________________
I
નમ: સિદ્ધરાજ | ॥ भावरत्नत्रयीदायक मदीयात्माद्धारक परमोपकारिशिरोमणि परमगुरु आचार्य महाराज श्री विजयनेमिसूरीश्वर
માવદ્રા નો નમઃ | સુચહીતનામધેય સદ્ગુરૂ તપગચ્છાધીશ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિકર વિયાણ
આચાર્ય શ્રી વિજયપઘસરિ” વિરચિત
શ્રી દેશના ચિંતામણિ
ગ્રંથકાર મંગલાચરણ તથા ચાર અનુબંધ વિગેરે જણાવે છે -
હરિગીત છંદ છે કલ્યાણ કેરા કંદ નવ પદ નેમિસૂરિ ગુરૂમંત્રને,
અતુલ મહિમા જાસ પ્રણમી શ્રીજિનેશ્વર વચનને, મૃતબલે વિરચું મુદા શ્રી દેશના ચિંતામણિ,
ભવ્ય જીવ સાંભળી નિર્મલ કરે આતમમણિ ૧ અર્થ –કલ્યાણ એટલે મોક્ષસુખ રૂપી ઝાડના કંદ એટલે મૂળ જેવા અથવા આત્મિક સુખની વૃદ્ધિ કરનાર એવા નવપદને પ્રણામ કરીને, તથા ગુરૂ મહારાજ શ્રીવિયનેમિસૂરીશ્વરના નામ રૂપી મહામંત્રને ( અથવા તેમણે આપેલ મહાન પ્રભાવક સૂરિમંત્રને ) પ્રણામ ( ૧ નવપદનાં નામ તથા ટુંકી બીના નીચે પ્રમાણે –૧ અરિહંતપદ-ધાતી કર્મ રૂપી શત્રને નાશ કરી કેવલજ્ઞાન પામી વિચરતા તીર્થકરો. ૨ સિદ્ધપદ-આઠે કર્મોને ક્ષય કરી મેક્ષે ગએલા છો. ૩ આચાર્યપદ ગ૭ના નાયક. ૪ ઉપાધ્યાય પદ-શિષ્યને સૂત્રની વાચના આપનાર. ૫ સાધુપદ-પાંચ મહાવ્રતધારી, ૬ સમ્યગદર્શનપદ-સમકિત અથવા જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધાં. ૭ સંમ્યજ્ઞાનપદ-વસ્તુ સ્વરૂપનું સત્ય જ્ઞાન. ૮ સમ્યગ ચારિત્રપદ-આત્માને હિતકારી આચરણ. ૯ તપપદ-બાર પ્રકારની તપશ્ચર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org