________________
નથી. એથી સાબીત થાય છે કે માનવ ભવમાં જ આઠ પ્રવચન માતાની સેવના રૂપ ચારિત્ર સાધી શકાય અને મુક્તિપદ મેળવી શકાય. જેમ સોનીને સોનાના રજકણની કીંમત હોય છે, તેમ જેમને સમયની કીંમત હોય, અને જેઓ “સુમો રાદપિ પિ મનુ નાગુ આ વાકયને અનુસારે એમ ખાત્રી પૂર્વક સમજે છે કે કરોડો રત્ન દેતાં પણ ગયેલે સમય પાછો મેળવી શકાતો નથી. તેવાજ) અલ્પ સંસારી ભવ્ય છે પવિત્ર સત્તર પ્રકારના ચારિત્રને સિંહની માફક અંગીકાર કરી સિંહની પેઠે પાલે છે. આ બાબતમાં સમજવા જેવી ચઉભંગી આ પ્રમાણે જાણવી. (૧) સિંહની જેવા શૂરવીર થઈને ચારિત્ર ગ્રહણ કરે, અને સિંહની પેઠે પાલે. જેમ ધન્યકુમારે વૈભવ વિગેરે સાંસારિક સુખના સાધને છતાં પણ તે સાધને યથાર્થ સ્વરૂપે ક્ષણિક (અનિત્ય) જાણ્યા. આ બાબતમાં શાસ્ત્રકાર મહર્ષિ ભાગવંતે દ્રાક્ષના જેવી મીઠી શીખામણ આપતાં જણાવ્યું છે કેयत्प्रातस्तन्न मध्याहने, यन्मध्या ने न तनिशि निरीक्ष्यते भवेऽस्मिन्हि-पदार्थानामनित्यता ॥१॥ श्वःकार्यमद्य कुर्वीत-पूर्वान्हे चोपरान्हकम् ॥ न हि प्रतीक्षते मृत्युः-कृतमस्य न वा कृतं ॥२॥
चला लक्ष्मीश्चलाःप्राणाः-चलं चंचलयौवनम् ॥
चलाचलेऽस्मिन्संसारे-धर्म एका हि निश्चलः ॥ ३ ॥ તથા ધન્યકુમારે એમ પણ વિચાર્યું કે હું બીજા જીવોની માફક એકલો જ જન્મે છું અને મરતી વખતે પણ આ વિનશ્વર સંપત્તિ વિગેરે સાધન તજીને પરભવમાં એક જ જવાનો છું. દુનિયામાં કોઈ કોઈનું છેજ નહિ. સગાઈ સંબંધ પણ જ્યાં સુધી સામાને સ્વાર્થ હોય, ત્યાં સુધી જ દેખાય છે. સ્વાર્થ સર્યા પછી કેઈ સામું પણ જોતા નથી. મરણ પ્રસંગે રોકકળ કરનારા જીવ શાથી રૂદન વિગેરે કરે છે? આ પ્રશ્નો વિચારતાં કારણ એ જણાય છે કે મરનાર માનવ પિતે પિતાની હયાતિમાં રૂદન કરનારા માનવોને સુખના ઈષ્ટ સાધને મેળવી આપતો હતો અને અનિષ્ટ જવરાદિની વેદના ભેગવવા રૂપ માંદગીના પ્રસંગે નરેગ બનાવવાને યોગ્ય ઇલાજ પણ કરતો હતો, તે પોતાનો સ્વાર્થ સધાતો બંધ પડી ગયે, તેથી જ સગા વિગેરે કુટુંબિઓ રૂદન કરે છે. મારે આત્મા શાશ્વતો છે. તે નિર્મલ જ્ઞાનાદિ ગુણોથી ભરેલે છે. એને સંયમની આરાધના કરવા રૂપ મુક્તિના બાદશાહી રસ્તે ચલાવીએ જ પરમાનન્દમય મુક્તિપદ મેળવી શકાય જ્ઞાનાદિ ઉત્તમ આત્મિક ગુણો સિવાયના જે પદાર્થો છે, તે તો બાહા ભાવ છે. મોહથી જ આત્મા એ સંબંધ ધરાવે છે કે એ વસ્તુઓ મારી છે પણ તેમ તે છેજ નહિ. જે તેમ હોય તે પરભવમાં જતાં જીવને જેમ જ્ઞાનાદિ ગુણે સાથે જાય છે, તેમ બાહ્ય ભાવ પણ સાથે જવા જોઈએ. પણ જતા નથી જ. એથી સાબીત થાય છે કે મારી વસ્તુ તે જ્ઞાનાદિ ગુણો જ છે. બીજું નહીં જ. આવા ઉત્તમ વિચારો કરી શ્રીધન્યકુમારે સિંહની જેવા પરાક્રમી બનીને સંયમ સ્વીકારી તેને સાધવામાં સિંહ જેવા શૂરવીર બનીને આત્મવીર્ય એવું ફેરવ્યું કે જેથી અલ્પ સમયમાં જ્યાં રહેલા દેવ નિશ્ચયે એકાવતારી જ હોય છે, એવા સર્વાર્થસિદ્ધ વિમાનના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org