SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ [ શ્રી વિજ્યપધસૂરિકતબહુ વિચારી વચન વધવું લભ હાસ્ય ધન, ત્યાગ ભયનો ભાવના સત્ય વ્રતે હે ભવિજનો ! ૪૭૪ અર્થ એ પ્રમાણે ઉપર જણાવેલી પ્રથમ પ્રાણાતિપાત વિરમણ વ્રતની પાંચ ભાવનાઓ ભાવવાથી તે વ્રત સ્થિર થાય છે, અને એ રીતે પ્રભુએ બીજા વતની ભાવનાઓ પણ ગણાવી છે. તેમાં બીજા મૃષાવાદ વિરમણ વ્રતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે જામુવી:-(૧) સાધુએ ઘણે વિચાર કરીને વચન બોલવું, કારણ કે વગર વિચારે વચન બોલવાથી જૂઠું બોલી જવાય છે, એ પ્રથમ ભાવના (૨) બીજી ભાવનામાં લેભી ન થવું, કારણ કે લોભથી જૂઠું બોલી જવાય છે, (૩) ત્રીજી ભાવનામાં કોઈની હાંસી ન કરવી, કારણ કે હાંસી એટલે મશ્કરીમાં જૂઠું બોલી જવાય છે, (૪) ચોથી ભાવનામાં ક્રોધ ન કરે, કારણ કે ક્રોધો જીવ પણ જૂઠું વચન બોલી જાય છે, તથા (૫) પાંચમી ભાવનામાં ભયને ત્યાગ કરે, કારણ કે ભયથી પણ જૂઠું વચન બોલી જવાય છે, એ પ્રમાણે હે ભવ્ય ! તમારે સત્ય વ્રતની આ પાંચ ભાવનાઓ જાણવી. ૪૭૪ ભેદ અવગ્રહના વિચારી અવસરેચિત તેહને, માગે જરૂરી કારણે બહુ વાર દાયકની કને, આટલા ક્ષેત્રાદિ છે માટે જરૂરી ઈમ કરે, ધારણા તે ક્ષેત્ર માં જે પ્રથમ વાસો કરે. ૪૭૫ તેહવા સાધમ પાસે યાચના અવગ્રહ તણી, કરી વાસ કરે આણ લઈને પૂજ્ય શ્રી ગુરૂરાજની; અશન પાણી વાપરે ઈમ તૃતીય વ્રતની ભાવના, જળવાય વ્રત આ ભાવનાથી દોષ ટાળે ભાવના, ૪૭૬ અર્થ-ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના આ પ્રમાણે જાણવી–(૧) અવગ્રહના ભેદને એટલે રહેવાના અને જરૂરી કાર્યમાં ઉપયોગી સ્થાનેના ભેદને વિચાર કરીને અવસરને ચોગ્ય હોય તેટલે અવગ્રહદાયકને એટલે અવગ્રહ (રહેવાની જગ્યા) આપનારની પાસેથી જરૂરી કારણે માગો તે ત્રીજ વ્રતની પહેલી ભાવના જાણવી, વળી (૨) માલીકે અવગ્રહની આજ્ઞા દીધી હોય, છતાં પણ જરૂરી કારણે દાયકને અરૂચિ ન થાય, તેથી તે અવગ્રહની માગણી વારંવાર કરવી તે બીજી ભાવના જાણવી. વળી (૩) મારે આટલા જ ક્ષેત્રની જરૂર છે, એ પ્રમાણે અવગ્રહની માગણી કરવાના ટાઈમે મનમાં ધારણ કરી રાખે તે ત્રીજી ભાવના જાણવી. (૪) તે ક્ષેત્રમાં પહેલાં વાસ કરીને રહેલા સાધમીક સાધુની પાસે પણ અવગ્રહની માગણી કરવી તે ચેથી ભાવના જાણવી (૫) પોતાના પૂજ્ય શ્રી ગુરૂમહારાજની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy