SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] એટલે જુદી જુદી જાતના દ્રવ્યાદિના સ્વરૂપને યથાર્થ પણે કહે, તેને “દેશના' અવધારીએ એટલે જાણીએ. એટલે તે દેશના કહેવાય. એમ દેશનાની વ્યાખ્યા જણાવી. ધર્મના તથા શિવપદ એટલે મોક્ષના સ્વરૂપને જણાવનારી દેશના જ ઉત્તમ ગણાય છે. કારણ કે સંસાર રૂપી સમુદ્રમાંથી જીવને તે તારનારી છે. તથા સંવેગ એટલે વૈરાગ્ય ભાવ, શમ એટલે ક્ષમા ગુણ અને નિર્વેદ એટલે સંસાર પ્રત્યે ઉદાસીપણું, (કંટાળે) કરૂણા એટલે દુ:ખી જીવે પ્રત્યે દયા ભાવ, તથા તત્ત્વરૂચિ ગુણ એટલે જીવ, અજીવ વગેરે તો તરફ શ્રદ્ધા ગુણ ઉત્પન્ન કરાવનારી છે એટલે સમ્યકત્વને ઓળખવાના પાંચ ચિહ્નો છે. તે આ પ્રમાણે (૧) ઉપશમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા (૫) આસ્તિક્ય. આ પાંચ ચિન્હોમાંના એક કે તેથી વધારે ચિહે જે જીવમાં દેખાય, તેમને જરૂર સમ્યકત્વ હોય છે. દરેક સમ્યદૃષ્ટિ જીવમાં એક સાથે ઉપશમાદિ પાંચ ચિન્હો હવાજ જોઈએ એ કંઈ નિયમ નથી. એમ કૃષ્ણ મહારાજા વિગેરેના દષ્ટાંતમાંથી જાણી શકાય છે. સમ્યકત્વ ગુણ કઈ રીતે પ્રગટ થાય તેનું સ્વરૂપ શું? વિગેરે બીના જાણવા માટે સ્પષ્ટાર્થ સહિત શ્રી સિદ્ધચક પૂજા વાંચવી જોઈએ. ૨ આ દેશના નોળવેલના જેવી છે, એમ જણાવે છે – સર્પ કરડે નળિઆને નેળવેલવનસ્પતિ, સુંધી ઉતારે ઝેર તે દૃષ્ટાંત ઘટને ઈમ થતી; ચાર ગતિના જીવડા એ નોળિયાની જેહવા, ઝેર જેવી ભવ ઉપાધિ સર્ષ નિજ જન જાણવા. ૩ અર્થ-જ્યારે નળીઓ અને સર્ષ લડે છે, અને તેને સર્પ કરડે ત્યારે નોળીઓ સર્પ દંશનું ઝેર નોળવેલ નામની વનસ્પતિ સુંઘીને ઉતારી નાંખે છે. એટલે મેળવેલ નામની વનસ્પતિમાં સર્પના ઝેરને ઉતારવાની શક્તિ છે. આ દષ્ટાન્તની ઘટના અહીં આ પ્રમાણે થાય છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચાર ગતિના જીવો નેળીઆ જેવા જાણવા. તથા ભવ ઉપાધિ એટલે સંસારની સ્ત્રી પુત્રાદિની ઉપાધિ તે ઝેર જેવી જાણવી, તથા સર્પ તે પોતાના કુટુંબના સગાં વિગેરે મનુષ્ય જાણવા. ૩ દષ્ટાંતની ઘટના બે લેકમાં સમજાવે છે – નોળવેલ તણી સમી આ દેશના તસ શ્રવણને, સૂધવાની જેહવું તું ધારજે ઈમ પ્રવચને પુદ્ગલાનંદિ પણાને ટાળનારી દેશના, મુક્તિ નગરી દ્વાર દર્શન પ્રકટ કરતી દેશના. ૪ અર્થજિનેશ્વરની દેશના તે મેળવેલ વનસ્પતિ જેવી જાણવી. અને મેળવેલને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy