SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮. | શ્રી વિજ્યપદ્રસૂરિકૃતઅથ–એ પાંચ અદ્યતે કહીને હવે તેનાં વિપરીત પાંચ વતે કહેવાય છે. તેમાં પ્રથમ જીવની હિંસા એટલે ઘાત અથવા નાશ ન કરે તે પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત જાણવું, તથા પ્રિય એટલે બીજાને સાંભળવું ગમે તેવું અને પચ્ચ એટલે રૂચિવાળું તથા હિતકર એટલે ફાયદાકારી વચન બોલવું તે બીજું મૃષાવાદ વિરમણ નામનું વ્રત ભૂલવું નહિ. તેમજ વચન સાચું હોય છતાં બીજાને અપ્રિય લાગે તેવું હોય એટલે તેવા વચનથી તેની લાગણી દુભાતી હોય તેમજ અહિત એટલે હિતકારી પણ ન હોય તે તે વચન સાચું ન કહેવાય. આ બાબતમાં હરણનું દષ્ટાંત જાણવું, તે જિનેશ્વરના મતમાં એટલે સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ છે. અહીં હરણનું દષ્ટાંત આ પ્રમાણે જાણવું–વનમાં કાઉસગ્ગ ધ્યાને ઉભા રહેલા મુનિની પાસે થઈ એક હરણ નાસી ગયું, અને મુનિએ કઈ બાજુ ગયું તે જે કે દેખ્યું છે તે પણ શિકારીએ આવીને પૂછ્યું કે અહિંથી હરણ જતું દેખ્યું ? ત્યારે મુનિ મૌન રહ્યા, છતાં પણ શિકારીએ મુનિને ધમકી આપી આક્ષેપથી પૂછ્યું ત્યારે તે મુનિએ ઉત્તર આપે કે, હું અહિં ધ્યાનમાં ઉ છું તેથી હરણ ગયું કે નહિં અને કઈ બાજુ ગયું વિગેરે વાતોને ખ્યાલ રાખવો એ મારું કાર્ય નથી વિગેરે વચનેથી પારધીએ જાણ્યું કે આ મુનિને કશી વાતની ખબર નથી, તેથી તે પાછો વળી ગયે. હવે અહિં જે હરણ આ બાજુ ગયું છે એમ સત્ય બીના કહે તે હરણની હિંસા થાય છે, અને એ હિંસામાં હરણને શિકારીને કે મુનિને કોઈ પ્રકારને આત્મિક લાભ પણ નથી માટે એ સત્ય વચન પણ પરિણામે અસત્યનું ફળ આપનાર હોવાથી અસત્ય છે, માટે એવા પ્રસંગેમાં મૌન રહેવું, અને મૌન રહેવાય તેમ ન હોય તે કેઈનું અહિત ન થાય તેવું જ વચન જયણાથી બોલવું તે સત્ય ગણાય. ૪૭૧ ત્રીજા વ્રતનું અને ચોથા વ્રતનું સ્વરૂપ જણાવે છે -- દીધેલ વસ્તુ ગ્રહણ કરવી ત્રીજું વ્રત એ માનીએ, અર્થ હરતા બાહ્ય પ્રાણ હરાય એમ વિચારીએ; યોગ કરણે કામને પરિહાર બ્રહ્મ પ્રમાણીએ, ભેદ થાય અઢાર એના પાંચમાં ગુરૂ જાણીએ. ક૭ર અર્થ–વસ્તુના માલિકે આપેલી વસ્તુને ગ્રહણ કરવી તે ત્રીજું અદત્તાદાન વિર. મણ વ્રત જાણવું, એટલે આપ્યા સિવાય કોઈની પણ વસ્તુ લેવી નહિ, કારણ કે અર્થ એટલે પિસા વિગેરે પદાર્થોનું હરણ કરતાં બાહ્ય પ્રાણ હણાય છે એમ વિચારવું. નીતિતાએ પૈસાને અગિઆરમાં પ્રાણ સમાન કહ્યો છે, તે લેવાથી સામાના જીવને મરણાદિનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy