SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વને પણ ઈચ્છા કરતા નથી. એવા ને ચારિત્રના જ પ્રતાપે અહીં પણ મેક્ષના સુખની વાનકી પ્રાપ્ત થાય છે, જુઓ પ્રશમ રતિને સાક્ષિ પાઠ – निर्जितमदमदनानां-वाकायमनोविकाररहितानाम || विनिवृत्तपराशानामिहैव मोक्षो न संदेहः ॥ १ ॥ તેમજ ચારિત્રની એક ચિત્તે આરાધના કરનારા ભવ્ય જીને સર્વ લબ્ધિઓ મળે છે. જુઓ અહીં દષ્ટાંત એ છે કે–શ્રી ગૌતમસ્વામિ ભગવંતને અનેક લબ્ધિઓ પ્રકટ થઈ હતી માટે જ કહ્યું છે કે__अंगुठे अमृत वसे, लब्धि तणा भंडार ॥ ते गुरु गौतम समरिए-मन वंछित फल दातार ॥ १ ॥ (પાપથી) નિવૃત્તિ ( શુભ ) પ્રવૃત્તિ મય ચારિત્રની નિર્મલ આરાધના કરનાર ભવ્ય જીને આ ભવમાં મહત્ત્વ (મોટાઈ) ત્રાદ્ધિ વિગેરે લાભ મળે છે અને પરભવમાં વિશાલ આનન્દથી ભરેલું મુકિતપદ મળે છે, પરમકૃપાલ શ્રી તીર્થકર ભગવંતે મેહનીયાદિ કમને સપની ઉપમા આપી છે, તેનું કારણ એ કે જેમ સર્પના ઝેરની અસર જેમને થયેલી છે, તે જીવ સ્વસ્થિતિનું ભાન ભૂલી જાય છે. તેવી રીતે મોહનીયાદિ કર્મોના ઉદયવાળા સંસારી જીવો પણ પોતાની ભૂલ શુદ્ધ સ્થિતિને ભૂલી જાય છે. તેવા કર્મો રૂપી સને વશ કરવાનું અપૂર્વ સાધન ચારિત્ર છે, સંવેગ રૂપી અમૃતરસથી ભરેલા કૂવા જેવું અને મક્ષ રૂપી રાજાની કચેરી જેવું પણ પવિત્ર ચારિત્ર છે. માટે જ કહ્યું છે કે कर्माहिकीलनीमन्त्रः-संवेगरसपिका ॥ નિગમમાથાની-તપસ્યા પરમેશ્વર છે કેઈક ભાગ્યશાલી છે જ અવિચ્છિને પ્રભાવશાલો ત્રિકાલાબાધિત શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલા ઉત્તમ ધર્મ રૂપી કારીગરે બનાવેલા શ્રેષ્ઠ મનુષ્ય જન્મ રૂપી મહેલની ઉપર વિશિષ્ટ ગુણવાળે નિર્મલ દીક્ષારૂપી જ ચઢાવે છે. જો કે મોહાંધ જેવો પવિત્ર ચારિત્રની આરાધનામાં અજ્ઞાન દષ્ટિએ વિહારાદિ પ્રસંગે દુઃખ જુવે છે, પણ તત્ત્વષ્ટિએ જ્ઞાની પુરુષો તો સુખ જ માને છે. કારણ તેવા વિહારાદિ સાધને ભવિષ્યમાં અકાન્તિક અને આ તિક સુખને દેનારા છે. જ્યારે મેહનીય અને જ્ઞાનાવરણીય કર્મોનું જોર ઘટે તેજ આવો ઉત્તમ વિચાર પ્રકટે છે. પરમ પુનિત ચારિત્રની આરાધનામાં લીન બનેલા મુનિવરોને દુર્ગતિદાયક આરંભાદિ દેષ સેવવા પડતા નથી. આશાને ગુલામડી બનાવેલી હોવાથી અને સ્વકર્તવ્યો બજાવવામાં સર્વદા સાવધાન હોવાથી સરકાર વિરક્ત ત્યાગી પુરૂષોને (અવિનીતસ્ત્રી-પુત્ર-સ્વામિ વિગેરેના) તિરસ્કાર ભરેલા વચને સહન કરવા પડતા નથી. તેમજ ચારિત્રના જ પ્રતાપે તેમને તે રાજા મહારાજાઓ પણ નમે છે કે જેમને ચારિત્ર પામ્યા પહેલા - ૧ મોક્ષની ઇચ્છા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy