________________
૩૧૮
2. [ શ્રી વિજયપધસૂરિકૃતસિદ્ધિપદને પામ્યા પહેલાંની અવગાહના વિગેરે જણાવે છે ઉંચાઈ સગ કર પાંચસે ધનુ જિનપતિને આશ્રયી,
- બે હાથની અવગાહના પણ અન્ય જનને આશ્રયી; સિદ્ધનું સુખ સુર અનુત્તરથી અનંતા વર્ગનું,
કેવલી ન કહી શકે સુખ તેહ અનહદ સિદ્ધનું. ૪૧૭ અર્થ:~-જિનપતિ એટલે તીર્થકરને આશ્રીને જઘન્યથી સાત હાથની ઉંચાઈ હોય છે, અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્ય એટલે ૧ (પા) ગાઉની ઉંચાઈ હોય છે અને સામાન્ય જિનને આશ્રીને જઘન્યથી બે હાથની ઉંચાઈ હોય છે એટલે સિદ્ધમાં તેમની અવગાહના એક હાથને આઠ આંગળની હોય છે, આ સિદ્ધની જઘન્ય અવગાહના જાણવી. અને સામાન્ય જિનની પણ ઉકૃષ્ટથી પાંચસો ધનુષ્યની અવગાહના જાણવી, તથા સંસારી જીવોમાં સૌથી ઉત્કૃષ્ટ સુખ અનુત્તર વાસી દેવેનું ગણાય છે, તેમાં પણ સર્વાર્થસિદ્ધ દેવેનું સુખ અધિક ગણાય છે તેથી પણ સિદ્ધ ભગવાનનું સુખ અનંતગુણ અધિક હોય છે, અને તે અનહદ એટલે મર્યાદા રહિત અનંત સુખને કેવલી જાણે ખરા પરંતુ કહી શક્તા નથી, કારણ કે સુખ અનન્ત છે. અને કેવળી પ્રભુનું આયુષ્ય થોડું છે. ૪૧૭
બે લોકમાં સિદ્ધ પ્રભુના સુખનું સ્વરૂપ જણાવે છે – અન્નાદિનું ફળ સ્વસ્થતા ક્ષણવારની સંસારીને,
પણ નિરતર સ્વસ્થતા કાયમ રહેતી સિદ્ધને સિદ્ધના આનંદની ઉપમા ન દીસે જગતમાં,
- તે કારણે અનુપમ કહ્યું સુખ સિદ્ધ પ્રભુનું સિદ્ધિમાં ૪૧૮
અથ–જેમ ભૂખ્યા માણસને અન્નાદિ એટલે ધાન્ય, ફળ વગેરે ખાદ્ય પદાર્થો ક્ષણ વાર એટલે થોડા વખત સુધી સ્વસ્થતા એટલે શાંતિ આપે છે, અને ત્યાર પછી ફરીથી ભૂખ લાગે છે તેથી અસ્વચ્છતા થાય છે. તેવી રીતે સિદ્ધના જીવને નથી, કારણ કે તેમને તે સુધાદિકના અભાવે નિરન્તર એટલે હંમેશાં કાયમની શાંતિ હોય છે. તેથી સિદ્ધના આનંદની ઉપમા જગતમાં આપી શકાય તેવી સામી બીજી વસ્તુ છે જ નહિ. તેથી મોક્ષમાં સિદ્ધ ભગવાનનું સુખ અનુપમ એટલે ઉપમા રહિત કહેલું છે. એટલે આ પદાર્થના જેવું સિદ્ધનું સુખ છે, એમ ન કહી શકાય. કારણ કે જગતમાં તે પદાર્થ નથી, કે જેની ઉપમા દઈને સિદ્ધનું સુખ યથાર્થ વર્ણવી શકાય ૪૧૮ જંગલનિવાસી નગરમાં જઈ ભગવે વર શર્મને,
નિજ ઠાણ આવી કહી શકે શું ? વિણ કલ્યા ઉપમાનને;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org