SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૩૭૭ વ્રત અભાવે પામતા બંધાદિ બહુ નુકશાનને, ત્રત પ્રભાવે શાન્તિ સુખ બહુ બાંધીએ ના પાપને. પ૩૪ અર્થ –આ ઉપર જણાવેલ અનર્થદંડને જે ત્યાગ કરે તે અનર્થદંડ વિરમણ વ્રત નામનું ત્રીજું ગુણવ્રત મનમાં સારી રીતે ધારી રાખવું. દુર્થોન વગેરે મટા ચાર અને નર્થદંડ કહેવાય છે, તેમનું કદાપિ સેવન કરવું નહિ. કારણ કે આ વ્રતના અભાવથી એટલે આ (આઠમા વ્રત) નું સેવન નહિ કરવાથી પાપ કર્મને બંધ વગેરે ઘણું નુકસાન થાય છે. તેમજ વ્રતના પ્રભાવથી શાન્તિનું સુખ ઘણું મળે છે અને તેથી પાપ એટલે અશુભ કર્મને બંધ થતા નથી. પ૩૪ ચિત્રગુપ્ત ફાંસીનું દુઃખ તિમ નરકની વેદના, આ અનર્થક દંડ વેગે મેળવ્યા મુનિરાજના ઉપદેશથી તે પાપના છેડાવનારા સંયમે, મુક્તિ પામે એમ આ વ્રત સાધતાં ન ભવે ભમે. પ૩૫ અર્થ–પુરોહિતના ચિત્રગુપ્ત નામે દીકરાએ આ અનર્થદંડના વેગથી એટલે અનWદંડમાં આસક્ત થઈને ફાંસીનું દુઃખ આ લોકમાં મેળવ્યું તથા પરભવમાં નરકની ઘેર વેદનાઓ ભેગવી, પરંતુ ત્યાર પછી મુનિરાજને ઉપદેશ સાંભળીને પાપમાંથી છોડાવનારા એટલે મૂકાવનારા સંયમ વડે તે મુક્તિને પામે, આ આઠમા વ્રતને બરોબર સાધનારા ભવ્ય જ આ બહુ જ દુખમય સંસારમાં ઘણે ટાઈમ રખડતા નથી. પ૩૫ ત્રણ લેકમાં નવમા વ્રતની બીના વિગેરે જણાવે છે – ફરી ફરી જ કરાય જે શિક્ષાત્રતો તે જાણીએ, અણુવ્રતાદિક પિષવાને ફરી ફરી એ સેવીએ; બે ઘડી સમતા સ્થિતિ જે તે સામાયિક બને, તેહમાં સધ્યાન સંયમ ધારવા શુભ ભાવને. પ૩૬, અર્થ_એવી રીતે ત્રણ ગુણવ્રતની હકીકત કહીને હવે શિક્ષાવ્રતનું સ્વરૂપ જણાવે છે–જે શિક્ષા એટલે અભ્યાસની પેઠે વારંવાર કરવામાં આવે તે શિક્ષાત્રત કહેવાય, અને પ્રથમનાં પાંચ વ્રતને તથા ત્રણ ગુણવ્રતને પોષણ કરવા માટે શિક્ષાવતેની વારંવાર સેવના કરવી જોઈએ. તેમાં પ્રથમ સામાયિક નામનું શિક્ષાવ્રત જાણવું, બે ઘડી અથવા ૪૮ મિનિટ સુધી જે સમતા એટલે રાગદ્વેષ રહિતપણાની સ્થિતિ એટલે અવસ્થા (સ્વરૂપ) તે સામાયિક વ્રત જાણવું. તે સામાયિકમાં ધ્યાન એટલે ધ્યાન કરવું, ચારિત્રનું પાલન કરવું તથા શુભ ભાવ એટલે સારા અધ્યવસાય રાખવા. ૫૩૬ ४८ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy