SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સુખે ભેગવી, અનુક્રમે ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂરું થતાં મનુષ્યગતિમાં આવી ફરી તે ચારિત્રના જ પ્રભાવે મુક્તિપદ મેળવશે. એ પ્રમાણે બીજા પણ અનેક પુણ્યશાલી ભવ્ય જીએ વર્ષોલ્લાસ વધતાં એક વર્તમાનભવમાં પણ નિર્વાણ લક્ષ્મી મેળવી છે. ૨. સિંહની જેવા શૂરવીર બનીને સંયમ ગ્રહણ કરે, પણ તેવી જ રીતે સંયમને ઠેઠ સુધી અખલિત ભાવે સાધી શકે નહિ તે બીજો ભાગ છે. અહીં જેઓ ચારિત્રને લેતી વખતે સિંહ જેવા પરાક્રમી બને પણ પાછળથી ખરાબ નિમિત્તોના સંસર્ગથી પતિત પરિણામી થાય, શિયાળ જેવા બની જાય એવા જીવોનું દષ્ટાંત આપી શકાય. આ બીજા ભાંગામાં રહેલા જીવમાં પણ કેટલાએક જીવ પૃદયે સારા નિમિત્તે પામી શ્રીઆદ્રકુમારાદિની માફક ફરીથી પ્રથમ ભાંગાની સાધના કરી આત્મકલ્યાણ કરે છે. ૩ સંયમને ગ્રહણ કરતી વેળાએ કેટલાએક જી તથા પ્રકારના બોધના અભાવ વિગેરે કારણોને લઈ શિયાળના જેવા હોય, પણ સંયમને લીધા પછી શ્રીગુરૂ મહારાજની પરમ ઉલ્લાસથી ભક્તિ વિગેરે સંયમમાં ટકાવનારા તથા વધારનારા સાધનની નિરંતર સેવનાથી સિંહના જેવા શૂરવીર બનીને સંયમને સાધે તે ભવ્ય જીવ લેતાં શિયાળની જેવા, અને પાલવામાં સિંહની જેવા આ ત્રીજા ભાંગામાં લઈ શકાય. ૪ સંયમ ગ્રહણ કરતી વેલાએ જે છે શિયાળ જેવા હોય, તેને અને પાલવામાં પણ તેવા જણાતા હોય, તે જીવો “લેતાં શિયાળ જેવા, અને પાળતાં શિયાળની જેવા આ ચેથા ભાંગામાં લઈ શકાય. આ ચાર ભાંગામાંથી સમજવાનું એ કે મહાભાગ્યદયે સંયમને પામેલા જીવે સંયમની સાધના કરવામાં આત્મવીર્યને પરમ ઉલ્લાસથી ફેરવીને સંસા રની રખડપટ્ટીને સમૂળગો નાશ કરે. મહા પુણ્યશાલી જીવોજ એવી સ્થિતિને પામી શકે છે. આ પહેલા ભાંગામાં સૌથી ચઢીયાતા પ્રભુ શ્રી તીર્થકર દેવ જાણવા. કારણ કે એ પરમ તારક મહા પુરૂષ સ્વપર તારક છે. પિતે સ્વયં સંબુદ્ધ છે, અને બીજા ભવ્ય જીને ઉન્માર્ગથી પાછા ખસેડીને સન્માર્ગના રસ્તે દેરે છે અને પોતે કર્મના પંઝામાંથી છૂટીને બીજા જીવને છુટા કરાવે છે તથા પિતે રાગાદિ શત્રુઓને જીતે છે, અને ભવ્ય જીવોને ઉપદેશ દઈને રાગાદિ શત્રુઓને જીતવાને ઉપાય જણાવે છે. તે પરમ તારકની દેશનામાં અપૂર્વ મધુરતા હોવાને લઈને તે દેશના પરમ આદેય ( ગ્રહણ કરવા લાયક, સાંભળવા લાયક) ગણાય છે. તેમજ તે આદર્શ જીવનને પામવામાં પણ મદદ કરે છે. માટે જ તેને યથાર્થ રીતે સ્વપરહિતકારિણું કહીએ, તે પણ તે ઉચિત જ છે, આ વાતને લયમાં લઈને પહેલાંના અનેક મહા પુરૂષાએ વિવિધ ભાષામાં આ દેશનાની સંકલના કરી છે. પણ તેવી ભાષાના બીનપરિચયવાલા અને વિસ્તારથી સમજવાની ઈચ્છાવાલા ભવ્ય અને ચાલુ ભાષામાં સરલ પદ્ધતિએ તે દેશનાને ગોઠવવાથી મહા લાભ થશે, આવા આવા અનેક મુદ્દાને લક્ષ્યમાં રાખીને આ શ્રી દેશનાચિંતામણિ ગ્રંથની રચના કરી છે. વીસ તીર્થકરેની વીશ દેશનામાં આ પહેલા ભાગમાં શ્રી આદીશ્વર પ્રભુની દેશના જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy