________________
દેશનાચિંતામણિ ]
૩૫
અગર વડીલની આજ્ઞા લઈને અશન પાછું એટલે આહાર પાછું વાપરવાં એ પાંચમી ભાવના જાણવી, એ પ્રમાણે ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતની પાંચ ભાવના સાચવવી. જે આ પ્રમાણે સાચવે નહિ તે સ્થાન વિગેરેના અદત્તને (ચેરીને) દેષ લાગે છે, આ ભાવનાઓ ભાવવાથી ત્રીજું વ્રત સચવાય છે, અને દેથી બચી શકાય છે, તથા સ્થાનના દેનાર ભવ્ય જીવોને પણ સાધુના નિમિ અરૂચિ થતી નથી. ૪૭૫–૪૭૬ પડકાદિક જ્યાં વસે ત્યાં ના રહેવું રાગથી,
સ્ત્રી કથા કરવી ન તેના અંગ આદિક રાગથી; જેવા નહિં સંભારવા ના ભેગવેલા ભેગને,
છેડવા તિમ કામવર્ધક ભેજનાદિ પદાર્થને. ૪૭૭ શીલ વ્રતની ભાવના એ પાંચ તેથી શીલને,
સચવાય સુંદર વિષયમાં ધરવે નહિં રજ રાગને અશુભ વિષયે દ્વેષ તજ પાંચ વિષયે કરણના,
શબ્દાદિ ભેદે પાંચમા વતની સમજવી ભાવના. ૪૭૮ અર્થ–તથા ચેથા મહાવ્રતની પાંચ ભાવના આ પ્રમાણે જાણવી (1) પંડકાદિક એટલે નપુંસક, સ્ત્રી વગેરે જ્યાં રહેતા હોય તેવા સ્થાનમાં રહેવું નહિ, તથા (૨) રાગ પૂર્વક સ્ત્રીની કથા કરવી નહિ, વળી (૩) સ્ત્રીનાં અંગોપાંગ રાગથી ધારીને જેવાં નહિ. તથા (૪) પૂર્વે ભગવેલા ભેગને સંભારવા નહિ, તથા (૫) કામવર્ધક એટલે કામને અથવા વિષયવાસનાને વધારનારાં એવાં પ્રમાણ ઉપરાંત સરસ સ્નિગ્ધ ભજન વગેરે કરવાં નહિ. એવી રીતે ચોથા બ્રહ્મચર્ય વ્રતની એ પાંચ ભાવનાઓ જાણવી. એ ભાવનાઓ સાચવવાથી શીયલ વ્રતનું રક્ષણ થાય છે. માટે આ ભાવનાઓ સાચવીને વિષયમાં જરા જેટલે પણ રાગ અથવા આસક્તિ રાખવી નહિ. એ પ્રમાણે ચેથા વ્રતની પાંચ ભાવનાઓ કહીને હવે પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતની પાંચ ભાવનાઓ જણાવે છે–પાંચ કરણના એટલે ઈન્દ્રિયેના સ્પર્શ, રસ, ગંધ, શબ્દ, રૂપ એમ પાંચ વિષય છે. એટલે સ્પર્શેન્દ્રિયને સ્પર્શ, રસનેન્દ્રિયને રસ, ધ્રાણેન્દ્રિયને ગંધ, ચક્ષુરિન્દ્રિયને રૂપ અને શ્રોતેન્દ્રિયને શબ્દ એ પ્રમાણે પાંચ વિષય છે. તેમાં દરેકના શુભ અને અશુભ એટલે મનને પસંદ આવે તેવા શુભ અને ન ગમે તેવા અશુભ એમ બે પ્રકાર છે. તેમાં અશુભ શદાદિ વિષયમાં દ્વેષને ત્યાગ કરવો એટલે અશુભ વિષયે પ્રાપ્ત થાય તે પણ સમતાભાવે તે સહન કરવા. પરંતુ આને સંગ મને શી રીતે થયે, હવે વિગ શી રીતે થશે એવા પરિણામ રૂપ દુષ ન કરે અને શુભ શબ્દાદિ વિષમાં રાગને ધારણ કરે નહિ. (૧) શુભાશુભ શબ્દમાં રાગ દ્વેષને ત્યાગ કરો (૨) શુભાશુભ રૂપમાં રાગાદિને ત્યાગ, (૩) શુભાશુભ રસમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org