________________
દેશનાચિંતામણિ ]
૩૧૩ અને તે સર્વ સિદ્ધો લેકાંતને અડીને એટલે સ્પર્શીને રહેલા છે. આ સિદ્ધ શિલાગે ક્ષીર; એટલે ગાયનું દૂધ, હિમ એટલે બરફ તથા ચંદ્રને પણ હસનારી છે એટલે એ દૂધ બરફ અને ચંદ્રમાથી પણ અધિક ઉલ અથવા સફેદ છે. ૪૦૬
સિદ્ધશિલાને આકાર વિગેરે જણાવે છે – સંસ્થાન છત્રાકાર એનું બાર નામે શેભતી,
બહુ મધ્યમાં જોડાઈ ગણતાં આઠ જનની થતી; બે બાજુ આગળ અનુક્રમે હવે ઘટાડે તેહમાં.
પ્રતિયેજને અંગુલ પૃથકત્વે રાખજે ઈમ ધ્યાનમાં ૪૦૭. અર્થ –આ સિદ્ધ શિલાનું સંસ્થાન એટલે આકાર છત્રાકાર એટલે ઉત્તાન છત્રના આકારે છે. વળી તે બાર નામ વડે શોભાયમાન છે. આ શિલાની બરાબર મધ્ય ભાગમાં જાડાઈ ગણુએ તે આઠ યોજન પ્રમાણે થાય છે. ત્યાંથી બંને બાજુએ છેડા તરફ અનુક્રમે ઘટાડો થતો જાય છે એટલે જાડાઈ ઓછી ઓછી થતી જાય છે. એટલે એક એક યેજને અંગુલ પૃથકત્વ એટલે ૨ થી ૯ આંગળ જેટલો ઘટાડો થાય છે એ વાત ધ્યાનમાં રાખજે. ૪૧૭
સિદ્ધશિલાની જાડાઈમાં ઘટાડો વિગેરે જણાવે છે – અંગુલાસંખ્યય ભાગ પ્રમાણ અંતિમ ભાગમાં,
મક્ષિકાની પાંખ કરતાં પાતળી જાડાઈમાં અહિંથી ઉપર જન તણા ચોવીસમા તે ભાગમાં,
અંતિમ સિધો વસે નિજ ગુણ રમણતાનંદમાં, ૪૦૮. અર્થ –એ પ્રમાણે ઘટતાં ઘટતાં અંતિમ ભાગમાં એટલે છેવટના છેડે જાડાઈ અંગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ રહે છે એટલે તેની જાડાઈ માખીની પાંખ કરતાં પણ પાતળી હોય છે. અહીંથી ઉપર એક એજનના ઉપરના છેલ્લા ચોવીસમા ભાગમાં સિદ્ધો વસે છે, કારણ કે સિદ્ધની ઉત્કૃષ્ટ અવગાહના એક એજનના ચોવીસમાં ભાગ પ્રમાણ હોય છે. મનુષ્યનું ઉત્કૃષ્ટ શરીર ત્રણ ગાઉનું છે, અને તે યુગલીયાનું હોય છે, પરંતુ તેઓ મેક્ષે જતા નથી. પરંતુ જેની પાંચસો ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના હોય તે મેક્ષે જાય, અને મોક્ષે જાય ત્યારે અહીંની અવગાહનામાંથી ત્રીજો ભાગ ઓછો થાય છે.' '' ૧ સિદ્ધશિલાના બાર નામ આ પ્રમાણે --૧ ઈષત, ૨ ઈષત ઠાભાર, ૩ તન્વી, ૪ તનુતનવી, ૫ સિદ્ધિ, ૬ સિદ્ધાલય ૭ મુકિત, ૮ મુકતાય, ૯ લેકાર્ચ, ૧૦ લોકતૃપિકા, ૧૧ લોકાગ્ર પ્રતિવાહિની; ૧૨ સર્વ જીવ સુખાવહા. એ ૧૨ નામ સિદ્ધશિલાના જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org