SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] હતા. તેમની માતાનું નામ વિજ્યદેવા હતું. તેઓને જન્મ વૃષભ રાશિમાં મૃગશીર નક્ષત્રમાં થયો હતો. તેઓ ચૌદ વિદ્યાના પારગામી હતા અને ૩૫૦ શિષ્યના અધ્યાપક હતા. તેમને “દે છે કે નહિ” એ સંશય હતે. પ્રભુ શ્રી મહાવીરે તે દૂર કર્યો એટલે ૬૫ વર્ષની ઉંમરે તેઓ દીક્ષિત બની ગણધર બન્યા. સર્વ લબ્લિનિધાન એવા તેઓ ૧૪ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા. એટલે ૭૪ વર્ષ વીત્યા બાદ ૮૦ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેવલિ પણે વિચરી સર્વાયુ (૬૫+૧૪+૧૬) ૯૫ વર્ષનું પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં શૈલેશી અવસ્થા અનુભવીને તેઓ નિર્વાણપદને પામ્યા. બાકી બીના પૂર્વની માફક સમજવી. ૮. શ્રીઅકપિત ગણધર આ આઠમા ગણધર મહારાજ, ગૌતમ ગોત્રના, પિતા દેવ બ્રાહ્મણ અને માતા જયંતીના પુત્ર હતા. તેઓનો મકરરાશિ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ થયો હતો. તીવ્ર બુદ્ધિના પ્રભાવે છએ દર્શનનાં શાસ્ત્રો ભણીને તેઓ મહાસમર્થ વિદ્વાન થયા. તેઓ ૩૦૦ શિષ્યને ભણાવતા હતા. તેમને “ નારકીઓ છે કે નહિ” આ સંશય પ્રભુશ્રી મહાવીરે દૂર કર્યો એટલે તેમણે પ્રભુની પાસે ૪૯ મા વર્ષની શરૂઆતમાં દીક્ષા લીધી, અને તેઓ ગણધર પદવી પામ્યા. ૯ વર્ષ છદ્મસ્થપણે રહી તેઓશ્રી ૫૮ મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૨૧ વર્ષ સુધી ધ્યાનાતીત ભાવે વિચરી, ઘણા ભવ્ય જીને મેક્ષ માર્ગના મુસાફર બનાવી, સર્વાયુ (૪૮++૨૧) ૭૮ વર્ષનું પૂર્ણ કરી પંચમ ગતિ (મોક્ષ) ને પામ્યા. બાકીની બીના શ્રીઈદ્રભૂતિજીની માફક જાણવી. - ૯ શ્રીઅચલભ્રાતા ગણધર આ શ્રી ૯ મા ગણધર મહારાજ કેશલા (અયોધ્યા) નગરીના રહીશ, ડારિતગોત્રના પિતા શ્રીવસુ બ્રાહ્મણ અને માતા નંદાના પુત્ર હતા. મિથુન રાશિ અને મૃગશીર નક્ષત્રમાં તેઓ જન્મ્યા હતા. સાંખ્ય. બૌદ્ધ દર્શનાદિ સર્વ શાસ્ત્રોના તેઓ પારગામી બન્યા. પ્રભુ શ્રી મહાવીરદેવના સમાગમથી, ૩૦૦ શિષ્યના અધ્યાપક એવા તેમને, “પુણ્ય પાપ છે કે નહિ” આ સંશય દૂર થતાં, તેઓ ૪૭ મા વર્ષની શરૂઆતમાં દીક્ષા લઈ ગણધર પદવી પામ્યા. ૧૨ વર્ષ છદ્મસ્થપણામાં રહી ૫૯ મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૧૪ વર્ષ સુધી કેલિપણે વિચરી સર્વાયુ ૭૨ વર્ષનું પૂર્ણ કરી સનાતન શાંતિમય સિદ્ધ પદને પામ્યા. બાકીની બીના પ્રથમ ગણધરની માફક જાણવી. ૧૦, શ્રીમેતાર્ય ગણધર. આ શ્રી દશમા ગણધર વચ્છેદેશાન્તર્ગત તંગિકનામના ગામમાં રહેનાર કૌડિન્ય ગોત્રના પિતાશ્રી દત્તબ્રાહ્મણ અને માતાશ્રી વરૂણદેવાના પુત્ર થાય. તેમની જન્મરાશિ મેષ હતી. અને તેમનું જન્મ નક્ષત્ર અશ્વિની હતું. તેઓ મહાસમર્થ પંડિત અને ૩૦૦ શિષ્યના ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy