________________
[ શ્રી વિજયપધસૂરિ કૃતસુંઘવા જેવું દેશનાનું જે સાંભળવું તે છે એમ જાણવું આ પ્રમાણે પ્રવચને એટલે સિદ્ધાતમાં કહેલું છે. વળી આ દેશના પુદગલાનંદીપણું (સાંસારિક પદાર્થો જે દુઃખદાયી છે તેને સુખની બુદ્ધિએ ગ્રહણ કરવા અને તેની પ્રાપ્તિમાં આનંદ પામ તે)ને દૂર કરનારી છે. તેમજ આ દેશના મુક્તિ નગરી એટલે મેક્ષ રૂપી નગરના દરવાજા જેવા સમક્તિ ગુણને પ્રગટ કરનારી છે. ૪ સંસારિને પુત્રાદિની આધિ ઉપાધિ તણા બલે,
શાંતિ લગાર મળે નહિ ને રખડપટ્ટી પલપલે; શાંતિ સુખને આપતી રખડપટ્ટી ટાલતી,
દેશના પ્રભુજી તણી કામાદિ શત્રુ ભગાડતી. ૫ “ અર્થ –સંસારી જીવને પુત્ર વગેરે કુટુંબી સંબંધી આધિ એટલે મનની પીડા તથા ઉપાધિ એટલે શરીર વિગેરેની પીડાઓના પરવશપણાથી લેશ માત્ર શાંતિ મળતી નથી ને ક્ષણે ક્ષણે રખડપટ્ટી એટલે રઝળવાનું હોય છે. તેવા જીવોને પ્રભુ શ્રી તીર્થકર મહારાજની દેશના (દેશનાને અનુસાર વર્તન) શાંતિ સુખને આપે છે, તથા રખડપટ્ટીને ટાળે છે એટલે દૂર કરે છે. વળી તે દેશના કામાદિ એટલે વિષયસુખની ઇચ્છા તથા રાગ છેષ વગેરે આત્માના આંતર શત્રુઓને ભગાડે છે અથવા નાશ કરે છે. ૫
દેશનાનું સ્વરૂપ ચાર શ્લોકમાં જુદી જુદી રીતે સમજાવે છે –
ગ્રાહ્ય હેય શેયને પણ બંધ દેતી દેશના,
મતિભેદ જાતિ સ્મરણ ગુણને આપનારી દેશના કધાદિ ચાર કષાય ભેદ પ્રભેદ શ્રી પ્રજ્ઞાપના,
સૂત્રે કહ્યા તેથી બચાવે નિર્મલી પ્રભુ દેશના. ૬
અર્થ–ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય અહિંસા, સંયમ, તપ વિગેરે છે. અને હેય એટલે ધન, વિષય વિગેરે ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે આત્માને નુકસાન કરનાર છે. તથા સેય એટલે નવ ત વિગેરે જાણવા લાયક છે. આવું દેશના સમજાવે છે. વળી મતિ જ્ઞાનના ભેદ રૂ૫ જાતિસ્મરણ (આ મતિ જ્ઞાનના ધારણા નામના ભેદને ભેદ છે જેનાથી સંજ્ઞી પંચેન્દ્રિય જીવ પોતાના સંખ્યાતા ભવોને જાણે છે) ગુણને આ દેશના આપે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રની અંદર મૂળ ભેદ તથા પ્રભેદ એટલે ઉત્તર ભેદ વિસ્તારથી વર્ણવ્યા છે તેવા ક્રોધ, માન, માયા અને લેભ રૂપ ચાર કષાયેના ઉપદ્રવથી બચાવનારી પ્રભુની નિર્મળ દેશના છે એમ જાણવું. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org