________________
( શ્રી વિજયપદ્ધસૂરિકૃતધનાદિને નાશ થતાં માલીકની સ્થિતિ જણાવે છે – જાતાં ધનાદિક મેહથી પીડા સહે બહુ આકરી,
આજીવિકાના હેતુ જાતાં ખિન્ન હવે બહુ વલી, અશુભ ધ્યાને પાપના આરંભ કરતા ના ડરી,
તેહ મૂકીને મરતા થાય મુંઝવણ ફરી ફરી. ૩૬૬ અર્થ –વળી કેટલાએક મનુષ્યો પૈસા કમાવાની લાલચે અનેક પ્રકારના સારા નરસા ધંધા કરે છે, પરંતુ જ્યારે પૂર્વ ભવના પાપથી કમાવાને બદલે પૈસા ગુમાવે છે ત્યારે ધનના મોહને લીધે એટલે મમત્વને લીધે આકરી પીડા સહન કરે છે અને બહુ શેક કરે છે. વળી કેટલાએક મનુષ્યો આજીવિકા એટલે ગુજરાનનાં સાધને જતાં રહે છે ત્યારે ઘણે જ દીલગીર થાય છે. પછી અશુભ ધ્યાનના ગે એટલે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનથી ધન કમાવા માટે પાપના આરંભ એટલે ઘણું જીવને ઘાત થાય તેવાં પાપકર્મો કરતાં ડરતા નથી. વળી જ્યારે મરવાને વખત આવે છે ત્યારે તે આરંભના કામને છોડતી વખતે વારંવાર મુંઝવણ થાય છે, એટલે મુંઝાય છે કે હવે મારા આ ધંધાનું શું થશે? મારા વિના તેને કે ચલાવશે? વગેરે વિચારો કરે છે, અને તેવા અશુભ પરિણામમાં અશુભ મરણ પામીને જીવ દુર્ગતિમાં જાય છે. ૩૬૬
ચાર માં હિતેચ્છુ માણસ જુવાનને શું કહે છે? તે જણાવે છે – તિમ જુવાનીના સમયમાં ધર્મ કેરી સાધના,
કરવા હતી ફુરસદ નહિ નીકળે વચન હિતકારીના કદી એમ હે મુજ બંધુ! સાધો ધર્મ આ તક પામીને,
નાણું મળે પણ સમય ના માનો અમારા વચનને. ૩૬૭ અર્થ –પ્રભુદેવના પૂછવાથી કઈ જીવ એમ ઉત્તર આપે છે કે જુવાનીના સમયમાં અમને ધર્મ કરવાની ફુરસદ એટલે નવરાશ નહોતી, કારણ કે તે વખતે અમારૂં ચિત્ત પૈસા પેદા કરવામાં લાગેલું હતું, તેથી ધર્મ કરવા તરફ અમારૂં જરા પણ ધ્યાન રહેતું નહોતું. આવું કહેનારની પાસે હિતકારીને એટલે જીવોનું ભલું ચાહનારા શ્રી પ્રભુજીનાં વચન નીકળે છે એટલે પ્રભુજી કહે છે કે-હે મારા ભાઈ ! અત્યારે આ ધર્મ કરવાનો અવસર પામીને તમે ધર્મની સાધના કરો. કારણ કે નાણું મળશે પણ ગએલો સમય ફરીથી મળવાને નથી આ અમારા વચનને તમે માને. ૩૬૭
તમે ઘરડા જરૂર થશે, અને નિયમ નથી વિગેરે જણાવે છે – એમ કદી માનો તમે ઘડપણ વિષે જિન ધર્મને,
સાધશું પણ નિયમ ક્યાં એ પામશે વૃદ્ધત્વને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org