________________
૩૧૦
| શ્રી વિજ્યપધસૂરિકૃતનૃપતિ હવે એક ભિક્ષક અપર દેવાદિક બને,
અવલોકીએ પ્રત્યક્ષ બહુધા કર્મનાજ બનાવને. ૪૦૦ અર્થ:--વળી કર્મના ઉદયથી જ એક જીવ શેઠ થાય છે ત્યારે બીજે જીવ દાસ એટલે નેકર બને છે. તથા એક રેગવાળો થાય છે ત્યારે બીજે નિરેગ એટલે રેગ રહિત શરીરવાળો થાય છે. એક લક્ષ્મી એટલે પૈસો પામે છે. ત્યારે બીજે ગરીબ થાય છે. એક બીજાને પ્રિય થાય (હાલે લાગે) છે ત્યારે બીજે અપ્રિય એટલે અળખામણે થાય છે. એજ પ્રમાણે એક નૃપતિ એટલે રાજા બને છે, તે બીજે ભિક્ષુક એટલે ભિખારી થાય છે. એક જીવ દેવ થાય છે, એક મનુષ્ય થાય છે, એક નારકી થાય છે. એ પ્રમાણે આ, બધા માં આત્મપણું સમાન છતાં પણ આ અનેક પ્રકારની પ્રત્યક્ષ વિચિત્રતા જણાય છે, તે મુખ્યત્વે કર્મના જ બનાવ એટલે કર્મના જ કાર્યો જાણવાં, અથવા કર્મને જ ફળ જાણવાં. ૪૦૦
ચાલુ પ્રસંગે પ્રભુજી શીખામણ આપે છે – નાટક તણા થીએટરે એકટર વિવિધ ભાવે ભજે,
સંસાર થીએટર વિષે જન ભાવ વિવિધા ઇમ ભજે, તિણ ભવ્ય છ દૂધથી જિમ અને સંસારને,
પિષો નહિ તિમ જન્મથી ભવના વિચારી દુઃખને. ૪૦૧ અર્થ-જેવી રીતે નાટક કરવાની થીએટર (રંગભૂમિ) માં એકટર (નાટક) જૂદા જૂદા વેષ પહેરી જુદી જુદી અવસ્થાને ધારણ કરે છે, એટલે કે ઈ વાર રાજા, કેઈ વાર રાણી, કેઈ વાર સેનાપતિ, કઈ વાર ભીખારી, ને કઈ વાર વિદુષકને વેષ ભજવે છે; તેમ આ સંસાર રૂપી થીએટરને વિષે પણ જીવ અનેક પ્રકારની અવસ્થા ધારણ કરે છે, એટલે તે જીવ કેઈ વાર મનુષ્ય, કઈ વાર દેવતા કઈ વાર નારકી ને કઈ વાર તિર્યંચ વગેરે બની અનેક પ્રકારની અવસ્થા ધારણ કરે છે. તેથી હે ભવ્ય છે ! તમે સર્પને દૂધથી પિષવાની જેમ આ સંસાર રૂપી સર્પને વારંવાર જન્મ લેવા સરખા દૂધ વડે પોષ નહિ. કારણ કે જેમ દૂધ પાઈને ઉછેરેલો સર્પ અંતે તેના પિષનારને ડંખે છે તેથી તે તેના નાશનું કારણ થાય છે, તેમ વારંવાર જન્મ લેવાથી આ સંસારનું પોષણ પણ દુઃખને માટે થાય છે, એવું વિચારીને આ સંસારનું પિષણ કરશે નહિ. ૪૦૧
ત્રણ લેકમાં મેક્ષની અંદર શું શું ન હોય? તે વાત સ્પષ્ટ જણાવે છે – સંસાર માંહી જેહવા દુઃખ તેહવા નહિ મોક્ષમાં,
- નરક જેવું ગર્ભ દુઃખ નહિં લેશથી આ મેક્ષમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org