________________
( શ્રી વિજયપઘસરિતતે વધારે ક્ષાન્તિ નીતિ પયણને પીડના,
ઘે જ મર્યાદા સ્વરૂપ તટ ભાંગતું ભવિ જીવના. ૫૧૭ અર્થ:--જેમ નદીનું પૂર પાણીને મલીન કરે છે તેમ આ પરિગ્રહ રૂપી નદીનું પૂર મન રૂપી પાણીને મલીન કરે છે. એટલે પરિગ્રહને લીધે મનમાં શાંતિ રહેતી નથી, તેથી આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન થવાથી મનના અધ્યવસાય મલીન થાય છે. વળી તે પૂર જેમ કાંઠે ઉગેલા ઝાડને મૂળમાંથી ઉખાડી નાખે છે તેમ આ પરિગ્રહ રૂપી નદીનું પૂર ધર્મરૂપી ઝાડને ઉખાડી નાખે છે એટલે પરિગ્રહમાં આસક્ત જીવ ધર્મકાર્ય કરી શકતો નથી, તથા પૂરને લીધે જેમ સમુદ્રમાં વૃદ્ધિ થાય છે તેમ આ પૂર લાભ રૂપી સમુદ્રની વૃદ્ધિ કરે છે એટલે જેમ પરિગ્રહ વધતો જાય તેમ તેમ પણ વધતો જાય છે, અને ક્ષાન્તિ એટલે ક્ષમા તથા નીતિ રૂપી પોયણું એટલે કમલિનીને પીડા પમાડે છે, એટલે પરિગ્રહમાં આસક્ત જીવ ક્ષમા તથા નીતિને ત્યાગ કરે છે, તથા જેમ પાણીનું પૂર નદીના બંને કાંઠાને તોડી નાખે છે તેમ આ પરિગ્રહ રૂપી પૂર ભવ્ય જીવન મર્યાદા રૂપી તટને ભાગી નાખે છે. ૫૧૭
લભ શાથી વધે છે વિગેરે બીના જણાવે છે – શુભ ભાવ હંસ ઉડાડતું હિમ જેમ પામે લાભને,
તિમ વધે છે લેભ ધારે તેહ અધિકી માત્રને; સંતેષ ગુણ હથિયારથી અવળે કરે જે લોભને.
શ્રાદ્ધ તે હવે ભલે લેજે અપૂરવ બેધને. પ૧૮ અર્થ –તથા આ પાણીનું પૂર શુભ ભાવ એટલે સારા અધ્યવસાય રૂપી હંસને ઉડાડી મૂકે છે, વળી જેમ લાભ વધતું જાય તેમ લાભ પણ વધતો જાય છે, એટલે હજાર મળે તે લાખની અને લાખ મળે તે કોડની ઈચ્છા રાખ્યા કરે છે. માટે જે સંતોષ ગુણ રૂપી હથિઆરથી લોભને અવળે કરે છે એટલે લોભને કાબુમાં રાખે છે અથવા લોભને ત્યાગ કરે છે તેને જ ભલો શ્રાવક જાણ, એ પ્રમાણે આ અપૂર્વ બેધને ગ્રહણ કરજે. અહીં સમજવાનું છે કે–ામ' આને ઉલટાવીએ તો મા એમ થાય છે. એટલે જે લોભનો ત્યાગ કરે તેજ ભવ્ય જીવ ભલો કહેવાય. પ૧૮
દ્રવ્યમાં રાગ રાખવાથી જે નુકશાન થાય, તે વિગેરે જણાવે છે – દ્રવ્ય કેરા રાગ જે તે કલહ કરિને રાખવા,
વિગિરિના જેહા તિમ ક્રોધ ગીધને રાખવા સમશાન આ છે રાફડો તિમ દુઃખ અહિને રાખવા,
રાત જેવો પ્રેષરૂપી ચેરને ફરવા જવા, પ૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org