________________
દેશનાચિંતામણિ ]
૩૨૩ ગ્રંથિનું સ્વરૂપ જણાવે છે – વાંસ કેરી ગાંઠ જેવા ભાવ રાગ દ્વેષના,
ગ્રંથિ જાણો એહ હોડી જેમ રે વાયુના પાછી હઠે તિમ કેઈ જેરે તીવ્ર રાગ દ્વેષના,
પાછા હઠે કેઈક રહે ત્યાં જાસ મધ્યમ ભાવના. ૪ર૬ અર્થઃ—જેમ વાંસની ગાંઠ ભેદવી મુશ્કેલ છે તેમ તેના સરખી રાગ દ્વેષના પરિણામ રૂપ ગ્રન્થિ ગાંઠ તે પણ ભેદવી મુશ્કેલ જાણવી. જેમ હાડી પવનના જેરથી પાછી હઠે છે તેમ કેટલાક જી તીવ્ર એટલે આકરા રાગ દ્વેષને ઉદય થવાથી પાછા હઠી જાય છે. એટલે ગ્રન્થિને ભેદ કરી શકતા નથી, કારણ કે તેમની પરિણામની વિશુદ્ધિની જે ધારા ચાલતી હોય તે મંદ પડી જાય છે. આવા પ્રકારના છ પતિત પરિણામ જાણવા. વળી જેમની મધ્યમ ભાવના હોય એટલે જેઓ મધ્યમ વિશુદ્ધ પરિણામ વાળા હોય તે જ ગ્રન્થિ સુધી આવીને ત્યાં જ બહુ કાલ સુધી સ્થિર રહે છે પરંતુ તેઓ ગ્રન્થિભેદ કરતા નથી, તેમજ તેઓ પ્રન્થિના સ્થાનથી પાછા પણ વળતા નથી. આવા જ અવસ્થિત પરિણામી જાણવા. ૪ર૬
અપૂર્વ કરણ વિગેરેનું સ્વરૂપ જણાવે છે – આત્મ વિલ્લાસ પ્રગટાવી અપર કરણે કરી,
ગ્રંથિભેદ કરંત ચઉ ગતિ જીવ સ્થિરતા આદરી; તે પછી અનિવૃત્તિથી મિથ્યાત્વને વિરલું કરી,
પામતા સમ્યકત્વને હરખાય જીતી ભટ અરિ. ૪ર૭ અથર–જેમની વિશુદ્ધિની ધારા વધતી જાય છે એટલે સમયે સમયે અનંતગુણી વિશુદ્ધિ વધતી જાય છે તેવા ભવ્ય જીવે બીજા અપૂર્વ કરણે કરીને ગ્રન્થિભેદ કરે છે. એટલે કર્મ જનિત જે ગાઢ રાગ દ્વેષના પરિણામ હતા તેને પિતાની વિશુદ્ધિ વડે મંદ પાડી દે છે. આ ગ્રન્થિભેદ ચારે ગતિના સંજ્ઞી પંચેંદ્રિય જીવ સ્થિરતા આદરીને એટલે વિશુદ્ધિથી પાછા નહિ પડીને કરે છે. અને તે ગ્રન્થિભેદ કર્યા પછી ત્રીજા અનિવૃત્તિ કરણ વડે મિથ્યાત્વને વિરલ કરે છે એટલે મિથ્યાત્વને ઓછા માદક ભાવવાળું કરે છે. તેથી મિ. થ્યાત્વની સ્થિતિના બે વિભાગ કરીને વચમાં અન્તર્મુહૂર્ત જેટલું આંતરૂ કરે છે. તેમાંની પહેલી અંતર્મુહર્ત પ્રમાણે પ્રથમ સ્થિતિને ભેગાવીને તે અન્તર્મુહુર્તવાળા આંતરામાં આવીને સમકિત પામે છે. તે વખતે જેમ કેઈ સુભટ શત્રુને જીતીને અતિ હર્ષ પામે તેમ તે સમકિતી જીવ પણ અત્યંત હર્ષ પામે છે. ૪ર૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org