________________
૩૫ર
|શ્રી વિજયપધસૂરિકૃતરાગાદિને ત્યાગ, (૪) શુભાશુભ ગંધમાં રાગાદિને ત્યાગ, (૫) શુભાશુભ સ્પર્શમાં રાગદિને ત્યાગ કરે. એમ પાંચમાં વ્રતની પાંચ ભાવનાઓ જાણવી. એ પ્રમાણે પાંચે વ્રતની પચીશ ભાવનાનું વર્ણન ટૂંકામાં જણાવી દીધુ. ૪૭૭-૭૮ મુનિરાજને સંપૂર્ણ ભાવે હોય એ તિમ દેશથી,
મુનિ ધર્મરાગી શ્રાદ્ધને તે હોય દેશ વિરતિથી; સમ્યકત્વ મૂલ અણુવ્રતાદિક બાર વ્રત શ્રાવક તણું,
પાંચ અણુવ્રત ગુણવ્રત ત્રણ ભેદ ચઉ શિક્ષા તણ. ૪૭૯ અથ–સંપૂર્ણ ત્યાગી મુનિશ્વરને એ પાંચે વતે પૂરેપૂરા હોય છે તેથી તેમનાં વ્રતને મહાવતે કહેવાય છે. આનું બીજું નામ સર્વવિરતિ પણ કહેવાય. અને મુનિરાજના ત્યાગ ધર્મમાં રાગી એટલે ભક્ત એવા શ્રાવકને દેશથી એટલે અમુક અંશે વિરતિ હોવાથી શ્રાવકનાં વ્રત દેશવિરતિ કહેવાય છે. અને તે દેશવ્રતને અણુવ્રત કહે છે અને તેમાં મૂળ સમ્યક્ત્વ હોય છે. માટે સમકિત રૂપ મૂળવાળાં એવાં ૫ અણુવ્રતાદિક એટલે પાંચ અણુ
તે, (૩) ત્રણ ગુણવ્રતો અને (૪) ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રત શ્રાવકનાં જાણવાં. વળી એ શ્રાવકનાં વ્રતે સાધુઓના મહાવ્રતની અપેક્ષાએ નાના હોવાથી અણુવ્રત કહેવાય છે તથા આણુવ્રતને ગુણકારી (લાભદાયી) તે તે ગુણવ્રત કહેવાય છે. અને જે વારંવાર સેવવા યંગ્ય હોય તે શિક્ષાત્રત કહેવાય છે. ૪૭૯ જિનશાસને શ્રદ્ધા ધરે શુભ ક્ષેત્રમાં ધન વાપરે,
પુણ્યનાં કાર્યો કરે છે તેહ શ્રાવક છે ખરે શ્રાવક તણા ત્રણ વર્ષમાંથી નીકળતા આ અર્થને,
શ્રાવકે હૃદયે ધરીને સાધતા નિજ ફરજને, ૪૮૦ અથર–જેઓ જિનેશ્વર ભગવંતે કહેલા જૈન શાસનમાં શ્રદ્ધા રાખતા હોય અને શુભ ક્ષેત્રે એટલે તીર્થ, જ્ઞાન વગેરેમાં પોતાના ધનને ઉદારતાથી વાપરતા હોય, તથા જેઓ પુણ્યનાં કાર્યો કરતા હોય, તેને ખરે શ્રાવક કહેવાય છે. એમ શ્રાવક શબ્દના ત્રણ અક્ષરમાંથી અર્થ નીકળે છે, કારણ કે “શ્રા” એટલે શ્રદ્ધા, “વ' એટલે વિવેક અને “ક” એટલે ક્રિયા એ પ્રમાણે જે અર્થ નીકળે છે તેને મનમાં વિચાર કરીને ધર્મનિષ્ઠ શ્રાવકો પિતાની ફરજ એટલે ધર્મકરણીને બરાબર રીતે સાધે છે. ૪૮૦ પરલોકમાં પણ હિતકરણ જિન વચનને વિધિ જાળવી,
ઉપયોગ રાખી સાંભળે જે પુણ્યશાળી માનવી, શુકલ પાક્ષિક તેહ શ્રાવક ચાહતા નિવૃત્તિને,
બાર વ્રત આરાધતાં અડ ભવ વિષે ભે મુક્તિને, ૪૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org