SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણિ ] અર્થ:-તિમિરપુંજ એટલે અજ્ઞાનના સમૂહને હઠાવવાને અથવા દૂર કરવાને, તથા અરવિંદ એટલે સૂર્ય વિકાસી કમલને વિકસ્વર–પ્રફુલ્લિત કરવાને સૂર્ય સિવાય બીજો કોણ સમર્થ છે? અથવા સૂર્ય સિવાય બીજા કેઈથી ઉપરનાં બંને કાર્ય થતાં નથી. તથા મેરને નચાવવાને એટલે હર્ષિત બનાવવાને મેઘ એટલે વાદળાં વિના બીજું કેણ શક્તિમાન છે? એટલે બીજા કેઈમાં એવી શક્તિ નથી. તેમજ કુમુદને ખીલવવાને ચંદ્ર વિના બીજે કેણ સમર્થ છે? અથવા તેના સિવાય બીજો કોઈ સમર્થ નથી. તેવી રીતે આ સંસારરૂપી સમુદ્રને પાર પમાડવાને અથવા મેક્ષ મેળવી આપવામાં જિનેશ્વરની શુભ દેશના વિના બીજું કઈ સમર્થ નથી. તે દેશના પરમ પદ એટલે મેક્ષ તેની વાનકીને આ ભવમાં આપે છે. અહીં મેક્ષની વાનકી તે દેશવિરતિ તથા સર્વવિરતિ રૂ૫ સામાયિક જાણવું. તથા આ દેશના જીવનતરૂ એટલે આ મનુષ્યાદિ ભવ રૂપ વૃક્ષમાં નિવૃત્તિ રસ એટલે શાંતિરૂપી પાણીને સિંચે છે, તેમજ પ્રભુની દેશના નિદ્રા, વિસ્થા વગેરે પાંચે પ્રમાદેને નાશ કરનારી છે. ૧૦-૧૧ હવે દેશના કેવી છે તે આ લેકથી શરૂ કરીને જણાવે છે – આતમ તણા ત્રણ ભેદને સમજાવનારી દેશના, બાર વ્રતના તત્વને દર્શાવનારી દેશને સર્વવિરતિને પમાડે પુરૂષ સિંહની દેશના, સમિતિ ગુમિ રંગમંડપમાં રમાડે દેશના. ૧૨ અર્થ–આ દેશના આત્માના ત્રણ ભેદનું સ્વરૂપ સમજાવે છે. વળી દેશવિરતિ શ્રાવકના બાર વ્રતના તત્વને એટલે યથાર્થ સ્વરૂપને જણાવે છે. તથા પુરૂષમાં સિંહ સમાન શ્રી જિનેશ્વરદેવની દેશના સર્વવિરતિ રૂપ ચારિત્રને પમાડે છે. તથા સમિતિ અને ગુપ્તિ રૂપી રંગમંડપમાં રમાડનારી અથવા આનંદ પમાડનારી આ દેશના જાણવી. ૧૨ ૧ આત્માના ૩ પ્રકાર આ પ્રમાણે –૧ બહિરાત્મા–સંસારી પદાર્થોમાં આસક્ત જીવ. ૨ અંતરાત્મા–આત્માનું સ્વરૂપ સમજી શરીર અને જીવ જુદા છે તેવું જાણી પુદ્દગલ ભાવ પ્રત્યે આસકત ન બને અને તેનાથી વિમુખ થઈ આત્માના ગુણોમાં રાચનાર ભવ્ય. ૩ પરમાત્મા–સર્વજ્ઞ પ્રભુ શ્રી તીર્થકર વિગેરે અને મોક્ષે ગએલ સિદ્ધ ભગવંતે. ૨ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત (દરેક વ્રતના વિસ્તાર સ્વરૂપ માટે “દેશવિરતિ જીવન” જુઓ ). ૩ સમિતિ–જયણ પૂર્વક શુભ ચેષ્ટા (પ્રવૃત્તિ) તે પાંચ છે. તથા ગુપ્તિ-શુભ યોગમાં આત્માને જોડે, અને અશુભ વેગથી પાછો હઠાવવો, એ ગુપ્તિ કહેવાય. એમ પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ ગુપ્તિ છે. અને સમિતિ એ શુભ પ્રવૃત્તિ રૂપ છે. માટે બંને સ્વરૂપ ભેદે કરીને એટલે દરેકનું અલગ અલગ સ્વરૂપ હોવાથી નિર્ણય થઈ શકે છે કે સમિતિ અને પ્તિ અલગ અલગ પદાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy