SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધસૂરિકૃતઅધ્યાપક હતા. તેમને “પરલોક છે કે નહિ ” આ સંશય હતો. પ્રભુ શ્રીવીરે તે દૂર કર્યો, એટલે ક૭ વર્ષની ઉંમરે તેઓ દીક્ષા લઈ ગણધર પદવી પામ્યા. ૧૦ વર્ષ છવાસ્થપણામાં રહી, ૪૭ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલી થયા. તેઓશ્રી ૧૬ વર્ષ કેવલિપણે વિચરી છેવટે (૩૬+૧૦+૧૬) ૬૨ વર્ષનું સર્વાયુ પૂર્ણ કરી જન્મ જરાદિ ઉપદ્રવ રહિત પરમ પદને પામ્યા. બાકીની બીના પ્રથમ ગણધરની માફક જાણવી. ૧૧. બાલસંયમી શ્રીપ્રભાસ ગણધર. રાજગૃહી નગરીમાં કૌડિન્ય ગોત્રમાં જન્મેલે શ્રીબલનામનો બ્રાહ્મણ રહેતું હતું. તેને અતિભદ્રા (અતિબેલા) નામની સ્ત્રી હતી. તેમને ત્યાં કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં એક પુત્રને જન્મ થયે. તેનું નામ “પ્રભાસ' પાડયું. તે અનુક્રમે સર્વ શાસ્ત્રોમાં નિષ્ણાત બન્ય. આ શ્રીપ્રભાસ બ્રાહ્મણ ૩૦૦ શિષ્યના અધ્યાપક હતા. તેમને “મોક્ષ છે કે નહિ.” આ સંશય હતું. તે ભાવકરૂણાના ભંડાર, ભગવંત શ્રીમહાવીરે યથાર્થ બીના સમજાવી દૂર કર્યો, એટલે પ્રભુની પાસે ૧૬ વર્ષની (બીજા ગણધરે કરતાં નાની) ઉંમરે દીક્ષા લઈ ગણધરપદ પામ્યા. ૮ વર્ષ છદ્મસ્થપણામાં રહી, ૨૪ વર્ષની ઉંમર વીત્યા બાદ ૨૫ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેવળી પણે વિચરી સર્જાયુ ૪૦ વર્ષનું પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં જ તેઓ આત્મરમણુતારૂપ મેક્ષને પામ્યા. ઉપસંહાર આવશ્યકસૂત્ર, વિવિધ તીર્થ ક૫ વગેરે ગ્રંથને આધારે આ પ્રમાણે અગિયાર ગણધરાની જીવનરેખા ટુંકામાં જણાવી. દરેક ગણધરના સંશો અને તે દરેકનું પ્રભુએ કરેલ વિવેચન અને સમાધાન ગર્ભિત વિચારો અલગ ગ્રંથમાં આપવા ભાવના હોવાથી અહીં તે સંબંધી ટુંકમાં જ ઉલ્લેખ કર્યો છે. આ અગિયારે ગણધરના જીવનની બાબતમાં હજુ ઘણું જણાવવું બાકી રહ્યું છે, જે અવસરે જણાવવા ભાવના છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy