________________
[ શ્રી વિજ્યપદ્યસૂરિ કૃતભગવાન શ્રી મહાવીરસ્વામીના શાસનમાં થયેલા
દશ શ્રાવકની
સંક્ષિપ્ત જીવનકથા.
અવિચ્છિના પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત શ્રી જેનેન્દ્ર દર્શન, બીજાં બધાં દર્શનમાં અગ્રેસર ગણાય છે, તે સર્વીશે ઘટિત જ છે. મધ્યસ્થભાવે તમામ વાદીઓને ઉચિત ન્યાય તે જ આપી શકે છે, કારણ તે નિષ્પક્ષપાતી દર્શન છે, જ્યાં પક્ષપાત હોય ત્યાં ઉચિત ન્યાય દેવાને અધિકાર લગાર પણ ટકી શકતા નથી. વક્ષતો મર્ચસ્થ તપતિ ભવેત્ પ્ર. જૈનદર્શન સર્વીશે પદાર્થોની વિચારણા કરે છે માટે અનેકાંત દર્શન; અને આપેક્ષિકવાદને માન્ય રાખે છે તેથી “સ્યાદ્વાદ દશન” તરીકે વિવિધ ગ્રંથમાં પ્રસિદ્ધ છે. પીપરને જેમ વધારે ચૂંટવામાં આવે તેમ તે અધિક ફાયદો કરે છે, તેમ સ્યાદ્વાર દર્શનને ગુરૂગમથી માધ્યસ્થ દષ્ટિએ વધુને વધુ અભ્યાસ કરવાથી આત્મવિકાસ પ્રત્યે ભવ્ય જીવો નિર્ભયપણે પ્રયાણ કરી શકે છે. આમ કરીને પૂર્વે અનતા ભવ્ય જીવો સિદ્ધિ પદ પામ્યા. (હાલ પણ મહાવિદેહમાં પામે છે. અને ભવિષ્યમાં પામશે.) અને પ્રભુ મહાવીરના વર્તમાન શાસનમાં પણ એવા અનેક દષ્ટાંતે મળી શકે છે. જુઓ સાધુઓમાં-ગણધર શ્રીગૌતમસ્વામી, સિંહ અણગાર, રેહક મુનિવર, અતિમુક્ત, ધન્યકુમાર, શાલિભદ્ર, અવંતી સુકુમાલ વગેરે; સાધ્વીઓમાં-ચંદનબાલા, મૃગાવતી વગેરે, શ્રાવકમાં-૧ આનંદ, ૨ કામદેવ, ૩ ચુલની પિતા, ૪ સુરાદેવ, ૫ ચુલ્લશતક, ૬ કંડકોલિક, ૭ સદાલપુત્ર, ૮ મહાશતક, ૯ નંદિનીપિતા, ૧૦ તેલીપિતા-શંખ-શતક વગેરે; અને શ્રાવિકાઓમાં-રેવતી, સુલસા વગેરે. તેમાંથી આનંદ શ્રાવકાદિના આદર્શ જીવનમાંથી ભવ્ય શ્રાવકેને આત્મોન્નતિને માર્ગ લાધી શકે એ ઇરાદાથી, તેઓના જીવનની ટુંક બીને અહીં જણાવી છે. ૧ શ્રીઆનંદ શ્રાવક
જિનાલયાદિ ધર્મસ્થાનેથી શોભાયમાન એવા વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામે મહદ્ધિક વ્યાપારી (શ્રાવક ) રહેતા હતા. તે બાર કોડ સેનેયાના સ્વામી હતા. તેમાંથી તેમણે ત્રણ વિભાગ પાડયા હતા. એક ભાગના ચાર કોડ એનૈયા નિધાનમાં દાટેલા હતા, બીજા ચાર ક્રોડ સોનૈયા વ્યાજમાં તથા બાકીના ચાર ક્રોડ સોનૈયા વ્યાપારમાં રેકેલા હતા. તેમને ચાર ગોકુલ હતાં. તેમને નિર્મલ શીલ, વિનય, વગેરે ગુણોને ધરનારી શિવાનંદા
૧ દશ હજાર ગાનું એક ગોકુલ ગણવું. એવા ચાર ગેકુલ ( ૪૦ હજાર ગાયો ) ના સ્વામી હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org