SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૩૧ (મીઠાં આંબળાં) તથા જળમાં આકાશથી પડેલું પાણી; અને મુખવાસમાં જાયફળ, લવિંગ એલાયચી, કકકોલ અને કપૂર આ પાંચ પદાર્થોથી મિશ્રિત તંબોલ; એમ ઉપર જણાવેલ ચી વાપરી શકાય, તે સિવાય બીજાને ત્યાગ કર્યો શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં આ બીના વિસ્તારથી જણાવી છે. આ પ્રમાણે દેશવિરતિ ધર્મની સાધના કરવામાં ઉજમાળ બનેલા બંને દંપતીએ ચૌદ વર્ષ સફલ કર્યા. એક વખત મધ્યરાતે આનંદ શ્રાવક જાગી ગયા અને આ પ્રમાણે ધર્મજાગરિકો (ધર્મનું ચિંતવન) કરવા લાગ્યા કે-અહ, રાગદ્વેષ પ્રમાદમાં મારૂ જીવન ઘણું વીતી ગયું. માટે હવે જલદી ચેતીને ધર્મારાધનામાં વિશેષ ઉદ્યમ કરવો જોઈએ. ગયેલે સમય પાછો મેળવી શકાતું નથી, માટે હું હવે પ્રમાદ દૂર કરીને શ્રાવકની અગિયાર પ્રતિમાની યથાશક્તિ આરાધના કરી માનવજન્મ સફલ કરું. આ પ્રમાણે વિચારીને સવારે પોતાના કુટુંબને તથા સગાં વહાલાને બોલાવ્યાં. તેમને ભેજન વસ્ત્રાદિક વડે આદરસત્કાર કરીને તેઓની સમક્ષ આનંદ શ્રાવકે મોટા પુત્રને ગૃહાદિને વહીવટ સંવે. ત્યાર બાદ પોતે નીચે જણાવ્યા મુજબ પ્રતિમાઓનું વહન કરવા તૈયાર થયા. પ્રતિમા એટલે એક જાતને વિશિષ્ટ અભિગ્રહ (પ્રતિજ્ઞા-નિયમ). તે અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું – ૧. સમ્યકત્વ પ્રતિમા–એક મહિના સુધી નિર્મલ સમ્યગ્દર્શન ગુણની સેવા કરવી છે. આ પ્રસંગે દેવાભિયોગ, રાજાભિયોગ, ગણુભિગ, બલાગિ , ગુરૂનિગ્રહ, વૃત્તિકાતાર, આ છ આગાર હેતા નથી. અને શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદર્શનીની પ્રશંસા અને અન્ય દર્શનીઓને પરિચય આ પાંચ અતિચારો (એક જાતના સામાન્ય દેષ) ન લાગે તેમ વર્તવાનું હોય છે. ૨. વ્રત પ્રતિમા–આ પ્રતિમા સાધતી વખતે પહેલી પ્રતિમાની ક્રિયાને પણ સાધવાની હોય છે. તે તરફ લક્ષ્ય રાખીને બે મહિના સુધી બારે વ્રતની નિર્મલ સાધના કરવી તે વ્રત પ્રતિમા કહેવાય. આમાં અતિચારથી સાવધાન રહેવું જોઈએ, અને અપવાદ પક્ષ હાય જ નહિ. ૩. સામાયિક પ્રતિમા–ત્રણ મહિના સુધી હંમેશાં સવાર સાંજ નિર્દોષ સામાયિકની સાધના કરવી તે. આમાં પહેલી બે પ્રતિમાનું અનુષ્ઠાન ચાલુ હોય છે. એમ આગળ પણ જરૂર યાદ રાખવું કે આગળ આગળની પ્રતિમા આરાધતી વખતે પાછળ પાછળની તમામ પ્રતિમાઓનું અનુષ્ઠાન ચાલુ હોય જ. ૪. પૌષધ પ્રતિમા–દર મહિનાની બે આઠમ અને બે ચૌદસ તથા એક પુનમ અને ૧ આનું વિસ્તારથી સ્વરૂપ શ્રી શ્રાવકધર્મજાગરિકા નામના ગ્રંથમાં જણાવ્યું છે. તે શેરદલાલ જેસિંગભાઈ કાલીદાસ અને શા. ઈશ્વરદાસ મૂલચંદ તરફથી છપાયેલ છે.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy