________________
દેશનાચિંતામણિ ]
ઉપપ
સ્વરૂપ શ્રી દેશવિરતિ જીવનમાંથી જોઈ લેવું. આ ત્રણ ભેદમાંથી શરૂઆતના બે ભેદવાળા શ્રાવકે વ્રતને ધારણ કરે છે, હવે પહેલા વ્રતના ધારણ કરનાર શ્રાવકે નિરપરાધી એટલે અપરાધ વિનાના (બીન ગુનેગાર) જીવોને જાણી જોઈને મારવા નહિ તે પ્રથમ અણુવ્રત જાણવું. મુનિરાજના વ્રતની અપેક્ષાએ અણુ એટલે અ૮૫ અથવા નાનાં જે વ્રત તે અણુવ્રત કહેવાય છે, કારણ કે સાધુના મહાવતમાં સર્વથા હિંસા વગેરેને ત્યાગ હોય છે, ત્યારે શ્રાવકના વ્રતમાં પૂરેપૂરો હિંસાને ત્યાગ હોતો નથી, કારણ કે ઘરબારી શ્રાવકથી, સર્વથા હિંસાને ત્યાગ થઈ શકતો નથી તેથી તેનાથી અમુક અંશે જ હિંસાને ત્યાગ થઈ શકતું હોવાથી તેના પ્રથમ અણુવ્રતને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહેવાય છે. અને મુનિરાજના પ્રથમ વ્રતને સ્થૂલ શબ્દ જોડવામાં આવતું નથી, એટલે સર્વતઃ પ્રાણતિપાત વિરમણ વ્રત કહેવાય છે. હિંસામાં એટલે જીવને ઘાત કરવામાં ઘણે દેષ રહેલ છે એવું જાણુને આ પ્રથમ તને હે ભવ્ય ! તમે ગ્રહણ કરે. ૮૩
હિંસાના ફલ વિગેરે બે લેકમાં જણાવે છે – નિર્દયપણે લેભાદિથી બહુ જીવને જો મારીએ,
કાણાપણું વામનપણું કષ્ટાદિ રેગે પામીએ, પ્રાણ હાલા સર્વને માંકડ તણું દૃષ્ટાન્તથી,
જીવનને છોડાવનારા જીવન હારે નિયમથી, ૪૮૪
અર્થ:–જે આ પ્રમાણે હિંસાને ત્યાગ કરવામાં ન આવે અને નિર્દયપણે એટલે દયાભાવ રાખ્યા સિવાય કૂરપણે લેભ વગેરેથી જીવને મારીએ તે તે હણનાર જીવને હિંસાના ફલ રૂપે કાણાપણું અથવા વામનપણું એટલે ઠીંગણાપણું તથા કોઢ વગેરે ભયંકર રેગ પ્રાપ્ત થાય. સર્વ જીવને પોતાના પ્રાણ વહાલા હોય છે કારણ કે ગમે તેવું દુઃખ હોય તે છતાં પણ તેને મરવાનું ગમતું નથી, તેથી આપણને જેવો આપણે જીવ વહાલે છે તે જ બીજા ને પોતાનો જીવ વહાલો હોય છે એમ જાણવું, માંકડ જેવો જીવ પણ જે આપણે તેને પકડવા જઈએ તો પોતાનો પ્રાણ બચાવવા આમ તેમ નાસવા માંડે છે, માટે આ માંકડના દષ્ટાન્તથી પણ સમજવું જોઈએ કે સર્વને પિતાના પ્રાણ વહાલા હોય છે એમ સાબીત થાય છે, માટે જેઓ જીવનને છોડાવનારા છે એટલે બીજાના પ્રાણને લેનારા છે તેઓ નકકી પિતાના જીવનને હારી જાય છે, કારણ કે તેઓ દુર્ગતિમાં જઈને દુઃખી થાય છે. ૪૮૪ જેહવું વેવે લખે છે તેહવું જેવું કરે,
પામે જ તેવું શાન્તિદાયક શાન્તિ સદગુણને વરે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org