________________
૩િ૧૪
[ શ્રી વિપક્વસૂરિકૃતજેથી પાંચ ધનુષ્ય એ જનને સોળમે ભાગ છે, તેમાંથી એક તૃતીયાંશ એ છો થયે એટલે ૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગુલ રહ્યા. તે જનને એટલે ૮૦૦૦ ધનુષ્યને વીસ ભાગ જાણ. તથા અહીં રહેલા સિદ્ધો પિતાના જ્ઞાનાદિક ગુણમાં રમણતા કરવા રૂપ આનંદમાં તલ્લીન રહે છે. ૪૦૮
અગીઆર લેકમાં સિદ્ધનું સ્વરૂપ જણાવે છે – જીવપણું સંસારીનું જિમ દ્રવ્ય પ્રાણ નિયગથી,
તેમ સિદ્ધનું જીવપણું છે ભાવ પ્રાણ નિયોગથી; તીર્થ સિદ્ધાદિક પ્રકારે ભેદ પંદર જાણીએ,
ધ્યેય નિર્મલ ચાવીને નિર્મલ પરમપદ પામીએ. ૪૦૯ અર્થ-જેમ સંસારી જીવમાં જીવપણું દ્રવ્ય પ્રાણુના સંબંધથી એટલે પાંચ ઈન્દ્રિય, મન બેલ, વચન બલ, કાય બલ, એ ત્રણ બલ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એ પ્રમાણે દશ પ્રકારના દ્રવ્ય પ્રાણમાંથી સંભવતા દ્રવ્ય પ્રાણના સંયોગથી છે. તેમ સિદ્ધિમાં રહેલા મેક્ષના જીવમાં જીવપણું ભાવ પ્રાણરૂપ જ્ઞાનાદિક ગુણેના સંબંધથી જાણવું. તથા આ સિદ્ધના તીર્થસિદ્ધ અતીર્થસિદ્ધ વગેરે પંદર ભેદો જાણવા. જો કે મોક્ષમાં ગએલા સર્વ છે તે સરખા જ છે, છતાં આ પંદર ભેદ તેઓ અહીંથી મેક્ષમાં ગયા તે વખતની તેમની પૂર્વ અવસ્થાને લીધે કહ્યા છે. હે ભવ્ય છે ! આ સિદ્ધ પ્રભુ રૂપ નિર્મલ ધ્યેયના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરીને નિર્મલ એટલે કર્મ રૂપી મલથી રહિત પરમ પદ જે મક્ષ તેને પામ. ૪૯
સિદ્ધને જન્મ વિગેરે ન હોય, તેમાં કારણ વિગેરે જણાવે છે – અહિં તજી દેહાદિ સિદ્ધિ વિષે રહે શાશ્વતપણે,
બીજ બળતાં હોય ના અંકર ભવ અંકુરને; અવકાશ રજ ના ઉપજવાનો કર્મ બીજ બળી જતાં,
કાર્ય હોવે કેમ કારણ મૂળથી જ વિનાશતાં. ૪૧૦ અર્થ ––આ સિદ્ધના જીવો અહીં એટલે જે ભવમાં મેક્ષે ગયા તે ભાવમાં દેહાદિ એટલે શરીર, આયુષ્ય, કર્મ વગેરેને સર્વથા ત્યાગ કરી સિદ્ધિમાં એટલે મુક્તિમાં શાશ્વત પણે રહ્યા છે, એટલે ત્યાંથી કદાપિ સંસારમાં પાછું આવવું ન પડે તેવી રીતે રહેલા છે. અને એ મેળવેલી મેક્ષ અવસ્થા હંમેશાં કાયમ રહેવાની છે અને કદાપિ જતી રહેવાની નથી. કારણ કે જેમ બોજ બળી જાય તો તેમાંથી અંકુરો એટલે ફણગો ઉત્પન્ન થતો નથી, તેમ તે સિદ્ધના જીને ભવ એટલે ચાર ગતિ રૂપી સંસારરૂપી અંકુરોને ઉપજવાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org