________________
૩૪૩
દેશનાચિંતામણિ ] પ્રથમ કરતાં શુદ્ધ અપ્રતિપાતિ અપર વિચારીએ,
અપ્રમત્તે વિવિધ ઋદ્ધિ મુનીશને તે જાણીએ. ૪૬૨
અર્થ:–જે જ્ઞાનથી સંજ્ઞી પંચેંદ્રિયના મનના વિચારે જાણી શકાય તે ચેણું મનઃપર્યવ અથવા મન:પર્યાય જ્ઞાન જાણવું. આ મન:પર્યવ જ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એમ બે ભેદ જેન સિદ્ધાંતમાં કહ્યા છે. તેમાં સામાન્યપણે મનના વિચારને જાણે તે જુમતિ મન:પર્યવ જ્ઞાન અને વિશેષતાથી જાણે તે વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન કહેવાય. ઋજુમતિ કરતાં વિપુલમતિ વધારે શુદ્ધ છે. તથા ઋજુમતિ આવેલું જાય છે માટે તે પ્રતિપાતી કહેવાય છે. અને વિપુલમતિ આવેલું જતું નથી એટલે કેવલજ્ઞાન થાય ત્યાં સુધી રહે છે માટે તે અપ્રતિપાતી છે. આ મન:પર્યવ જ્ઞાન અપ્રમત્ત ગુણઠાણે વિશિષ્ટ અદ્ધિવંત મુનીશ્વરને હોય છે એમ જાણવું. આ બાબતમાં કહ્યું છે કે –
तं संजयस्स सव्वप्पमायरहियस्स विविहरिधिमओ ॥ ४१२ મદદગાર વિચારમાં મને વર્ગણાના પુદગલે.
દ્રવ્ય મન તેના વિચારે ભાવમન ના વિસ્મરે; મન:પર્યવ નાણવંતા મન તણા પરિણામને,
પ્રત્યક્ષ જાણે તેમ અનુમાને જ બાહ્ય પદાર્થને. ૪૬૩ અર્થ:–જીવને ગ્રહણ ગ્ય આઠ જાતની વર્ગણામાંથી સાતમી મનને ગ્ય વર્ગ ણાઓના પુદ્ગલે વિચાર કરવામાં મદદગાર એટલે સહાય કરનાર થાય છે. તેથી તે પુદુગલનું નામ દ્રવ્યમન જાણવું. અને તેમની મદદથી જે વિચારે કરાય તે ભાવમન જાણવું એ વાત ભૂલવી નહિ. મન:પર્યવ જ્ઞાનવાળા મનના પરિણામે એટલે વિચારને પ્રત્યક્ષ એટલે સાક્ષાતપણે જુએ છે, પરંતુ વિચારમાં આવેલા એટલે વિચારેલા જે બાહ્ય પદાર્થો તે તે અનુમાનથી જાણે છે પણ પ્રત્યક્ષભાવે જાણતા નથી. આ બાબતમાં કહ્યું છે કે
जाणइ बज्झेऽणुमाणाओ ॥ ४६७ દ્રવ્યાદિની સંપૂર્ણ બીના સ્પષ્ટ જાણે જેહથી,
નાણ કેવલ જાણવા છ અર્થ કેવલ શબ્દથી; સ્વામિ કરણ કાલ વિષય પરેક્ષતા સાધમ્મથી,
સાથ કીધા નાણુ મતિ શ્રત પ્રથમ ભાખ્યા અવધિથી. ૪૬૪ અર્થ –જેનાથી દ્રવ્યદિની એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની પૂરેપૂરી હકીકત પ્રત્યક્ષપણે જાણી શકાય તે કેવલજ્ઞાન જાણવું. અહીં કેવલ શબ્દના છ અર્થ થાય છે, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org