SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૩૧ નારકીને કુંભિમાંથી ખેંચતા દુઃખ જેહવું, તેહવું દુઃખ જન્મકાલે મેક્ષમાં નહિં એહવું. ૪૦૨ અર્થ:–ચાર ગતિ રૂપી સંસારમાં જેવાં દુખે છે તેવા દુઃખોમાંનું કઈ પણ દુઃખ મેક્ષમાં નથી. તે આ પ્રમાણે-નરકમાં થતી વેદનાના જેવું ગર્ભનું દુઃખ મેક્ષમાં લગાર પણ નથી, કારણ કે જેમ ગર્ભમાં અમુક વખત રહેવાનું હોય છે અને ત્યાર પછી જન્મ થાય છે તેવું મેક્ષમાં ઉપજવાનું નથી, કારણ કે અહીંથી એકજ સમયની ઋજુગતિ વડે જીવ મેક્ષમાં જાય છે. વળી કુંભિમાં ઉત્પન્ન થએલા નારકીને કુંભિમાંથી ખેંચતાં અથવા પિતાની મેળે નીકળતાં જેટલું દુઃખ થાય છે તેટલું દુઃખ જન્મ વખતે મનુષ્યને હોય છે, તેવું દુઃખ મેક્ષમાં નથી. કારણ કે ત્યાં જન્મ લેવાના કારણે જ નથી. ૪૦૨ શલ્ય જેવી આધિ વ્યાધિ લેશ પણ નહિ મોક્ષમાં, પુદગલ વિપાકી કર્મ કરે ઉદય નહિ તનુ વિરહમાં; અગ્રદૂતી યમ તણી તિમ ચરનારી તેજને, મેક્ષમાં ન જ કરે જે બહુ પરાધીનત્વને. ૪૦૩ અર્થ --શલ્ય એટલે ખેલ અથવા કાંટે. જેમ તે કર્યો જે વાગ્યું હોય તે જ્યાં સુધી નીકળે નહિ ત્યાં સુધી સાલ્યા કરે છે અને દુઃખ આપે છે તેવી શલ્ય સરખી આધિ એટલે મનની પીડા તથા વ્યાધિ એટલે શરીરની પીડા લેશ માત્ર પણ મોક્ષમાં નથી. વળી મોક્ષમાં તનુ વિરહ એટલે શરીરનો વિરહ એટલે અભાવ હોવાથી પુગલવિપાકી (એટલે પુદ્ગલને વિષે જ ઉદયવાળી, છત્રીસ પ્રવૃતિઓને ત્યાં ઉદય નથી. વળી યમરાજાની દૂત એટલે જાસુસ સરખી અને તેજને એટલે બળને હરનારી તે જરા એટલે ઘડપણ કે જે બધા પ્રકારની પરાધીનતાને આપનારી છે તે પણ મેક્ષમાં બીલકુલ નથી, તે કારણથી મેક્ષમાં સદાકાળ એક જ પ્રકારની સ્થિતિ કાયમ રહે છે. ૪૦૩ ચાર ગતિના મરણ જેવાં મરણ કદી નહિ મેક્ષમાં, વાસ સાદિ અનંત અંગે સિદ્ધનો છે મેક્ષમાં જન્મ વિણ હોયે મરણ ના જન્મ હોય ને તન વિના, કર્મ વિણ ન શરીર કર્મો નાશ પામ્યાં સિદ્ધનાં. ૪૦૪ અર્થ:--જેવા પ્રકારનાં મરણ ચાર ગતિમાં થાય છે તેવાં મરણ કદાપિ મોક્ષમાં થતાં નથી. એટલે મોક્ષમાં મરણ જ થતું નથી, કારણ કે સિદ્ધના જીવને મોક્ષમાં સાદિ અનંત ભાગે વાસ છે, એટલે જ્યારે જીવ મેક્ષમાં ગયો ત્યારે તેની સાદિ એટલે શરૂઆત - થઈ અને ત્યાંથી કદાપિ પણ અહીં સંસારમાં આવવાનું નથી એટલે અનંત કાળ સુધી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy