SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણિ ] ૩૨ કૃતકના એટલે પ્રથમનાં બાંધેલા કર્મોને ભેગવતે દુઃખેને સહન કરે છે, અનુક્રમે તે જીવ અકથ્ય નિર્જરા વગેરે કારણોના સમુદાયના પ્રભાવથી વ્યવહાર રાશિમાં એટલે બાદર નિગોદ વગેરે અવસ્થામાં દાખલ થાય છે, અકામ નિર્જરા એટલે ઈચ્છા વિના દુઃખને સહન કરવાથી થતી અ૯૫ નિર્જરા ( જાણવી,) એ પ્રમાણે અકામ નિર્જરાથી વધતા વધત સંજ્ઞી પંચેદ્રિય પર્યાપ્તામાં ઉત્પન્ન થાય, ત્યાં દ્રવ્યાદિથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી તથાભવ્યત્વ સ્થિતિના પરિપાકને પામે છે, તેથી તે જીવને મે ક્ષે જવાને કાલ ઘણો થોડો બાકી રહે છે. ત્યાર બાદ યોગ્ય અવસરે મોક્ષે જવા દગ્ય સમ્ય દર્શનાદિકને અનુકૂળ સાધનો મેળવી શુભ પરિણામમાં આગળ વધી યથાપ્રવૃત્ત કરણ પ્રાપ્ત કરે છે. ૪રર : તાસ ગ્રંથિ પ્રદેશ કેરા શુદ્ધ અધ્યવસાય એ, પહેલું યથાપ્રવૃત્ત કરેણ વિચાર ઈમ મન ધારીએ; પ્રથમ બીજા કર્મ ત્રીજા વેધ અષ્ટમ વિનાની, જાણો સ્થિતિ તીસ કેડાર્કડિ સાગર ચારની. ૪ર૩ ' અર્થતે ભવ્ય જીવના ગ્રથિ પ્રદેશને પમાડનારા ( ત્યાં સુધીની હદના) જે શુદ્ધ અધ્યવસાય તે પહેલું યથાપવૃત્ત કરણ જાણવું. ઘન-ગાઢ રાગ શ્રેષના પરિણામ રૂપ જે અધ્યવસાય તે ગ્રન્થિ અથવા ગાંઠ કહેવાય. (જેમ સજજડે પડી ગએલી ગાંઠ ઉકેલવી મુશ્કેલ હોય છે તેમ આ અધ્યવસાય રૂપી ગાંઠ પણ નાશ કરવી મુશ્કેલ છે) અહીં સુધી અભવ્ય છે પણ આવે છે. પરંતુ તે જી ગ્રન્થિ ભેદ કરી શકતા નથી, અને જેટલા ભવ્ય જીવો પણ ગ્રન્થિ સ્થાન સુધી આવે છે તે બધા એ પ્રન્થિ ભેદ કરી શકતા નથી, પરંતુ જેઓને સમકિતની પ્રાપ્તિ થવાની હોય તેઓ જ ઉત્કૃષ્ટ આત્મબળ ફેરવીને ગ્રન્થિભેદ કરી શકે છે. અહિં યથા એટલે પહેલાંના જેવી, પ્રવૃત્તિ એટલે ક્રિયા કરતાં જે (સારા) અધ્યવસાય પ્રકટે, તે યથાપ્રવૃત્તિ કરણ કહેવાય છે. એ પ્રમાણે યથાપ્રવૃત્ત કરણના શબ્દાર્થની વિચારણું મનમાં વિચારવી. અહીં આગળ કર્મની કેટલી કેટલી સ્થિતિ ઓછી થાય તે જણાવવાને માટે પ્રથમ ક્યા કયા કર્મની સ્થિતિ કેટલી કેટલી હોય છે તે જણાવે છે–પ્રથમ જ્ઞાનાવરણીય કર્મની અને બીજા દર્શનાવરણીય કર્મની તથા ત્રીજા વેદ્ય એટલે વેદનીય કર્મની અને અષ્ટમ એટલે આઠમા વિન એટલે અંતરાય કર્મની એમ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકડી સાગરોપમની જાણવી. ૪ર૩ સિત્તર કડાકડિ સાગર મોહની સ્થિતિ જાણીએ, વીસ સાગર નામ ગાત્ર તણી કદી ના ભૂલીએ; પત્થર નદીને જિમ ઘસાતાં હોય ગોળ સ્વભાવથી, ઉક્ત સ્થિતિમાંથી ઘણો ક્ષય હોય તેમ સ્વભાવથી. કર૪ ૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy