SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વિજયપરિકૃતથયું હતું. કુશાગ્ર બુદ્ધિના પ્રભાવે તેઓ ચૌદ વિદ્યાના પારંગત થયા. તેમને એ સંશય હતો કે “જે પ્રાણી જેવો આ ભવમાં હોય, તેજ તે (પ્રાણી) પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે?” પ્રભુ શ્રી વીરે આ સંશય દૂર કર્યો, જેથી તેમણે પણ પહેલા અને ચોથા ગણધરની માફક એકાવનમાં વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. આ શ્રીસુધર્માસ્વામીની બાબતમાં શ્રી શત્રુંજય માહાત્યમાં કહ્યું છે કે–આદીશ્વર ભગવંતની આજ્ઞાથી શ્રી પુંડરીક ગણધરે સવા લાખ કલેક પ્રમાણ શ્રી શત્રુંજય માહાત્મ્ય બનાવ્યું હતું. તે ઘણું વિશાલ હોવાથી અહ૫ જીવિત બુદ્ધિવાળા જીના ઉપકારને માટે પ્રભુ શ્રી મહાવીરદેવની આજ્ઞાથી ગચ્છનાયક શ્રી સુધર્માસ્વામી ગણધરે તેને ટુંકું કરીને ૨૪ હજાર શ્લોક પ્રમાણ બનાવ્યું. ત્યારબાદ કાલાન્તરે શીલાદિત્ય રાજાની વિનંતિ ધ્યાનમાં લઈને આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજે તેથી પણ નાનું શત્રુંજય માહાસ્ય બનાવ્યું. સુધર્માસ્વામીજી મહારાજ પહેલા ઉદયના ૨૦ આચાર્યોમાં મુખ્ય યુગપ્રધાન થયા. યુગપ્રધાન મહાપુરૂષો (પ્રાય:) એકાવતારી હોય છે. તેમણે ૪૨ વર્ષ (બીજા દશે ગણધરો કરતાં અધિક સમય) સુધી છદ્મસ્થપણું ભેગવ્યું. તેમાં તેઓ ૩૦ વર્ષ સુધી પ્રભુ વીરની સેવામાં રહ્યા અને ૧૨ વર્ષ સુધી શ્રી ગૌતમ મહારાજની સેવામાં રહ્યા. ૯૨ વર્ષ વીત્યા બાદ ૯૩ વર્ષની ઉંમરે તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૮ વર્ષ સુધી કેવલિપણે વિચરી શ્રી જંબૂસ્વામી આદિ ઘણા ભવ્ય જીને પ્રતિબધી ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં વૈભારગિરિની ઉપર માસિક અનશન કરી પ્રભુ શ્રી વીરના નિર્વાણથી ૨૦ વર્ષ, મુક્તિપદ પામ્યા. બાકીની બીના પૂર્વની માફક જાણવી. ૬. શ્રી મંડિત ગણધર. છઠ્ઠા ગણધર શ્રી મંડિતરાજ, વાસિષ્ઠ ગોત્રના, મૌર્ય ગામના રહીશ વિ. શ્રી ધનદેવ અને માતા શ્રી વિજયદેવાના પુત્ર હતા. તેમને સિંહરાશિ અને મઘા નક્ષત્રમાં જન્મ થયે હિતે. બૃહસ્પતિને પણ જીતે એવા બુદ્ધિવંત હોવાથી તેઓ થોડા સમયમાં ચિદ વિદ્યાના પારગામી થયા. તે હમેશાં ૩૫૦ શિષ્યોને ભણાવતા હતા. તેમને બંધ મોક્ષની બાબતમાં સંદેહ હતું, તે પ્રભુ શ્રી મહાવીરે દૂર કર્યો, તેથી તેમણે ૫૪ માં વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. તેઓ ગણધર પદવી પામ્યા હતા અને દ્વાદશાંગીના રચનાર હતા. તેઓ છદ્મસ્થપણામાં ૧૪ વર્ષ સુધી રહ્યા. એટલે ૬૮ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. કેવલિપણે ૧૬ વર્ષ સુધી વિચરી, ૮૩ વર્ષનું સર્વાયુ પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં જ તેઓ મુક્તિ પદને પામ્યા. બાકીની બીના પહેલા ગણધરની માફક સમજી લેવી. ૭. શ્રી માર્યપુત્ર ગણધર. આ મર્યપુત્ર ગણધર મહારાજા કાશ્યપ ગોત્રના મૈર્યગામવાસી, મૈર્ય બ્રાહ્મણના પુત્ર ૧. પ્રભુ શ્રી મહાવીરે અગિયારે શિષ્યને ગણધર પદ દેતી વખતે બીજા સર્વ કરતાં દીર્ધાયુ હેવાથી સુધર્માસ્વામીને ગણની અનુજ્ઞા કરી હતી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy