________________
રહે
I
કાને માતા
*''
''
'
દેશનાચિંતામણિ 3.
ઘડપણમાં વાંદરા જેવી થતી સ્થિતિ વિગેરે જણાવે છે – સિત્તેર વર્ષ તણી વયે પુત્રાદિની આગળ કંઈ,
ના ચાલતું વાનર તણું ચાળા કરે તે કંઈ કંઈ હાથની ચેષ્ટા કરીને પુત્ર ધન ઓછું કરે, .
ઈગ કહે ચાલે હવે શું નામ પ્રભુનું ના સ્મરે. ૩૭૩. અર્થ?–અને જ્યારે સિત્તેર વરસની ઉંમર થતાં પુત્ર વગેરે પરિવારની આગળ કાંઈ ચાલતું નથી અને પુત્ર વગેરે પણ તેના કહ્યા પ્રમાણે ચાલતા નથી ત્યારે તે વૃદ્ધ માણસ વાનરની પેઠે કાંઈ કાંઈ ચાળા કરે છે. હાથની ચેષ્ટા કરીને એટલે. હાથને લાંબા કરીને અરેરે આ પુત્ર મેં એકઠું કરેલું ધન એછું કરી નાખે છે એ પ્રમાણે બકવાદ કર્યા કરે છે, પરંતુ એમ બોલવાથી તેનું કાંઈ ચાલતું નથી. તેમ છતાં પણ ધનાદિના મોહમાં ફસાયેલા તે વૃદ્ધ પ્રભુના નામનું સ્મરણ પણ કરતા નથી. ૩૭૩ ) ) * . .
અધર્મની સ્થિતિ તથા આર્યજનનું સ્વરૂપ વિગેરે જણાવે છે – આર્યદેશાદિક લહ્યા પણ આ જન ભવ હારતા,
શું ચિત્ર ! હારે ભવ અનાર્યો ધર્મને ના જાણતા . હેયથી અલગા રહે જે આર્ય તે નર જાણવા,
- તેહથી ઉલ્ટા મનુજ જે તે અનાર્યો માનવા ૩૭૪ અર્થ –વળી આર્ય દેશ, ઉત્તમ કુલ વગેરે ધર્મ સાધવાની સામગ્રી મેળવ્યા છતાં આવા (ઉપર જણાવ્યા તેવા) આર્ય મનુષ્ય પણ પિતાને મનુષ્ય ભવ હારી જાય છે. તે પછી ધર્મને નહિ જાણનારા અનાર્યો ધર્મને હારી જાય એમાં શું આશ્ચર્ય ? એટલે કંઈ આશ્ચર્ય પામવા જેવું છે જ નહિ હવે અનાર્ય કેને કહેવા તે કહેવાય છે—જે મનુષ્ય હેય એટલે ત્યાગ કરવા લાયક આચરણથી અલગ એટલે જુદા રહે છે તેઓ આ જાણવા. અને તેમનાથી ઉલટા એટલે જેઓ વિરૂદ્ધ વર્તનારા એટલે હેયનો ત્યાગ ન કરે તે અનાર્ય જ કહેવાય. ૩૭૪
અનાર્યનું સ્વરૂપ વિગેરે જણાવે છે – ન વિવેક ખાદ્યાખાદ્યને લજા નહિં જ અનાર્યને,
સેવ્ય તેમ અસેવ્ય સરખા બેઉ કાર્ય અનાર્યને વિકટ પાપ આચરે છોડી દયાના અંશને,
બાંધતા બહુ કર્મ પામે દુર્ગતિના દુખને. ૩૭૫ ' અર્થ-અનાર્યને ખાય એટલે ખાવા લાયક અને અખાદ્ય એટલે નહિ ખાવા લાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org