________________
[ શ્રી વિજયપધસૂરિકૃતકરીને, તેમજ અતુલ એટલે જેની તુલના થઈ શકે તેમ નથી તેવા મહિમાવાળા શ્રી જિનેશ્વર ભગવંતના વચન રૂપી આગમને અથવા શ્રતજ્ઞાનને પ્રણામ કરીને શ્રાબલે એટલે સિદ્ધાન્ત અથવા આગમના અનુસારે “શ્રી દેશના ચિંતામણિ” (જેમાં ચિન્તામણિ રત્ન સમાન શ્રીતીર્થકર મહારાજાની દેશનાને સાર વિસ્તારથી સરલ ભાષામાં આપવામાં આવેલ છે તે) ની મુદા એટલે હર્ષપૂર્વક રચના કરું છું, આ દેશનાને સાંભળીને ભવ્ય જીવો પોતાના આત્મા રૂપી મણિને નિર્મળ કરે. એટલે પવિત્ર કરે.
ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ કરવું જોઈએ એ શિષ્ટ (ઉત્તમ) પુરૂને આચાર છે, કારણ કે શુભ કાર્યોની શરૂઆતથી તેની સમાપ્તિ સુધીમાં વિન આવવાને સંભવ રહેલો છે. તે વિપ્નને દૂર કરવા માટે મંગલ કરવામાં આવે છે. એ હેતુથી આ ગ્રંથની આદિમાં નવપદ, ગુરૂ મહારાજ તથા સિદ્ધાંતને નમસ્કાર કરવા રૂપ મંગલ કર્યું છે. તથા સમજી શ્રોતા (અભ્યાસી) અભિધેયાદિ ચારને જાણ્યા સિવાય તેમાં પ્રવૃત્તિ કરતા નથી, કારણ કે તે ચારને જાણવાથી આ ગ્રંથ લાભદાયી છે એમ તેમને ખાત્રી થાય છે. માટે તે અભિધેયાદિ ચાર આ પ્રમાણે જાણવા-૧ અભિધેય એટલે વિષય અથવા બાબત. આ ગ્રંથમાં શ્રી તીર્થંકર મહારાજની દેશના (તેઓએ આપેલે ધર્મોપદેશ) તે અભિધેય છે. ૨ અધિકારી. આત્મહિતને ચાહનારા તથા ધર્માનુરાગી ભવ્ય જીવો તે આ ગ્રંથના અધિકારી છે. ૩ પ્રજન એટલે ગ્રંથ બનાવવાનું હતુ. આ શ્રી તીર્થકર દેવે કહેલી દેશના સાંભળી (વાંચી) તે પ્રમાણે યથાશક્તિ વર્તન કરી ભવ્ય જીવ આત્મ કલ્યાણમાં તત્પર થાય અને મુક્તિ પદ પામે તે પ્રજન. તથા ૪ સંબંધ તે વા વાચક ભાવ રૂપ, સાધ્ય સાધન ભાવરૂપ, તથા ગુરૂપર્વક્રમ સંબંધ રૂપ, એમ ત્રણ પ્રકારે જાણો. અહીં ગ્રંથ વાચક એટલે અર્થને કહેનાર છે અને દેશના (ગ્રંથને અર્થ) વાચ એટલે કહેવા ગ્ય છે. અથવા આ ગ્રંથ સાધન અથવા કારણ અને દેશનાનું જાણવું તે સાધ્ય અથવા કાર્ય. તથા તીર્થકર અને ગણધર મહારાજ તથા તેમની પરંપરામાં થએલા આચાર્યોની પરંપરાએ કરીને મેળવેલી દેશનાના ગ્રંથની રચના છે તે ગુરૂ પર્વક્રમ સંબંધ જાણ. એમ ચાર વાના આ લેકમાં “શ્રુતબલે એ પદથી જણાવ્યા છે. ૧
દેશના અર્થ સમજાવે છે – નિરભિલાષ પરોપકારી સ્વપરની હિત બુદ્ધિએ,
- ભાષે પદાર્થ સ્વરૂપને તે દેશના અવધારિએ; ધર્મ શિવપદ દેશના સંસાર સાગર તારિણી,
સંવેગ શમ નિર્વેદ કરૂણા તત્વ રૂચિ ગુણ દાયિની. ૨ અર્થ–નિરભિલાષ એટલે જેમને કોઈ પ્રકારની અભિલાષા નથી તેવા, તથા પરેપકારી એટલે પારકાને ઉપકાર કરવામાં તત્પર એવા પરમ પૂજ્ય શ્રી તીર્થકર દે, સ્વપરની એટલે પિતાનું તથા બીજાનું ભલું કરવાની ભાવનાથી પદાર્થોની બીના (સ્વરૂપ)ને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org