________________
દેશનાચિંતામણિ ] નામે ગૃહિણી હતી. વાણિજ્યગ્રામની બહાર ઈશાન ખૂણામાં કેલ્લાગ નામનું એક પરૂં હતું. અહીં આનંદ શ્રાવકનાં સગાં સંબંધિજનો અને મિત્રે વિગેરે રહેતાં હતાં. આ નગરની સામેના ભાગમાં કૂતપેલાશ નામનું ચિત્ય હતું. ત્યાં એક વખત પ્રભુ શ્રી મહાવીરદેવ પધાર્યા. આ અવસરે વિશાલ પર્ષદા મળી. આ વાતની ખબર આનંદ શ્રાવકને પડતાં પ્રભુના આગમનથી તે ઘણુ ખુશી થયા, અને સ્નાન કરી શુદ્ધ થઈને પોતાના પરિવારની સાથે પ્રભુની પાસે આવ્યા, અને વંદન કરી ઉચિત સ્થાને બેઠા. આ અવસરે પ્રભુએ ભવ્ય જીને ઉદ્ધાર કરવા માટે દેશના દેતાં જણાવ્યું કે–
भवजलहिम्मि अपारे, दुल्लहं मणुअत्तणपि जंतूणं ॥
तत्थवि अणत्थहरणं, दुल्लहं सद्धम्मवररयणं ॥ १ ॥ અર્થ:–આ સંસાર સમુદ્રમાં ભટક્તા જીવને મનુષ્યપણું પામવું દુર્લભ છે. કારણ કે નિર્મલ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી મુક્તિપદ મળી શકે છે. અને દર્શને નાદિ ત્રણેની એકઠી આરાધના મનુષ્ય ગતિમાં જ થઈ શકે છે. તેમાં પણ અનર્થનો નાશ કરનારું અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત જૈન ધર્મરૂપી (ચિંતામણિ, રત્ન મળવું વિશેષ દુર્લભ છે. જેને ચિંતામણિ રત્ન મળ્યું હોય, એનાં દુઃખ દારિદ્રયાદિ કષ્ટ જરૂર નાશ પામે. એમ ધર્મ રૂપી ચિંતામણિ રત્નની આરાધના કરનારાં ભવ્ય જીનાં પણ, આ ભવમાં અને પર ભવમાં, તમામ દુઃખે નાશ પામે છે અને તેઓ જરૂર વાસ્તવિક સુખનાં સાધન સેવીને અખંડ અવ્યાબાધ પરમ સુખને અનુભવ કરે છે.
દુર્ગતિમાં જતા જીવોને જે અટકાવે, અંતે સદ્ગતિ પમાડે તે ધર્મ કહેવાય. આના ૧ સર્વવિરતિધર્મ અને ૨ દેશવિરતિ ધર્મ, એ બે ભેદ છે. જેમ જેમ કર્મોનું જોર ઘટે, તેમ તેમ ભવ્ય છે દેશવિરતિ, સર્વવિરતિ વિગેરે ઉત્તમ ગુણોને સાધી શકે છે. નિર્મલ ત્યાગધર્મની આરાધના કર્યા સિવાય આત્મિક ગુણોને આવિર્ભાવ થઈ શકતો નથી. આથી જ પૂજ્ય શ્રીતીર્થકરાદિ અનંતા મહાપુરૂષોએ આ પંચ મહાવ્રતમય સર્વવિરતિની આરાધના કરી પરમ પદ મેળવ્યું છે. આ ઉત્તમ સર્વવિરતિ ધર્મ અંગીકાર કરવાને અસમર્થ ભવ્ય જીએ યથાશક્તિ દેશવિરતિ ધર્મની આરાધના કરવી જોઈએ. દેશવિરતિની નિર્મલ ગથી આરાધના કરનારા ભવ્ય જીવો મોડામાં મેડા આઠમે ભવે તે જરૂર મુક્તિપદ પામે છે.
આવી નિર્મલ દેશના સાંભળીને આનંદ શ્રાવકને શ્રદ્ધા ગુણ પ્રગટ થયે. તેમને ખાત્રી થઈ કે પ્રભુદેવે જે બીને કહી છે, તે નિઃશંક અને સાચી છે.
પિતાના મિથ્યાત્વ શત્રુને પરાજ્ય થવાથી ખૂશી થઈને તેમણે પ્રભુદેવને કહ્યું “ હે ૧. આથી સમજવાનું મળે છે કે પ્રભુદેશનાના અનેક લાભમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ થાય, દેશનાશ્રવણથી શ્રદ્ધા ગુણને પામેલા ભવ્ય જીવોની ગણત્રીમાં આનંદ શ્રાવકને જરૂર ગણવા જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org