SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ]. ૩૪૧ ધ્રુવ અને અધવ. એ પ્રમાણે બાર બાર ભેદે હેવાથી અઠ્ઠાવીસને બારે ગુણતાં ત્રણ છત્રીસ ભેદ થાય છે. આ ભેદે મૃતનિશ્ચિત મતિજ્ઞાનના જાણવા, મતિજ્ઞાનના મુખ્ય બે ભેદ ગણાવ્યા છે. શ્રતનિશ્રિત એટલે પૂર્વે શ્રતને અનુસરે સંસ્કારિત બુદ્ધિવાળાને સાંપ્રત કાળે જે મતિજ્ઞાન થાય તે. ૨ અબતનિશ્ચિત મતિજ્ઞાન એટલે પૂર્વે મૃતથી અસંસ્કારિત બુદ્ધિવાળાને જે મતિજ્ઞાન ઉપજે છે. તેમાં ૩૩૬ ભેદ શ્રત નિશ્રિત મતિજ્ઞાનના જાણવા. અને અબુત નિશ્રિતના ચાર ભેદ છે. એ પ્રમાણે મતિજ્ઞાનના કુલ ત્રણસો ને ચાલીસ ભેદે થાય છે. અશ્રુતનિશ્રિતના ચાર ભેદ તે બુદ્ધના ચાર ભેદ આ પ્રમાણે જાણવા. પ્રથમ ઔત્પાતિકી બુદ્ધિ એટલે સહેજે ઉત્પન્ન થાય છે. બીજી વૈનાયિકી એટલે ગુરૂને વિનય કરતાં ઉપજે છે. ત્રીજી કામિકી એટલે કાર્ય કરતાં કરતાં ઉપજે . જેથી પરિણામિકી એટલે પાકી ઉંમરે પૂર્વાપર દીર્ઘકાલના અવેલેકનથી જે બુદ્ધિ ઉપજે તે એ પ્રમાણે મતિજ્ઞાનના કુલ ત્રણસે ચાલીસ ભેદે જાણવા. ૪૫૮ ઈન્દ્રિયાદિ નિમિત્ત શબ્દાથનુસારી વિબોધ એ, નાણ શ્રત વીસ વૈદ ભેદો તેહના અવધારીએ, પૂર્વ અંગે પાંગ તિમ પ્રકીર્ણકાદિ વિચારથી, વિસ્તારવાળું સ્યાસ્પદાંકિત તે વિચારે ભાવથી. ૪૫૯ અર્થશબ્દના અર્થને અનુસાર એટલે શબ્દ સાંભળીને તેને અનુસારે પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા જે વિબોધ એટલે વિશેષ જ્ઞાન તે મૃત જ્ઞાન જાણવું. તેના વીસ ભેદે અને ચૌદ ભેદે જાણવા. તેમાં વીસ ભેદનાં નામ આ પ્રમાણે –(૧) પર્યાય શ્રુત, (૨) પર્યાય સમાસ શ્રત, (૩) અક્ષર શ્રત, (૪) અક્ષર સમાસ શ્રત, (૫) પદ શ્રત, (૬) પદ સમાસ શ્રુત, (૭) સંઘાત શ્રત, (૮) સંઘાત સમાસ શ્રત; (૯) પ્રતિપત્તિશ્રત, (૧૦) પ્રતિપત્તિ સમાસ શ્રત, (૧૧) યોગ શ્રત, (૧૨) અનુયાગ સમાસ શ્રુત, (૧૩) પ્રાભૃત પ્રાભૂત ત, (૧૪) પ્રાતિ પ્રાલત સમાસ શ્રુત, (૧૫) પ્રાભૂત શ્રત, (૧૬) પ્રાભત સમાસ શ્રત (૧૭) વસ્તુશ્રત, (૧૮) વસ્તુ સમાસ શ્રત, (૧૯) પૂર્વ શ્રત, (૨૦) પૂર્વ સમાસ શ્રત. તથા ચૌદ ભેદનાં નામ આ પ્રમાણે –(૧) અક્ષર શ્રત, (૨) અક્ષર શ્રત, (૩) સંસી શ્રત (૪) અસંશી શ્રત, (૫) સમ્યગૂશ્રત, (૬) મિથ્યા શ્રત, (૭) સાદિ બત. (૮) અનાદિ શ્રત, (૯) સપર્યવસિત શ્રત, (૧૦) અપર્યવસિત શ્રત, (૧૧) ગમિક શ્રત. (૧૨) અગમિક શ્રત, (૧૩) અંગ પ્રવિષ્ટ શ્રત, (૧૪) અંગ બાહ્ય શ્રત. (આ બધાના અર્થો કર્મગ્રંથમાંથી જાણવા. ) ચૌદ પૂર્વ, અગિઆર અંગ, બાર ઉપાંગ, તેમજ પ્રકરણ વગેરેના વિચારથી રાતજ્ઞાન ઘણું વિસ્તારવાળું છે. હે ભવ્ય છે ! તમે તે અંગ પ્રતાદિમાં કહેલી બીનાને સ્યાદ્વાદ શૈલીથી હંમેશાં વિચારજો. ૪૫૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy