદ્ધિપદ પામશે. વિશેષ બીને શ્રી ઉપાસકદશાંગ, વર્ધમાનદેશના, ઉપદેશપ્રાસાદાદિ ગ્રંથમાંથી જાણી લેવી.
૨. શ્રીકામદેવ શ્રાવક
ચંપાનગરીમાં કામદેવ નામના એક સદગૃહસ્થ રહેતા હતા. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. અને તે અઢાર કરેડ સોનૈયાના સ્વામી હતા. તેમાં છ કરેડ સેનયા નિધાનમાં, છ કરોડ વ્યાજમાં અને છ કરોડ વ્યાપારમાં જોડાયેલા હતા. તે છ ગોકુલના અધિપતિ હતા. આ ચંપાનગરીની નજીકમાં પૂર્ણભદ્ર નામનું ચિત્ય હતું, ત્યાં દેવાધિદેવ પ્રભુ શ્રીમહાવીરદેવ પધાર્યા. આ ખબર સાંભળીને કામદેવ શ્રાવક ખૂશ થયા, પ્રભુને વંદના નમસ્કાર કરી તેમણે પ્રભુની દેશના સાંભળીને જિનધર્મની ઉપર અડગ શ્રદ્ધા રાખીને આનંદ શ્રાવકની પેઠે પ્રભુદેવની પાસે બારે વ્રત અંગીકાર કર્યા. તે પ્રમાણે તેની સ્ત્રીએ પણ કર્યું. અને બન્ને જણ અપૂર્વ ઉલ્લાસથી વ્રતની આરાધના કરી આત્માને નિર્મલ બનાવતા હતાં.
એક વખત ધર્મજાગરિકા કરવાના પ્રસંગે કામદેવને આનંદ શ્રાવકની જે વિચાર થયે, જેથી તેમણે પોતાના મોટા પુત્રને કુટુંબની સંભાળ રાખવાની ભલામણ કરીને પષધશાળામાં આવીને દર્ભના સંથારા ઉપર બેસી પ્રભુદેવનું ધ્યાન કરતાં આનંદ શ્રાવકની જેમ તે કામદેવ શ્રાવક પ્રતિભાવહન કરવા લાગ્યા. એક વખત તે ધ્યાનમાં બેઠા હતા તે વખતે સૌધર્મેન્દ્ર ત્યાં સુધર્મા સભામાં કામદેવના ધર્મશ્રદ્ધાદિ ગુણેની પ્રશંસા કરી. તે પર શ્રદ્ધા નહિ રાખનાર કેઈ દેવ તેની પરીક્ષા કરવા આવ્યો. તે દેવ દેવતાઈ શક્તિથી (વૈક્રિય લબ્ધિથી) ઘણું ભયંકર રૂપે વિકવીને “હે કામદેવ! જે તું ધર્મને છેડી નહિ દે તો આ તરવારના ઘા કરીને તારૂ જીવિત અકાળે હરી લઈશ, જેથી તું કુધ્યાનથી ઘણી પીડા ભેગવીશ.” આ પ્રમાણે તેણે વારંવાર કહ્યું તો પણ કામદેવ લગારે ડર્યા નહિ. અને ધર્મશ્રદ્ધાથી ચલાયમાન પણ થયા નહિ. ત્યારે તેણે ક્રોધથી લાલચોળ બનીને કામદેવને તરવારના ઝટકા માર્યા. તે પણ તે ચલાયમાન થયા નહિ. ત્યાર બાદ તેણે એક હાથીનું રૂપ વિકવ્યું, અને કામદેવને કહ્યું કે- હે દાંભિક ! હું તને સૂંઢમાં ભરાવીને અદ્ધર આકાશમાં ઉછાળીશ, અને જ્યારે તું પાછો નીચે પડીશ ત્યારે પગ નીચે દબાવીને તેને કચરી નાંખીશ.” એમ કહીને ઘણીએ કદર્થના કરી તે પણ શ્રેષ્ઠી લગાર પણ ચલાયમાન થયા નહિ. ત્યાર બાદ તે દેવે ભયંકર સર્પનું રૂપ કરીને કામદેવને ધમકી આપી. ને કહ્યું કે એ વીર ધૂર્તના ધર્મને તું છોડી દે અને મને નમસ્કાર કર, નહિ તે હું તને ઘણુ તીવ્ર ડંખ મારીને હેરાન કરીશ, જેથી તું રીબાઈ રીબાઈને મરણું પામીશ.” તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org