SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૩૪૯ ઘણું દુઃખ થાય છે. વેગ એટલે મનેયોગ, વચન યોગ, અને કાર્ય યોગ એ ત્રણ યુગથી કરવું (શીલ પાલવું) કરાવવું અને અનુમોદવું નવ ભેદ થયા. એ નવ ભેદે ઔદારિક સંબંધી એટલે મનુષ્ય સ્ત્રી અને તિર્યંચ સ્ત્રી સંબંધી તથા નવ ભેદે વૈકિય સંબંધી એટલે દેવી સંબંધિ એમ અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય છે, અને એ અઢાર ભેદે કામને એટલે મૈથુન નને ત્યાગ કરે તે ચોથું મિથુન વિરમણ વ્રત જાણવું. આ વ્રતને પાંચ વ્રતમાં સૌથી મોટું જાણવું. ૪૭ર પાંચમા વ્રતનું સ્વરૂપ તથા પહેલા વ્રતની પાંચ ભાવના જણાવે છે – સર્વ ભાવ મમત્વને પરિહાર પંચમ જાણુએ, ભાવના પ્રત્યેક વ્રતની પાંચ પાંચ વિચારીએ, પ્રથમ ત્રીજી ચેથી સમિતિ ચિત્તની ગુમિ ધરી, સપ્રકાશ સ્થાન પાત્રે ભેજ્ય જળની વિધિ ખરી. કહ૩ અર્થ –સર્વ ભાવ એટલે સર્વ પદાર્થોની ઉપરના મમત્વને એટલે મમતા ભાવને ત્યાગ કરવો તે પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત જાણવું. એ પ્રમાણે પાંચ મહાવ્રતનું સ્વરૂપ કાણુમાં કહ્યું, આ દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ જાણવી, ત્યાં પહેલા વ્રતની પાંચ ભાવનામાં (૧) પ્રથમ સમિતિ એટલે ઇચ્ય સમિતિ સાચવવી, કારણ કે રસ્તામાં જાણુ રાખ્યા સિવાય ચાલે તે પ્રાણને ઘાત થવાનો સંભવ છે, (૨) બીજી ભાવનામાં ત્રીજી સમિતિ એટલે એષણ સમિતિ સાચવવી, એટલે આહાર પાણી શુદ્ધ જેઈને વાપરવા તે એષણું સમિતિ કહેવાય છે, કારણ કે જે શુદ્ધ આહાર ન વાપરે તે જીવનો ઘાત થવાને સંભવ છે, તથા (૩) ત્રીજી ભાવનામાં ચોથી આદાન ભંડ મત્ત નિક્ષેપણ સમિતિ સાચવવી એટલે પાત્ર વગેરે ઉપકરણે લેતાં અને મૂતાં પૂંજવા પ્રમાવા જોઈએ, કારણ કે તેમ ન કરે તે પાત્રાદિકમાં લાગેલા જીવોને ઘાત થાય. (૪) તથા ચોથી ભાવનામાં ચિત્તની ગુપ્તિ એટલે મનગુપ્તિ સાચવવી, એટલે મનને કેઈ જીવને ઘાત ચિંતવતાં તથા કેના ઉપર દ્વેષ કરતાં, તથા કલહ વિગેરે કરતાં રોકવું, અને (૬) પાંચમી ભાવનામાં પ્રકાશ સ્થાન એટલે સૂર્યના અજવાળાવાળા સ્થાનમાં ગોચરી લેવી, આહાર કરવો પાણી પીવું વિગેરે સર્વ કાર્યો અજવાળામાં જ કરવાં, તેમ કરવામાં મુદ્દો એ છે કે જીવ હિંસાના પાપથી બચી શકાય અને વ્રતની નિર્દોષ આરાધના થઈ શકે, એ પ્રમાણે પહેલા મહાવતની પાંચ ભાવના જણાવી દીધી. ૪૭૩ બીજા વ્રતની પાંચ ભાવના જણાવે છે – પ્રથમ વ્રતની પાંચ આવી ભાવનાને ભાવતા, હોય તે સ્થિર ઈણ અપર પણ ભાવના પ્રભુ ભાષતા; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy