SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] खुहमुंडो लोषण वा, रयहरण उग्गहं च घेणं ॥ समणभूओ विहरइ, धम्मं कारण फासंतो ॥ १ ॥ આ એક માસિક કાલ ઉત્કૃષ્ટ કહ્યો. અને જઘન્ય કાળ દરેક પ્રતિમાનો અંતર્મુહૂર્ત અંતમુહૂર્ત પણ કહ્યો છે. અને તે મરણ સમયે અથવા દીક્ષા લેવામાં (તે પ્રસંગે) સંભવે છે. તે સિવાય નહિ. શ્રી પંચાશક અને પ્રવચનસારોદ્ધાર વગેરેમાં વધારે બીના વર્ણવી છે. આ પ્રમાણે અગિયારે પ્રતિમા વહન કરતાં પાંચ વર્ષ અને પાંચ (છ) મહિના થાય છે. એ અગિયારે પ્રતિમા ઉલ્લાસથી કરતાં આનંદ શ્રાવકનું શરીર કૃશ ( દુર્બલ) થયું. આ અવસરે તેમણે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણું અંગીકાર કરી અનશન ગ્રહણ કર્યું. અનુક્રમે નિર્મલ પરિણામ ધારા વધતાં વધતાં અવધિજ્ઞાનવરણીયને ક્ષયશમ થવાથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એક દિવસ વાણિજ્યગ્રામની ખ્વાર પ્રભુ શ્રી મહાવીર દેવ ચૌદ હજાર મુનિવરોના પરિવાર સાથે પધાર્યા, ત્યારે પ્રભુને પૂછીને, શ્રીગૌતમ ગણધર મહારાજા ત્રીજી પરિસીમાં તે ગામમાં યથારૂચિ નિર્દોષ આહાર ગ્રહણ કરીને ગામની બહાર નીકળતાં કલ્લાક સંનિવેશની નજીકમાં આવ્યા, ત્યારે લોકેના મુખથી આનંદ શ્રાવકના અનશન તપનું વૃત્તાંત સાંભળીને પોતે તે પ્રત્યક્ષ જેવા કલાક સન્નિવેશમાં આવેલી પૌષધશાલામાં આવ્યા. તે વખતે આનંદ શ્રાવક ગણધર શ્રીગૌતમ મહારાજાને આવતા જોઈને ઘણું જ ખૂશી થયા. અને ભાવથી વંદના નમસ્કાર કરી બોલ્યા : “હે પ્રભો ! આકરી તપસ્યા કરવાથી હું ઘણે દુર્બલ થયો છું, તેથી આપની પાસે આવવા અસમર્થ છું. માટે આપ કૃપા કરીને અહીંયાં પધારો.” આથી ગૌતમ સ્વામી જ્યાં આનંદ શ્રાવક રહેલા હતા ત્યાં આવ્યા. આનંદ શ્રાવકે વિધિપૂર્વક વંદન કરી પ્રશ્ન કર્યો કે “હે ભગવન્ ! શ્રાવકને અવધિજ્ઞાન થાય ખરૂં ?” ગૌતમસ્વામી બોલ્યા “ઉત્તમ શ્રાવકને થાય.” ત્યારે આનંદ શ્રાવકે કહ્યું “મને અવધિજ્ઞાન થયું છે. હું એ જ્ઞાનથી ઉચે સૌધર્મ દેવલોક સુધી અને નીચે રત્નપ્રભા નરક પૃથ્વીના લેલુચ્ચય (લેલક) નામના નરકાવાસ સુધી તથા તિર્ણ લવણ સમુદ્રને વિષે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસો પાંચસે ચાજન સુધી અને ઉત્તરમાં ભુલ હિમવંત પર્વત સુધી રૂપી પદાર્થોની બીના જાણું છું,' આ સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે હે ભદ્ર! ગૃહસ્થને અવધિજ્ઞાન થાય, પણ તમે કહ્યા પ્રમાણે એવું મોટું અવધિજ્ઞાન ન થાય માટે તમે મિથ્યા દુષ્કૃત આપે ” આનંદ શ્રાવકે કહ્યું કે “હે સ્વામિન્ ! અસત્ય બોલવાના પ્રસંગે તેમ કરવું ઉચિત ગણાય, માટે આપે મિથ્યા દુષ્કૃત દેવો જોઈએ. ” તે સાંભળી ગૌતમ મહારાજા શંકામાં પડયા, એટલે તેમણે પ્રભુ પાસે જઈને તેનું સ્વરૂપ પૂછયું. જવાબમાં પ્રભુદેવે આનંદ શ્રાવકના કહેવા મુજબ જ જણાવ્યું એટલે ગૌતમ મહારાજે આનંદ શ્રાવકની પાસે આવીને મિથ્યા દુષ્કત આપે. ધન્ય છે આવા મહાપુરૂષને કે જેઓ આવી ઉંચ કેટને પામ્યા છતાં સત્ય વસ્તુ સમજાતાં નમ્ર બની ભૂલ ખમાવે છે. એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy