________________
દેશનાચિંતામણિ ] કેઈ પામે મરણ જનની કુક્ષિમાં વળી જન્મતાં,
કેઈ પામે મરણ શિશુ વયમાં જરા મોટા થતાં. ૩૬૮ અર્થ –તમે કદાચ એમ માને કે ઘડપણમાં અમને નિરાંતને સમય મળશે ત્યારે અમે જેને ધર્મની સાધના કરીશું. પરંતુ એવી ચક્કસ ખાત્રી ક્યાં છે કે તમે વૃદ્ધાવસ્થાને પામશે એટલે એટલી ઉંમર થતાં સુધી તમે જીવતા જ રહેશે એવી કાંઈ ખાત્રી નથી. કારણ કે કેટલાએક છે તે જન્મ પામ્યા પહેલાં પણ માતાની કૂખને વિષે જ મરણ પામે છે, ત્યારે કેટલાએક જીવો જન્મ થતાં જ મરણને પામે છે, ત્યારે કેટલાંક સહેજ મોટા થાય ત્યારે શિશુવયમાં એટલે બાળપણમાં જ સમજણ થયા પહેલાં મરણ પામે છે. ૩૬૮
આયુષ્ય સાત કારણે ઘટે છે, વિગેરે જણાવે છે – લાગશે ક્યારે ઉપક્રમ આયુને ના તેહની,
ખબર તમને હવે અપવર્તના મનુજાયુની આ રાગની તિમ સ્નેહની તિમ ભાવનાથી ભયતણું,
આયુ ઘટે સંસર્ગથી વિષ કંકાતિ નિમિત્તના ૩૬૯ અર્થ આ તમારા આયુષ્યને ઉપક્રમ (આયુષ્ય ઘટવાના હેતુઓ) કયારે લાગશે તેની તમને ખબર નથી. કારણ કે કેટલાએક મનુષ્યના આયુષ્યની અપવર્તન એટલે આ યુષ્યની સ્થિતિને ઘટાડો થાય છે. વળી જેનું આયુષ્ય ઘટે છે તે સોપક્રમી કહેવાય છે. આયુષ્યની સ્થિતિમાં કઈ રીતે વધારો થતો નથી પણ ઘટાડો તો થાય છે. કારણ કે સાત પ્રકારના ઉપક્રમેમાંથી કોઈક જીવનું અત્યંત રાગના પરિણામથી આયુષ્ય ઘટીને મરણ થાય છે, તેવી જ રીતે સ્નેહના પરિણામથી તથા ભયની ભાવનાથી એટલે પરિણામથી, તથા વિષ એટલે ઝેર અને કંટાકાહિ એટલે કાંટા તથા સર્પ વગેરે નિમિત્તના સંસર્ગથી એટલે મળવાથી પણ આયુષ્ય ઘટે છે. ૩૬૯ રાજસી ભેજ્યાદિ શલાદિક તણી પીડા બળે,
તિમ પરાઘાત કરીને શ્વાસ અધિક જે ચલે, વિષકન્યકાદિક સ્પર્શથી ઇમ સાત કારણ યોગથી, -
મનુજાયુને ઘટવા તણે ભય ઈમ કહું જિનવચનથી. ૩૭૦ અર્થ–તથા રાજસી ભજ્યાદિ એટલે મનને મલિન કરનાર માંસ દારૂ વિગેરે પદાર્થ ખાવાથી, પેટમાં એકદમ શૂલ ઉપડવું વિગેરે પીડાના બળથી, તથા સાતમું પરાઘાત વડે એટલે કૂવા વગેરેમાં પડી જવાથી, કે થાંભલા વિગેરેની સાથે અફળાવવું વિગેરે
૩૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org