SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 1e [ શ્રી વિજયપધસૂરિકતનય ભંગ માન રહસ્યને સમજાવનારી દેશના, સુખના પ્રસંગે સાવચેત બનાવનારી દેશના; પૂર્ણ સાત્વિક હર્ષને પણ આપનારી દેશના, રાજસી તિમ તામસી સ્થિતિ ટાલનારી દેશના. ૧૭ અથ–સાત નય, સપ્ત ભંગી તથા પ્રમાણના રહસ્યને અથવા સારને આ દેશના સમજાવે છે. વળી આ દેશના સુખના અવસરમાં પણ જીવને સાવચેત રાખે છે કે હે જીવ! આ સુખનાં સાધને તને મળ્યાં છે તે તારા પૂર્વે કરેલાં ધર્મ કાર્યોનું ફળ છે, પરંતુ તે ફળને ભેગવતાં તેમાં આસક્ત થઈને જે તું તારાં ધાર્મિક કર્તવ્યને ભૂલી જઈશ તે આ સુખના સાધને જે તારે પુણેદય પૂરો થતાં અવશ્ય નાશ પામશે, તે વખતે તારે દુઃખ ભેગવવાને વારે આવશે. તે વખતે તને પશ્ચાત્તાપ થશે, પણ તે તે “પંડયા પછીના ડહાપણ” જે કહેવાય. તથા આ શુભ દેશના આત્માની પ્રસન્નતાથી થતા સાત્વિક આનંદિને આપનાર છે. તથા જીવની રાજસી તથા તામસી અવસ્થાને આ દેશના દૂર કરે છે. જે અવસ્થામાં લોભ વધારે પ્રમાણમાં દેખાતો હોય, અને અર્થ કામની વાસના વધતી હોય, એટલે તેવા સાધને મેળવવા માટે મનમાં ઈચ્છાના તરંગે વધારે ઉછળતા હોય, તે આ પ્રમાણે-કામ વાસનાને પોષણ આપનાર અર્થ એટલે ધન છે. તેને મેળવવા માટે લેશિયા છો એક સ્થલના કરીયાણું ભરીને બીજે સ્થલે વેચવા જતાં વચમાં વિશાલ અટવી આવે, તેને ટપીને જવામાં વાઘ વિગેરેને ભય હોય, તે પણ સાહસ કરીને તેવા ભયંકર સ્થલે જાય, ભયંકર બીજા દેશમાં પૈસા કમાવવા માટે પ્રયાણ કરે, કંજૂસ માણસની આસના વાસના કરે, તથા હાથીઓના સમુદાય ઉભા હોવાથી જ્યાં જવાની પણ ઘણું મુશ્કેલી હોય તેવા સ્થલે લશ્કરી સિપાઈ બનીને લડવા જાય, તથા ધનને કમાવવા માટે દર રહેલા દેશમાં જવા માટે તેવા સમુદ્ર માર્ગની લાંબી લાંબી મુસાફરી કરે, કે જ્યાં સગાં સબંધી અને સારવાર કરનાર ન હોય, દેવ પૂજન, વ્યાખ્યાન શ્રવણના સાધને ન હાય, તેમજ મરણ સમયે નવકાર પણ સંભળાવનાર ન મલી શકે. તેમજ ઘણાં કષ્ટોથી ભરેલી ખેતી કરે. આવા પાપ કરાવનાર એક લેભ જ છે. જ્યારે તેમની ભાવના જાગે, ત્યારે તે સમજી જવું કે હાલ આપણી રાજસી અવસ્થા (સ્થિતિ, સ્વરૂપ) વર્તે છે. જેમાં પ્રમાદ અને મેહના ચાળા વધારે દેખાય, તે તામસી સ્થિતિ જાણવી. બંને સ્થિતિ આત્માને દુર્ગતિમાં લઈ જાય છે. અને સાત્વિક સ્થિતિ સદ્દગતિ પમાડે છે. આવી સમજણ દેશના સાંભળવાથી પડે છે. સાત્વિક સ્થિતિનું સ્વરૂપ આ છે-જેમાં આત્મા ધાર્મિક ભાવનામાં દિન પ્રતિદિન આગળ વધતું જાય, અર્થ કામ પ્રત્યે અરૂચિ ભાવ જાગે, આત્માને ઉંચ કેટીમાં દાખલ કરવા માટે સારા સાધનેને સેવવાની ઈચ્છા થાય તેવી સ્થિતિને સાત્વિક સ્થિતિ કહી છે, વિશેષ બીના શ્રાવક ધર્મ જાગરિકામાંથી જાણવી. ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy