SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] તીર્થકરપદ અને ગણધર પદને ટૂંક વિચારઃ તીર્થકરપદ સિવાયના બીજા બધા પદોમાં ગણધર પ્રધાન છે. અનેક ગ્રંથો ઉપર સરલ ટીકા બનાવનાર અને સરસ્વતીના વરદાનવાળા આચાર્ય શ્રી મલયગિરિજી મહારાજે પંચસંગ્રહમાં કહ્યું છે કે—કષાયની મંદતાવાળા અને સમ્યગ્દર્શન સહિત એવા જે જીવે, આશ્ચર્ય છે કે મહાદેદીપ્યમાન, શ્રી તીર્થકરના ધર્મરૂપી દીવો હયાત છતાં મોહરૂપ તિમિરથી ઢંકાયેલા નેત્રવાળા આ બિચારા સંસારી જી અનેક કષાયાદિ સ્વરૂપ કાંટાઓથી ભરેલા સંસારમાં આથડે છે,” એવી ભાવ દયાથી પ્રેરાઈને સર્વ જીવોને ઉદ્ધારવાને પ્રયત્ન કરે છે, તેઓ તીર્થંકરનામકમ બાંધે છે. સ્વજનવર્ગને ઉદ્ધાર કરવાની ભાવના ભાવનાર જ ગણધરપદને પામે છે. મહાપુણ્યશાલી જી જ આ સ્થિતિને પામી શકે છે, તેથી તેમની રૂપસંપદા પણ બીજા જીવ કરતાં ચઢીયાતી હોય છે. એટલે આહારક શરીરના રૂપ સૌંદર્યથી પણ ગણધરદેવનું રૂપ અધિક હોય છે, અને તેથી ચઢીયાતું રૂપ શ્રી તીર્થંકર પ્રભુનું હોય છે. શક્તિ, ગુણે, તપ અને ગુરુભકિત: | સર્વ ગણધરમાં શ્રી શૈતમ ગણધર મહાપ્રભાવશાલી ગણાય છે, કારણ કે તેઓશ્રી અનેક સ્વાભાવિક લબ્ધિઓના નિધાન હતા. સાથે સાથે તેઓ નિરભિમાન પણ તેટલા જ હતા, તે આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની બાબતમાં પિતાની ભૂલ જણાતા તેમણે તેને, “મિચ્છામિ દુક્કડં” દીધે તે ઉપરથી જાણી શકાય છે. આવી ઊંચી હદે પહોંચ્યા છતાં તેઓને ગુરુભક્તિમાં અપૂર્વ પ્રેમ હતો. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવામાં તેઓ આનંદ અનુભવતા હતા અને ખરી મેટાઈ પણ તેમાંજ સમજતા હતા. વસ્તુતત્વને નિર્દક નિર્ણય મેલવવા સાથે, બીજાઓને બેધ પમાડવા માટે અને સ્વશિષ્યને શ્રદ્ધાગુણ વધારવા માટે પણુ શ્રી ગૌતમ મહારાજે વારંવાર ભગવાનને અનેક પ્રશ્નો પૂછયા છે અને તેથી જ શ્રી ભગવતીસૂત્રમાં ૩૬ હજાર વાર શ્રી ગૌતમ મહારાજનું નામ આવે છે. આવા પ્રકારની પ્રશ્નશૈલીને અપૂર્વ બોધદાયક જાણીને શ્રી શ્યામાચાર્ય ભગવંત શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ શૈલી કાયમ રાખી છે. અણુહારપદની વાનકી અને નિકાચિત કર્મોને તોડવાનું અપૂર્વ સાધન ક્ષમાપ્રધાન તપશ્ચર્યા છે. એમ સમજીને, શ્રી ગૌતમસ્વામી છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા. છતાં તેઓનું શરીર મહાતેજસ્વી દેખાતું હતું. કેવળજ્ઞાનની પ્રાપ્તિની શંકા અને તેનું નિવારણ | પૃષચંપાનગરીના શાલ અને મહાશાલ નામના રાજપુત્રોએ, પ્રભુની દેશનાથી વૈરાગ્ય ૧ આ સૂરિજીના ચરિત્રને માટે જુઓ-માસ્તર મંગલદાસની છપાવેલી કમપ્રકૃતિની મેં લખેલી પ્રસ્તાવના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy