________________
૨૮૦
| [ શ્રી વિજયપઘસૂરિકૃતઅર્થ:--વળી પેટપૂરણ એટલે પિતાનું ભરણ પોષણ જે કરવું, તે તેને મેટા ખરચવાળા ઓચ્છવ કરવા જેવું લાગે છે. તથા ભિક્ષા મળે એટલે ભીખ માગતાં કાંઈ મળે તે જાણે પિતાનું જીવિત એટલે જીવન મળ્યું એવો વિચાર કરીને રાજી થાય છે. વળી પિતાથી વધારે સુખી એવા બીજા જીવોને શબ્દાદિ એટલે શબ્દ વગેરે ઇન્દ્રિયના વિષયે ભેગવતા જોઈને તે એમ બેલે છે અથવા જાણે છે કે આ જીવ ઘણો પુણ્યશાળી એટલે ઘણે પુણ્યવાન છે. એમ માનીને આગળ કહેવાય છે તે પ્રમાણે તેના જેવી સાહિબીને મેળવવાની ઈચ્છા રાખે છે. ૩૪૬
ત્રણ લેકમાં આશાની વિડંબના જણાવે છે – ભેગ આની જિમ મને જે સંપજે તો હું સદા,
કરૂં વિલાસ વિચારતે ઇમ ધરત ચિંતા આપદા; તેહવા અભિલાષથી સેવા કરે નરપતિ તણી,
વિનય દર્શાવે વદે અનુકુળ ભાષા ભૂપની. ૩૪૭ શેક મનમાં તે છતાં નૃપ જે હસે તે તે હસે,
નિજ પુત્ર જન્મોત્સવ છતાં રેતાં નૃપતિ રેઈ જશે, હેય નિજ રિપુ તે છતાં તે ભૂપ કેરા માન્યની,
કરે પ્રશંસા નિંદના હિમ કરત નૃપના શત્રુની. ૩૪૮ : અર્થ --આ માણસને જેવા વિષયો મળ્યા છે એવા ભેગોની સામગ્રી જે મને મળે તે હું હંમેશાં વિલાસ કરું એટલે મોજમજા કર્યા કરૂં. આ પ્રમાણે તે ચિંતા રૂપી આપદા એટલે આપત્તિને ભેગવે છે. અને એવા પ્રકારની ભેગ સામગ્રી પોતાને મળે તેવી ઈચ્છાથી તે રાજા વિગેરેની સેવા કરે છે, તે રાજાની આગળ ઘણે વિનય-નમ્રતા દેખાડે છે. વળી રાજાને અનુકૂળ એટલે પસંદ પડે તેવી ચાટુ ભાષા બોલે છે એટલે પોતે જાણે છે કે અમુક બાબતમાં ખરી હકીક્ત અમુક પ્રકારની છે તે છતાં જે તેવું (સાચી બીના) બેલે તે રાજા તેના ઉપર નાખુશ થાય એવું વિચારીને રાજાને જેમ સારું લાગે તેવું બેલે છે. વળી તે માણસના મનમાં શક હોય એટલે દીલગીરી હેય તે છતાં રાજા જે હસે તે પિતે પણ તેની સાથે હસે છે. વળી પિતાના ઘેર પુત્રને જન્મ થયો હોય તેથી ખુશાલીને ઉત્સવ હોય તે છતાં રાજાને રેતે જુએ છે તે પણ રડવા લાગે છે. વળી કઈ માણસ તેને રિપુ એટલે શત્રુ હોય તે છતાં પણ જે તે રાજાને માન્ય હોય એટલે રાજા તેના ઉપર પ્રસન્ન હોય તો તે તેનાં વખાણ કરે છે. વળી પિતાને મિત્ર હોય પરંતુ જે તે રાજાને શત્રુ હોય તે તેની નિંદન એટલે નિંદા કરે છે. આ પ્રમાણે રાજાને ખૂશી કરવા માટે તે અનેક જાતના બેટા ટૅગ કરે છે, અને જેમ બને તેમ રાજાને રાજી રાખવા અનેક પ્રકારની ખુશામત કરે છે. રૂ૪૭–૩૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org