SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપદ્વસ્કૃિતઅર્થ–આ દેશના અનુયોગ તથા ત્રિપદીના રહસ્યને જણાવે છે. વળી દેશના દેવતા તથા નારકીના સ્થાન તથા તે દરેકનું આયુષ્ય કેટલું છે તે જણાવે છે. સિદ્ધિ તથા મેક્ષમાં સિદ્ધોની સ્થિતિ તથા શર્મ એટલે સુખના હેતુને તથા દુઃખના હેતુને જણાવે છે. તથા આ દેશના નવ તત્વની તથા કર્મના બંધ ઉદય સત્તા તથા છ દ્રવ્યના સ્વરૂપને સમજાવે છે. (૧) દ્રવ્યાનુયેગ. (૨) ગણિતાનુગ. (૩) ચરણાનુગ. (૪) ધર્મકથાનુગ. એમ ચાર પ્રકારનો અનુયાગ છે. અર્થનું વ્યાખ્યાન એ અનુગ કહેવાય. વિશેષ બીના નવ તત્ત્વ વિસ્તારાર્થની પ્રસ્તાવનાથી જાણવી. (૧) ઉત્પાદ (૨) વ્યય (૩) ધ્રૌવ્ય આ ત્રણ પદનું નામ ત્રિપદી કહેવાય છે. ૨૦ અપવર્નના ઉદ્વર્તનાદિક તેમ સ્થિતિઘાતાદિને, સંક્રમ નિકાદિક જણાવે દેશના બંધાદિને ચિત્ત હય વશ રાખતીજ લગામ જેવી દેશના, શર્કરાદિકને હરાવે મિષ્ટતામાં દેશના. ૨૧ અર્થ-દેશના અપવર્તનને, ઉદ્વર્તનાને તથા સ્થિતિઘાત, રસઘાત વગેરેને જણાવે છે, તેમજ પસંક્રમ, કનિષેક, તથા બંધાદિક એટલે બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાને જણાવે છે. વળી મન રૂપી ઘોડાને કબજે રાખતી હોવાથી દેશનાને લગામ જેવી કહેલી છે. વળી મીઠાશમાં સાકર વગેરે મિષ્ટ વસ્તુને આ દેશના હરાવે છે એટલે દેશના સાંભળવામાં એ રસ પડે છે કે જે રસની આગળ સાકર વગેરેની મીઠાશ કાંઈ હીસાબમાં નથી. ૨૧ છે આ દેશના સાંભળી કોણે કોણે આત્મકલ્યાણ કર્યું તે બે લેકમાં જણાવે છે – પ્રભુ વીરનાં અગીઆર ગણધર વીર પ્રભુની દેશના, લહી સંયમ થયા રચનાર બારે અંગના; નાણ કેવલને લહી સંસારવાધિ તરી ગયા, સિદ્ધિ લેશે શ્રાવકો દસ હાલ સૈધમેં રહ્યા. ૨૨ ૧-રે કર્મના સ્થિતિ અને રસને ઘટાડે તે અપવાના અને વધારે તે ઉદ્વર્તના. ૩-૪ કર્મની સ્થિતિનો નાશ કરે તે સ્થિતિઘાત અને રસને ઘાત કરે તે રસઘાત. ૫ અમુક કર્મરૂપે રહેલ પ્રકૃતિ સ્થિતિ વગેરેને પિતાની અભિન્ન એવી કમની પ્રકૃતિ સ્થિતિ વગેરે રૂપે પરિણમન કરવું તે. સંક્રમ ૬ નિષેકબંધ થયા પછીથી અબાધા કાલ સિવાયને ઉદય ચોગ્ય કાલ. ૭ આત્માની સાથે કર્મવર્ગણાને સંબંધ થવો તે બંધ બાંધેલા કર્મનું સ્વાભાવિકપણે ભોગવવું તે ઉદય, તેજ કર્મનું અબાધાકાલ વિના ઉદીરીને ભોગવવું તે ઉદીરણા, તથા તે બાંધેલા કર્મ આત્માથી જ્યાં સુધી છુટાં ન પડે એટલે આત્માની સાથે રહે તે સત્તા કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy