________________
૧૪
:[ શ્રી વિજયપત્રસૂરિકૃતમાતા હતી. વજીરૂષભ નારાચ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનના ધારક આ શ્રી ઈભૂતિજીને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે નાના ભાઈ હતા. તેઓ વ્યાકરણ–ન્યાયકાવ્ય-અલંકાર-પુરાણ-ઉપનિષદુર્વેદ વગેરે સ્વધર્મશાસ્ત્રના પારંગત બન્યા. હંમેશાં ત્રણે ભાઈએ પાંચસો પાંચસો શિષ્યોને ભણાવતા હતા. આવા પંડિત હોવા છતાં સમ્યગદર્શ નના અભાવે તેઓ ખરા જ્ઞાની નહાતા ગણાતા, કારણ કે શુદ્ધ શ્રદ્ધાયુક્ત જ્ઞાન જ સાચું જ્ઞાન કહેવાય છે અને તે એમની પાસે ન હતું.
ભગવાન મહાવીરને સમાગમ અને દીક્ષા
એ પ્રમાણે શ્રી ઈદ્રભૂતિ ૫૦ વર્ષની ઉંમર સુધી મિથ્યાત્વી રૂપે રહ્યા. બીજી બાજુ શ્રી મહાવીરદેવને, કેવલજ્ઞાન થયા બાદ તીર્થની સ્થાપના કરવાના પ્રસંગે, શ્રી ઈદ્રભૂતિ વગેરે અગિયારે બ્રાહ્મણો ગણધરપદને લાયક જણાયા. તેથી પ્રભુ વિહાર કરી મધ્યમ પાપા (અપાપા) નગરીના મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં સમવસરણમાં બેસી પ્રભુ દેશને આપી રહ્યા હતા, અને નગરીમાં સપરિવાર શ્રી ઇંદ્રભૂતિ આદિ બ્રાહ્મણે યજ્ઞક્રિયા કરી રહ્યા હતા, ત્યારે ઈદ્રભૂતિને આકાશ માર્ગે આવતા દેના નિમિત્ત, સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરને પરિચય થયું. તે પ્રભુની પાસે ગયા ત્યારે પ્રભુએ તેને પૂછ્યું, “હે ઈદ્રભૂતિ ! તમને “જીવ છે કે નહિ” આ બાબતને સંદેહ છે.” પ્રભુનું આ વચન સાંભળીને ઈભૂતિને આશ્ચર્ય થયું અને સાથે સાથે પ્રભુના સર્વજ્ઞપણાની ખાત્રી થઈ. વેદવાક્યને ઈભૂતિ જે અનુચિત અર્થ કરતા હતા તેને પ્રભુએ, ઉપગ ધર્મની અપેક્ષાએ, સત્ય અર્થ સમજાવ્યું એટલે સંદેહ દૂર થતાં, તેમણે પચ્ચાસ વર્ષ પૂરા થયા બાદ એકાવનમા વર્ષે વૈશાખ સુદી અગીયારસના દિવસે પૂર્વ ભાગમાં સંયમ ગ્રહણ કર્યું. (બાકીના દશ બ્રા
એ પણ તે જ દિવસે પિતાને સંશય દૂર થતાં ઈન્દ્રભૂતિજીની માફક દીક્ષા ગ્રહણ કરી.)
ગણધરપદ અને ચાર જ્ઞાનની પ્રાપ્તિઃ
અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, પિતા પોતાને સંદેહ દૂર થતાં શ્રી ઈદ્રભૂતિ આદિની મિથ્યા પરિણતિ પણ દૂર થઈ અને સમ્યકત્વની પરિણતિ પ્રાપ્ત થઈ. પ્રભુએ લાયક જાણે તેમને ગણધર પદવી આપી અને વાસક્ષેપ કર્યો, એટલે એ જ વખતે તેઓ બધા સમ્યગદર્શન ઉપરાંત ચાર જ્ઞાન (મતિ, શ્રતિ, અવધિ અને મન:પર્યવ) ના ધારક બન્યા. ખરેખર, પ્રભુના વાસક્ષેપને પ્રભાવ અલૌકિક હોય છે. થોડા જ વખત પહેલાં જેઓને સમ્યગજ્ઞાનની ગંધ પણ ન હતી. જેઓ મિથ્યાજ્ઞાનરૂપી કાદવમાં ખૂતેલા હતા અને તેથી જેઓ પ્રભુને “ઈદ્રજાલિયે” વગેરે વગેરે શબ્દો કહેતા હતા, તેઓ થોડા જ વખતમાં આવા જ્ઞાની બન્યા અને ઉચ્ચ કેટીમાં મૂકાયા. ખરેખર, પુરુષોને સમાગમ અપૂર્વ લાભકારક હોય છે. અસ્તુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org