________________
પિતાને નમસ્કાર કરે પડતું હતું. અહીં ચારિત્રધારી મુનિવરે “સામે મને વાદે એમ ચાહે જ નહિ. પણ તેવા ગુણવંત સાધુઓને જેઈને નમસ્કાર કરનારા છે એમ વિચારે છે કે-અહો! આ પુણ્યશાલી મહાત્માઓને ધન્ય છે કે જેઓ કંચન અને કામિનીનો ત્યાગ કરી ઉભે પગે સંસારને છડી સાચા હદયના બાદશાહ બની પંખીની જેમ એક ગામથી બીજે ગામ અપ્રતિબદ્ધપણે વિચરી સંસારના ત્રિવિધ તાપથી તપેલા દુઃખી માનવોને સાચા સુખને પામવાનો સરિયામ રસ્તો બતાવી રહ્યા છે. બતાવે તે પણ નાટકીયાની માફક નહિ પણ તે બાદશાહી સરિયામ રસ્તામાં પોતે નિર્ભયપણે ચાલીને બતાવે છે. અને અમે તે જે સ્ત્રી કુટુંબ દેલત આદિ પદાર્થો જન્મતાં સાથે લાવ્યા નથી અને જેઓ મરતી વખતે સાથે આવનાર નથી, તેમજ બીજા ભવમાં ગયા પછી જે સ્ત્રી આદિ પદાર્થો યાદ પણ આવવાના નથી, જેઓના મેહમાં ફસીને ભવભવ સુખને દેનાર પવિત્ર ધર્મને પણ ભૂલી ગયા, તેવા પદાર્થોની ઉપાધિમાં રાચી માચી અનેક વિડંબના ભોગવી રહ્યા છીએ. પાપકર્મના તીવ્ર ઉદયથી વનને પણ ઉલ્લંઘી ગયા, એટલે ૬૦ થી પણ વધારે ઉંમર વીતી ગઈ છતાં અમને વૈરાગ્યને અંકુરે પણ પ્રકટ નહિ. હવે તે જરૂર ખાત્રી થઈ કે વાળ ધોળા થયા, પણ બુદ્ધિ ધળી થઈ નથી. માટે અમે આ મધથી લેપાયેલ તરવારની ધાર જેવા અથવા કિપાક ફલની જેવા વિષયને છેડી શકતા નથી. અને જેમણે ત્રિવિધે ત્રિવિધે આશ્રવેને છોડયા છે તેવા આ સંયમધારી મહાપુરૂષોને અમે વંદન સેવા કરી માનવ ભવને સફલ કરીએ આવી ઉત્તમ ભાવના ભાવીને તેવા મોટા મહદ્ધિક રાજા વિગેરે પુણ્યશાલી જીવ વંદના નમસ્કાર ઉપાસના કરે છે. આ પ્રણાલિકા મેવાડના રાજ્યમાં પણ રાણા પ્રતાપસિહના સમયથી માંડીને હાલ પણ પ્રત્યક્ષ દેખાય છે. અમે પણ નજરે જોયું છે કે સામાં આવતા ત્યાગી મહાત્માઓને દેખીને રાણા ફત્તેસિંહજી વાહન ઉભું રખાવી ઉભા થઈને બંને હાથે મસ્તકે લગાડી નમસ્કાર કરતા હતા. તેમ નવીન રાણા લેપાલસિંહજી પણ તેવાજ વિવેકી છે. એમ અનર્ગલ લક્ષમીવાળા રાજા વિગેરે ગુણી માને ચારિત્રના જ પ્રભાવે સાધુઓને નમે છે. ચારિત્રવંત પુરૂષોને આહાર-વસ્ત્ર-ધન સ્થાનાદિની બીલકુલ ચિંતા હતી જ નથી, જ્ઞાનાભ્યાસમાં પણ સંપૂર્ણ અનુકૂલતા હોય છે. અહીં પ્રશમ સુખનો અપૂર્વ આનન્દ મળે છે અને પરભવમાં મોક્ષને અથવા સ્વર્ગને લાભ મળે છે, પણ દુર્ગતિ મળેજ નહિ. આ બધો લાભ ચારિત્રને સમજીને ઉત્તમ વિવેકી પુરૂષોએ જરૂર ચારિત્રને અંગીકાર કરી નિર્મલ ભાવથી સાધીને મોક્ષ લક્ષ્મીના સુખ મેળવવા એજ માનવજીંદગીનું સાચું ફલ છે. જે કે દર્શન અને જ્ઞાન તો તરતમતાએ બીજી ત્રણ ગતિમાં પણ સંભવે છે, પરંતુ સર્વવિરતિ રૂપ ચારિત્ર એક મનુષ્યગતિમાં જ હોય છે. બાકીની દેવાદિ ત્રણ ગતિમાં હેતું નથી. માટે જ અનુત્તર વિમાનવાસી દે કે જેએ. નિશ્ચયે કરી નિર્મલ સમ્યગ્દષ્ટિ જ અને શ્રેષ્ઠ અવધિ જ્ઞાનવંત હોય છે અને થોડા ભામાં મેક્ષે જનારા છે. તથા સિદ્ધશીલાની નજીકમાં રહ્યા છે છતાં તેઓ ચારિત્રના જ અભાવે મુક્તિમાં જઈ શકતા નથી. એમ સર્વ વિરતિરૂ૫ ચારિત્રના જ અભાવે દેશવિરતિવાળા તિર્યંચે પણ મુક્તિપદ પામી શકતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org