________________
૩૪૦
|| શ્રી વિજયપઘસરિકૃતઅર્થ-આ જ્ઞાનના મૂળ ભેદ પાંચ કહ્યા છે. તેમાં પહેલું મતિજ્ઞાન, બીજું શ્રત જ્ઞાન, ત્રીજુ અવધિજ્ઞાન, ચોથું મન:પર્યવજ્ઞાન ને પાંચમું કેવલજ્ઞાન. તેમાં પ્રથમ પાંચે જ્ઞાનના લક્ષણોને વિચાર આ પ્રમાણે કરે. પાંચ ઈન્દ્રિય અને મનની સહાયથી શબ્દાર્થ બેધ સિવાયને એટલે શબ્દના અનુસારે તેના અર્થને જાણવા રૂપ બોધ સિવાયને જે બોધ તે મતિ જ્ઞાન કહેવાય છે અને તેનું બીજું નામ આભિનિબેધિક જ્ઞાન કહેવાય છે. ૪૫ નયન મનને વ્યંજનાવગ્રહ કદી હવે નહિ,
અપ્રાકારિત્વ સ્વભાવે ચારનો હોવે સહી પાંચ ઈન્દ્રિય મન તણા વળી અવગ્રહાદિક જાણવા,
. ભેદ અઠ્ઠાવીસ ઈમ મતિ નાણના સંભારવા. ૪૫૭
અર્થ–તે મતિજ્ઞાનના ૨૮ ભેદ વ્યંજનાવગ્રહાદિના જ્ઞાનથી પાંચ ઈન્દ્રિયે ને મન વડે થાય છે. તેમાં નયન એટલે ચક્ષુ તથા મનને વ્યંજનાવગ્રહ કદાપિ થતું નથી. ત્યાં વ્યંજન એટલે ઈન્દ્રિયે, તેના વડે વ્યંજન એટલે પદાર્થોને જે બહુજ સામાન્ય (અત્યંત અવ્યક્ત) અવબોધ તે વ્યંજનાવગ્રહ. એટલે ઇન્દ્રિય અને પદાર્થના મળવાથી જે અવ્યક્ત બંધ થાય તે વ્યંજનાવગ્રહ. પરંતુ ચક્ષુ અને મનને બાધ પદાર્થને મળ્યા સિવાય તે હોવાથી તે બેને વ્યંજનાવગ્રહ થતો નથી. આ કારણથી એ બેને અપ્રાપકારી કહા છે. અને સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત એ ચાર પ્રાપકારી હોવાથી નકકી તે ચારને જ વ્યંજનાવગ્રહ થાય છે. પ્રાયકારી એટલે ઈન્દ્રિય અને પદાર્થનાં મળવાથી જે બોધ થાય તે અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિય ને મન એ છ વડે હોય છે. તેથી પાંચ ઈન્દ્રિય અને મન એ છના અવગ્રહાદિ હોય છે. ત્યાં અર્થાવગ્રહ એટલે આ કાંઈક છે એવો કિંચિત્ વ્યક્ત અવધ. તથા એ છની ઈહા એટલે શું હશે એવી વિચારણા. તેમજ એ છન અપાય એટલે અમુક છે એ નિશ્ચય. તથા એ છની ધારણા એટલે ધારી રાખવું તે. એમ છને ચારે ગુણતાં છ ચોક વીસ થયા અને વ્યંજનાવગ્રહના ચાર ભેદ ઉમેરતાં મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ થાય છે. ૪૫૭ પ્રત્યેકમાં બહુ બહુવિધાદિક બાર ભેદ નિપજતા,
ત્રણસો ઉપર છત્રીસ શ્રત નિશ્રિત તણું ભેદો થતા; ચાર અશ્રત નિશ્રિતે ત્રણ ઉપર ચાલીસ થતા,
બુદ્ધિ કેરા ચાર ભેદ અશ્રત નિશ્રિત ભાષતા. ૪૫૮
અર્થ:--ઉપરની ગાથમાં ગણવેલા મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદેમાંના દરેક ભેદેના બહુ, અબહુ, બહુવિધ, અબહુવિધ, ક્ષિપ્ર, અક્ષિ, નિશ્રિત, અનિશ્રિત, સંદિગ્ધ, અસંદિગ્ધ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org