________________
(R
[ શ્રી વિજયપદ્યસૂરિકૃત " અર્થ થા મોહનીય કર્મની સીત્તેર કોડાકડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તથા છઠ્ઠા નામ કર્મની અને સાતમા ગોત્ર કમની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાછેડી સાગરેપમ પ્રમાણ છે, એ વાત કદાપિ ભૂલવી નહિ. જેવી રીતે નદીને પત્થર ઘસાતાં ઘસાતાં જેમ સ્વાભાવિક એટલે કુદરતી રીતે ગેળ થઈ જાય છે, તેમ ઉપર ગણાવેલી સ્થિતિમાંથી સ્વભાવે જ અકામ નિર્જરા વિગેરે કારણે વડે ઘણી સ્થિતિને ક્ષય ( ઘટાડે) થાય છે. ૪૨૪ ત્રીસમાંથી અધિક ઓગણત્રીસ વીસમાંથી ઓગણી,
સિત્તરમાંથી એમ અગણતર કડાકડિની સ્થિતિ ઘડંતાં પામતા આથી જ ગ્રંથિ પ્રદેશને,
જાય કરે તે વિણસે વસ્ત્ર કેરા ડાઘને. કર૫
અર્થજે ચાર કર્મોની ત્રીસ કેડાછેડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ છે તેમાંથી એગણત્રીસ કડાકોડી સાગરોપમથી કાંઈક અધિક પ્રમાણની સ્થિતિ ઘટી જાય એટલે એ છી થાય છે. મેહનીયની સિત્તેર કડાકડી સાગરેપમની સ્થિતિમાંથી અગતેર કડાકોડી સાગરપમથી અધિક પ્રમાણમાં ક્ષય થાય છે. તથા નામ અને ગોત્રની વીસ કેડાછેડી સાગરોપમમાંથી ઓગણીસ કેડાછેડી સાગરોપમથી અધિક સ્થીતિ ઘટી જાય એટલે સાતે કર્મની એક કેડીકેડી સાગરોપમ અંદર એટલે અંત કેડાછેડી સાગરોપમ પ્રમાણે સ્થિતિ રહે ત્યારે ગ્રંથિ પ્રદેશને પામે છે, એટલે ગ્રન્થિપ્રદેશની નજીક આવે છે. જેમ ડાઘવાળા ને મેલા વસ્ત્રને લાગેલે કચરે પ્રથમ દૂર થાય, ત્યાર પછી જ તે વસ્ત્રને જે ડાઘ તે નીકળી શકે, તેવી રીતે અહીં પણ ઘણી મોટી કર્મસ્થિતિ રૂપ કચરે નાશ પામ્યા પછી જ ગ્રંથી રૂ૫ ડાઘને નાશ કરી શકાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બાકીની એટલે પલ્યોપમના અસંખ્યાતમા ભાગે કરી ન્યૂન એક કેડાછેડી સાગરોપમ પ્રમાણે સ્થિતિ સિવાયની ઘણું સ્થિતિનો નાશ થવાનું શું કારણ? આ પ્રશ્નને સ્પષ્ટ ખુલાસો જણાવવાને માટે વસ્ત્રના ડાઘનું દષ્ટાંત જણાવ્યું છે. અહીં વસની જગ્યાએ મિથ્યાત્વી જીવને આત્મા સમજે, અને ડાઘની જગ્યાએ ગ્રંથી સ્થાન સમજવું. તથા ડાઘની ઉપર ચેટેલા કચરાની જેવી કર્મની લાંબી સ્થિતિ સમજવી. ગ્રંથિની વ્યાખ્યા તથા ત્રણે કરણને કેમ સમજાવનારી બે ગાથા આ પ્રમાણે જાણવી.
गंठित्ति सुदुब्भेओ-कक्खडघणगूढरूढगंठिव्व ॥ जीवस्स कम्मजणिओ-घणरागदासपरिणामो ॥ १ ॥ जा गंठी ता पढम-गठिं समइच्छओ भवे बीयं ॥ अनियट्टिकरणं पुण-सम्मत्तपुरक्खड़े जीवे ॥२॥
૪૨૫ . .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org