SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણિ ] વૈકિચલબ્ધિના અનેક ભેદે છે. તે આ પ્રમાણે-અણિમા, લધિમા, ગરિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ વગેરે. તપલબ્ધિના ઉગ્રતપસ્યાલબ્ધિ વગેરે સાત ભેદો છે. બળલબ્ધિ--૧. મને બલીપણું, ૨. વચનબલીપણું અને ૩. કાયબલિપણું એમ બલલબ્ધિ ત્રણ પ્રકારે જાણવી. ઔષધિલબ્ધિના ૮ ભેદ–૧. આમષ ષધિલબ્ધિ, ૨. ખેલૈષધિલબ્ધિ, ૩. જલ્લૌષધિલબ્ધિ, ૪. મલૌષધિલબ્ધિ, ૫. વિપુડોષધિલબ્ધિ, ૬. સર્વોષધિલબ્ધિ, ૭. આસીવિષલબ્ધિ અને ૮ દષ્ટિવિષલબ્ધિ. રસલબ્ધિના ક્ષીરાવ, મક્વાવ, અમૃતાશ્રવ, ધૃતાવ વગેરે ૬ ભેદ સમજવા. ક્ષેત્રલબ્ધિના બે ભેદ–૧. અક્ષણમહાનસીલબ્ધિ અને ૨. અક્ષણમહાલયત્વલબ્ધિ. શ્રી ગૌતમ મહારાજાને અક્ષણમહાનલબ્ધિ પણ હતી. આ લબ્ધિના પ્રભાવે તેમણે ડી ખીરથી પણ ૧૫૦૦ તાપસને જમાડયા હતા. હાલિક ખેડુતનો પ્રસંગ, પૂર્વ સંસ્કારનું પ્રાબલ્ય : પ્રારંભમાં કહ્યા પ્રમાણે શ્રી ગૌતમ મહારાજે જે સિંહને મરતી વખતે નવકારમંત્ર સંભળાવી આશ્વાસન આપ્યું હતું, તે સિંહ મરીને અત્યારે ખેડુત થયું હતું. તેને જોઈને પ્રભુ શ્રીવીરે કેવલજ્ઞાનથી જાણ્યું કે–જે કે મેં ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં આને મારેલ હોવાથી મારી ઉપર તેને દ્વેષ છે, તે પણ તેને હું ઉદ્ધાર કરૂં. એટલે પ્રભુએ ગૌતમ ગણધરને કહ્યું કે “હે વત્સ! આ સામે ખેતરમાં ખેડ કરતા ખેડુતને પ્રતિબંધ કરવા જા !” એટલે ગૌતમસ્વામીએ ત્યાં જઈ તેને ઉપદેશ આપ્યો અને તેને દીક્ષા દીધી. પછી તેને સાથે લઈને શ્રી ગૌતમ ગણધર પ્રભુની પાસે આવ્યા. પ્રભુને જોતાંની સાથે જ દ્વેષ જાગવાથી વેષ મૂકીને તે ખેડુત ચાલે ગયે. અહીં સંસ્કારને સિદ્ધાંત સમજવા જેવો છે. જેવા સંસ્કાર આ ભવમાં પડ્યા હોય તેવા સંસ્કારને લઈને જીવ ભવાંતરમાં જાય છે. પાછલા ભવમાં સંયમાદિની આરાધનાના ઉચ્ચ સંસ્કારને પ્રતાપે જ શ્રી વજાસ્વામી આદિ મહાપુરુષોને નાની ઉંમરમાં પણ સંયમ સાધનાને ઉત્તમ અવસર મળ્યા હતા. સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે–પાછલા ભવમાં ખરાબ સંસ્કારે પડ્યા હોય તે તેવા જ સંસ્કારને ગોશાલા વિગેરેના દBતે ભવાંતરમાં અનુભવ થાય છે. હાલિકના પૂર્વ સંસ્કાએ જોર માર્યું અને તે પ્રભુ વીરને જોઈને સંયમ છોડીને નાસી ગયે. શ્રી વીરનિર્વાણ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ શ્રી ગૌતમ મહારાજે પચાસ વર્ષની ઉંમર વીત્યા બાદ એકાવનમા વર્ષે દીક્ષા ગ્રહણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy