SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૩૧૭ તેમ તે તુંબડું ઉપર આવતું જાય છે અને માટી બધી ખરી જાય ત્યારે તે તુંબડું પાણીની સપાટી ઉપર આવે છે, તેમ જીવને કર્મરૂપી લેપ જતો જાય તેમ તેમ જીવ પણ ઉર્ધ્વ ગતિને પામે છે. એમ કર્મ મેલ સંપૂર્ણ નાશ પામે ત્યારે જીવ ઉચે જાય છે. તથા (૩) ત્રીજું કારણ બંધન છેદ એટલે બંધનને છેદ થવાથી ઉર્ધ્વ ગતિ થાય છે, તેનું દષ્ટાન્ત આ પ્રમાણે જાણવું–જેમ એરંડાનું બીજ બંધનમાંથી છૂટે ત્યારે પ્રથમ ઉંચું ઉછળે છે તેમ જીવ પણ કર્મ રૂપી બંધનથી છુટીને ઉચે જાય છે. તથા (૪) ચોથું કારણ ઉર્ધ્વ ગૌરવ જાણવું. જેમ ધુમાડે સ્વભાવે જ ઉંચે ચડે છે તેમ જીવનો સ્વભાવ પણ ઉદ્ઘ ગમન કરવાને છે, આ ચાર કારણથી સિદ્ધનો જીવ ઉર્ધ્વ ગમન કરે છે. પરંતુ લોકાંતથી આગળ અલકમાં ઉર્ધ્વગમન થતું નથી, કારણ કે ત્યાંથી આગળ અલકમાં ધર્માસ્તિકાય નથી. અને ધર્માસ્તિકાય વિના જીવ પુલનું ગમન થતું નથી. વળી જીવ મોક્ષે જતાં શરીરના કોઈ પણ એક અવયવ દ્વારાએ નીકળતો નથી, પરંતુ શરીરના સર્વ ભાગમાંથી એક સાથે બહાર નીકળે છે. વળી સિદ્ધની સ્પેશગતિ કહી છે એટલે અહીંથી નીકળતાં જે આકાશ પ્રદેશ સ્પર્યા છે તે સિવાય બીજા આકાશ પ્રદેશને સ્પર્યા સિવાય એક સમયમાં જ મેટ્સ પહોંચે છે, કારણ કે જે વચલા આકાશ પ્રદેશને સ્પર્શે તો લેકાંતે જતાં ઘણે કાલ થઈ જાય વળી જ્યાં એક સિદ્ધ છે ત્યાં તેજ જગ્યામાં અનંત સિદ્ધ રહેલા છે. ૪૧૫ સિદ્ધશિલામાં કઈ રીતે સિદ્ધ રહે છે તે સ્પષ્ટતાથી જણાવે છે – દીપક પ્રભા અપવરકમાંહિ સમાય તિમ બહુ દીપનું, તેજ પણ તેમાં સમાયે એમ રહેવું સિદ્ધનું નિયત નહિં સંસ્થાન પ્રભુનું અનિવૅસ્થ વચન ઈહાં, પૂર્વ ભવના જેવો આકાર પ્રભુનો છે તિહાં. ૪૧૬ અર્થ –જેમ એક દીવાને પ્રકાશ એક અપવરક એટલે ઓરડામાં સમાય છે એટલે તે દીવાના પ્રકાશના પગલેથી જે આખો ઓરડે પૂરાઈ ગયું છે તે જ ઓરડામાં બીજા ઘણું દીવાનો પ્રકાશ પણ સમાઈ શકે છે. તેવી રીતે જ્યાં એક સિદ્ધ રહેલ છે ત્યાં અનંતા સિદ્ધો પણ રહી શકે છે. તથા સિદ્ધિ ગતિમાં સિદ્ધ પ્રભુનું સંસ્થાન એટલે આકાર નિયત નથી. એટલે તેમનો અમુક એક પ્રકારને જ આકાર હોય એવું નથી, તેથી પ્રભુનું સં. સ્થાન અનિત્થસ્થ (અનિયત) એવા નામે પ્રસિદ્ધ છે. કારણ કે પૂર્વ ભવમાં એટલે છેલ્લા મનુષ્યભવમાં જીવને જેવો આકાર હતો તે જ સિદ્ધને આકાર સિદ્ધ અવસ્થામાં હોય છે, વળી પૂર્વ ભવમાં સિદ્ધની જે અવગાહના-ઉંચાઈ હતી, તે અવગાહનામાં પિલાણ ભાગે આત્મપ્રદેશ વડે પૂરાઈ જાય છે. તેથી બે તૃતીયાંશ અવગાહના બાકી રહે છે. તેથી જ પ૦૦ ધનુષના પ્રમાણુવાળે જીવ એક તૃતીયાંશ ભાગ ઘટવાથી ૩૩૩ ધનુષ ૩૨ અંગુલ જેટલી જ અવગાહના રાખીને સિદ્ધિગતિમાં જાય છે. ૪૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy