SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૨૩ અગ્નિભૂતિને જન્મ વૃષભ રાશિ અને કૃત્તિકા નક્ષત્રમાં થયે હતો. તે મહાબુદ્ધિશાલી હોવાથી મેટી ઉંમરે ચૌદ વિદ્યાના પારગામી બન્યા. “કર્મ છે કે નહિ, આ સંશય દૂર કરીને પ્રભુ શ્રી મહાવીરદેવે તેમને તેમના પાંચસો શિષ્યો સાથે, ૪૭માં વર્ષની શરુઆતમાં વૈશાખ સુદી અગિયારસે દીક્ષા આપી અને ગણધર પદે સ્થાપ્યા. ત્રિપદી સાંભળીને અગિયાર અંગેની રચના કરવામાં સમર્થ અને ચતુર્નાની એવા શ્રી અગ્નિભૂતિ મહારાજ છદ્મસ્થપણુમાં ૧૨ વર્ષ રહ્યા એટલે ૫૮ વર્ષ વીત્યા બાદ ૫૯મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેલિપર્યાય આરાધી, ૭૪ વર્ષનું સંપૂર્ણાયુ પુરૂં કરી, વૈભારગિરિ ઉપર પાદપપગમન અનશન કરવા પૂર્વક માસક્ષપણ કરી, તેઓ નિર્વાણ પામ્યા તેમના સંઘયણ, દેહ રૂપ વગેરેની બીના શ્રી ઈદ્રભૂતિજીના ચરિત્ર પ્રમાણે સમજવી. ૩ શ્રી વાયુભૂતિ ગણધર. ત્રીજા ગણધર મહારાજા તે પહેલા અને બીજા ગણધરના સગા ભાઈ થાય, તેથી માતા પિતાનાં નામ પૂર્વની માફક જાણવાં. તેમને જન્મ તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં થયો હતો. તેઓ ચૌદ વિદ્યાના પારગામી બન્યા હતા. તેમને “આ શરીર છે તે જ આત્મા છે કે શરીરથી અલગ આત્મા છે,” આ સંશય હતો. પ્રભુશ્રી વીરના સમાગમથી તે સંદેહ દૂર થતાં ૫૦૦ શિષ્ય સહિત, પૂર્વે કહેલી તિથિએ, ૪૨ વર્ષને ગૃહસ્થ પર્યાય વીત્યા બાદ, તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છઘસ્થપણામાં રહી, પ૩મા વર્ષની શરૂઆતમાં તેઓ સર્વજ્ઞ થયા. ૧૮ વર્ષ કેવલિપણે વિચરી ૭૦ વર્ષનું સર્વાયુ પૂરું કરીને પ્રભુની હયાતિમાં તેઓ નિર્વાણ પામ્યા. બાકીની બીના પૂર્વની માફક જાણવી. ૪. શ્રી વ્યક્ત ગણધર. આ શ્રી વ્યક્ત ગણધર મહારાજા, કેલ્લાક ગામના રહીશ, અને ભારદ્વાજગોત્રના પિતા ધનમિત્ર અને માતા વારૂણીના પુત્ર હતા. તેમનો જન્મ મકરરાશિ અને શ્રવણ નક્ષત્રમાં થયેલ હતું. શ્રી ઈદ્રભૂતિજીની માફક ૫૧ માં વર્ષની શરુઆતમાં “પાંચ (પથ્વી આદિ) ભૂત છે કે નહિ.”? આ સંદેહ દૂર થતાં ૫૦૦ શિષ્યો સહિત તેમણે પ્રભુ શ્રી વીરની પાસે દીક્ષા ગ્રહણ કરી, શ્રીઅગ્નિભૂતિની માફક ૧૨ વર્ષ પ્રમાણુ છદ્મસ્થ પર્યાય પાલી ૬૨ વર્ષની ઉંમર વીત્યા બાદ ૬૩ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ત્રીજા ગણધરની માફક ૧૮ વર્ષ સુધી કેવલિપણે વિચરી પ્રભુ શ્રી વીરની હયાતિમાં સર્વાયુ ૮૦ વર્ષનું પૂર્ણ કરી મુક્તિપદ પામ્યા હતા. બાકીની બીના પૂર્વની જેમ જાણવી. ૫. શ્રી સુધમસ્વિામી ગણધર. આ પાંચમાં ગણધર સુધર્માસ્વામીજી કેલ્લાક ગામના રહીશ અને અગ્નિવેશ્યાયન બેત્રમાં જન્મેલા એવા પિતાશ્રી ધનમિત્ર વિપ્ર અને માતા ભક્વેિલાના પુત્ર હતા. કન્યારાશિ અને (પ્રભુ શ્રીવીરનું જે જન્મ નક્ષત્ર હતું તે) ઉત્તરાફાગુની નક્ષત્રમાં તેમને જન્મ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy